કુદરત સામે લાચાર ખેડૂત હાર્યો, 8 વીઘા ખેતરનો પાક ઘેંટા-બકરાને ચરાવી દીધો
Gir Somnath News : કમોસમી વરસાદને કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે. પરંતું આ નુકસાનીવાળો પાક કોઈનો કોળિયો બન્યો છે. ગીર ગઢાડના જરગલી ગામનાં ખેડૂતે 8 વીઘાની ડુંગળીમાં ઘેટાં બકરા ચરાવી દીધા છે.
ખેડૂત સંપૂર્ણ પણે દેવામાં ડૂબી ગયા

ઉના ગીરગઢડા પંથકમાં કમોસમી વરસાદે તબાહી મચાવતા સમગ્ર વિસ્તારના ખેડૂતોના મગફળી, સોયાબીન, ડુંગળી સહિતના પાક સદંતર ધોવાઈ ગયા છે. જરગલી ગામનાં ખેડૂત કનુભાઈ ખૂંટે પોતાની 8 વીઘા જમીનમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું.

આ પાક સંપૂર્ણ તૈયાર થઈ ગયો હતો અને લણવાની તૈયારીમાં હતો અને અચાનક કમોસમી વરસાદ વરસતા આ ડુંગળીના પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો.

ખેડૂતના મોઢે આવેલ કોળિયો છીનવાઈ ગયો હતો. પરંતુ કનુભાઈને આવામાં વિચાર સૂઝયો. તેઓને મૂંગા પશુનો વિચાર આવ્યો.

તેઓએ આજુબાજુના વિસ્તારના માલધારીઓને પશુઓ સાથે પોતાના ખેતર પર બોલાવી લીધા અને અંદાજે 700 જેટલા પશુ જેમાં ઘેટાં બકરાને ખેતરમાં ડુંગળીના ખેતરમાં ચરવા મૂકી દીધા.

ખેતરમાં જ્યાં નજર કરો ત્યાં પશુઓ જ દેખાતા હતા. આમ, કુદરતે ભલે ખેડૂતના મોઢેથી કોળિયો છીનવ્યો હોય, પરંતું આ કોળિયો કોઈના પેટમાં પહોંચ્યો હતો.
Trending Photos




