કુદરત સામે લાચાર ખેડૂત હાર્યો, 8 વીઘા ખેતરનો પાક ઘેંટા-બકરાને ચરાવી દીધો

Gir Somnath News : કમોસમી વરસાદને કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે. પરંતું આ નુકસાનીવાળો પાક કોઈનો કોળિયો બન્યો છે. ગીર ગઢાડના જરગલી ગામનાં ખેડૂતે 8 વીઘાની ડુંગળીમાં ઘેટાં બકરા ચરાવી દીધા છે. 

ખેડૂત સંપૂર્ણ પણે દેવામાં ડૂબી ગયા

1/5
image

ઉના ગીરગઢડા પંથકમાં કમોસમી વરસાદે તબાહી મચાવતા સમગ્ર વિસ્તારના ખેડૂતોના મગફળી, સોયાબીન, ડુંગળી સહિતના પાક સદંતર ધોવાઈ ગયા છે. જરગલી ગામનાં ખેડૂત કનુભાઈ ખૂંટે પોતાની 8 વીઘા જમીનમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું.

2/5
image

આ પાક સંપૂર્ણ તૈયાર થઈ ગયો હતો અને લણવાની તૈયારીમાં હતો અને અચાનક કમોસમી વરસાદ વરસતા આ ડુંગળીના પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો. 

3/5
image

ખેડૂતના મોઢે આવેલ કોળિયો છીનવાઈ ગયો હતો. પરંતુ કનુભાઈને આવામાં વિચાર સૂઝયો. તેઓને મૂંગા પશુનો વિચાર આવ્યો. 

4/5
image

તેઓએ આજુબાજુના વિસ્તારના માલધારીઓને પશુઓ સાથે પોતાના ખેતર પર બોલાવી લીધા અને અંદાજે 700 જેટલા પશુ જેમાં ઘેટાં બકરાને ખેતરમાં ડુંગળીના ખેતરમાં ચરવા મૂકી દીધા.

5/5
image

ખેતરમાં જ્યાં નજર કરો ત્યાં પશુઓ જ દેખાતા હતા. આમ, કુદરતે ભલે ખેડૂતના મોઢેથી કોળિયો છીનવ્યો હોય, પરંતું આ કોળિયો કોઈના પેટમાં પહોંચ્યો હતો.