Covid Precautions: કોરોનાથી બચવા માટે આયુષ મંત્રાલયે જણાવ્યાં સરળ ઉપાય, અપનાવો અને બીમારીથી દૂર રહો

નવી દિલ્હી: હાલના સમયમાં જે ઝડપથી લાખો લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ રહ્યા છે અને હજારો લોકોના મોત થઈ રહ્યા છે તેને જોતા સંક્રમણથી બચવું જ હવે તો એકમાત્ર ઉપાય જોવા મળી રહ્યો છે. આ માટે તમારે મજબૂત ઈમ્યુનિટીની જરૂર છે. જેથી કરીને વાયરસથી સંક્રમિત થતા બચો અને જો કોઈ કારણસર સંક્રમિત થાઓ તો પણ તમે જલદી અને કોઈ પણ નુકસાન વગર સંક્રમણથી રિકવર થઈ જાઓ. 
 

ઈમ્યુનિટી વધારવા માટે આયુષ મંત્રાલયનું સૂચન

1/6
image

લોકોને કોરોના વાયરસથી બચાવવા અને તેમની ઈમ્યુનિટી સ્ટ્રોંગ કરવા માટે દેશના આયુષ મંત્રાલયે પણ કેટલાક સૂચનો આપ્યા છે. આયુર્વેદ પર આધારિત આ ઉપાય સંપૂર્ણ રીતે કુદરતી છે અને તેની કોઈ આડ અસર પણ નથી. 

આ રીતે કરો શરીરને મજબૂત કરવાની તૈયારી

2/6
image

સપ્લિમેન્ટ્સનું સેવન કરવાની જગ્યાએ તમે નેચરલ રીતે તમારા શરીરની ઈમ્યુનિટી મજબૂત બનાવી શકો છો. આ માટે તમે રોજ ચ્યવનપ્રાશ ખાઓ. રોજ દિવસમાં એક કે 2 વાર હળદરવાળું દૂધ પીઓ. આ સાથે જ તુલસી, તજ, કાળા મરી, આદુ અને સૂકી દ્રાક્ષથી બનેલી હર્બલ ચા કે ઉકાળો દિવસમાં 1-2 વાર જરૂર પીઓ. આ આયુર્વેદિક રીતથી શરીરને મજબૂત બનાવવામાં મદદ મળશે. 

રોજ પીઓ ગરમ પાણી

3/6
image

હાલના સમયમાં જ્યારે કોરોના સમગ્ર દેશમાં કેર વર્તાવી રહ્યો છે ત્યારે આવા સમયે ઠંડુ પાણી કે ઠંડી ચીજો ખાવી જોઈએ નહીં. એવી ચીજો ન ખાઓ જેનાથી તમારું ગળું ખરાબ થઈ શકે છે કે શરદી ઊધરસની આશંકા થઈ શકે છે. તેની જગ્યાએ દિવસમાં અનેકવાર ગરમ પાણી પીઓ. આ સાથે જ ગરમ પાણીમાં ચપટી મીઠું અને હળદર નાખીને કોગળા કરો. 

ઘરનો બનેલો તાજો ખોરાક ખાઓ

4/6
image

હાલના સમયમાં જ્યારે સંક્રમણનું જોખમ સૌથી વધુ છે ત્યારે શક્ય હોય તો તમારા હાથે બનેલી તાજી વસ્તુઓ જ ખાઓ અને બહારના ભોજનનો ઓર્ડર કરતા બચો. આ સાથે જ ઘરના ભોજનમાં હળદર, જીરૂ, લસણ, આદુ અને કોથમિર જેવા મસાલા જરૂર નાખો. આ ચીજો નેચરલ રીતે શરીરની ઈમ્યુનિટી મજબૂત કરે છે. 

યોગથી દૂર ભાગશે રોગ

5/6
image

આયુષ મંત્રાલયની સાથે જ અનેક હેલ્થ એક્સપર્ટ્સ પણ કહી રહ્યા છે કે હાલ તમે જ્યારે ઘરમાં બંધ છો, કોઈ એક્ટિવિટી થઈ રહી નથી ત્યારે આવા સમયમાં ઘરે જ યોગ કરીને તમે ઈમ્યુનિટી મજબૂત કરી શકો છો જેથી કરીને રોગ તમારી પાસે પણ ન ફરકે. પ્રાણાયામ, યોગ, અનુલોમ-વિલોમ, ડીપ બ્રિધિંગ એક્સર્સાઈઝ...આ તમામ ચીજો તમારા ખુબ કામ આવી શકે છે. 

આ ઉપાય પણ છે એકદમ કારગર

6/6
image

દિવસમાં એક કે બેવાર વરાળ લો, તમે ઈચ્છો તો સાદા પાણીથી પણ સ્ટીમ લઈ શકો છો. કે પછી પાણીમાં ફૂદીનાના પાંદડા કે અજમો નાખીને પણ વરાળ લઈ શકાય. જો ઊધરસ કે ગળામાં ખરાશની સમસ્યા હોય તો લવિંગ કે મુલેઠીનો પાઉડર મધ સાથે ભેળવીને દિવસમાં 2-3 વાર લઈ લો. પરંતુ સમસ્યા જો યથાવત રહે તો ડોક્ટરનો સંપર્ક કરો. ઓઈલ પુલિંગની ટેક્નિક પણ ફાયદાકારક છે. જેમાં 1 ચમચી તેલ કે નારિયેળનું તેલ મોઢામાં નાખો. 2-3 મિનિટ સુધી તેલને આખા મોઢામાં ઘૂમાવતા રહો અને પછી થૂંકી નાખો. તેલ ગળી જતા નહીં. ત્યારબાદ ગરમપાણીથી કોગળા કરી નાખો. (નોંધ- કોઈ પણ ઉપાય અજમાવતા પહેલા હંમેશા કોઈ વિશેષજ્ઞ કે ચિકિત્સકની સલાહ લો. ઝી ન્યૂઝ આવી જાણાકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી)