1 લાખના 2 વર્ષમાં બનાવી દીધા 67 લાખ, આ કંપનીએ ઈન્વેસ્ટરોને આપ્યું 5600% નું છપ્પરફાડ રિટર્ન

Written ByDhaval Gokani
Published: May 20, 2025, 10:38 AM IST|Updated: May 20, 2025, 10:38 AM IST

આ કંપનીના શેરમાં વધારો થવાનું એક ખાસ કારણ છે. એવું માનવામાં આવે છે કે આયુષ વેલનેસ કેટાલિસ્ટ આરોગ્ય સેવા ક્ષેત્રમાં મજબૂત પ્રવેશ કરશે.

1/6

Multibagger Stock: શેર બજારની ગેમ અવિશ્વસનીય હોય છે. તે જોખમભરી રમત છે. પરંતુ એક જૂની કહેવત છે નો રિસ્ક, નો ગેન. આજે અમે તમને તે કંપનીના શેર વિશે જણાવી રહ્યાં છીએ, જેણે-જેણે વર્ષ 2023ના મે મહિનામાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેની વેલ્યુ 67 લાખ રૂપિયા થઈ ગઈ હોત, એટલે કે 50 ગણાથી વધુ રિટર્ન. મે 2023મા કંપનીના શેરનો ભાવ 2 રૂપિયા આસપાસ હતો, જે આજે વધીને 114 રૂપિયા પર પહોંચી ગયો છે.

2/6

આ કંપની છે Ayush Wellness. તેના સ્ટોકે માત્ર એક વર્ષમાં 539.67 ટકાનું શાનદાર રિટર્ન આપ્યું છે, જ્યારે છેલ્લા બે વર્ષમાં આ સ્ટોકે 5600 ટકાથૂ વધુનું રિટર્ન ઈન્વેસ્ટરોને આપ્યું છે. મે મહિનામાં કંપનીના શેરમાં 27 ટકાની તેજી આવી છે. 27 માર્ચ બાદ એકપણ દિવસ કંપનીના શેરમાં કોઈ ઘટાડો થયો નથી. 

 ઈન્વેસ્ટરોને જબરદસ્ત રિટર્ન3/6

ઈન્વેસ્ટરોને જબરદસ્ત રિટર્ન

આયુષ વેલનેસનો શેર છેલ્લા 54 દિવસમાં સતત વધી રહ્યો છે.  આ કંપનીનો સ્ટોક આ વર્ષે 26 માર્ચ એટલે કે 2025 ના રોજ 53.93 ટકા ઘટ્યો હતો. પરંતુ ત્યારથી, આ સ્ટોક સતત વધી રહ્યો છે. આજના ભાવે આ શેરનો ભાવ રૂ. 112.39 છે. ત્યારથી, આ કંપનીએ તેના શેરમાં રોકાણ કરનારાઓ માટે મોટો નફો કમાયો છે.

4/6

જોકે, આ કંપનીના શેરમાં વધારા પાછળ એક ખાસ કારણ છે. એવું માનવામાં આવે છે કે આયુષ વેલનેસ કેટાલિસ્ટ આરોગ્ય સેવા ક્ષેત્રમાં મજબૂત પ્રવેશ કરશે. મહારાષ્ટ્રના વિરારમાં તેનું પહેલું સ્માર્ટ હેલ્થકેર સેન્ટર પણ ખોલવામાં આવ્યું છે.

 બે વર્ષમાં 5600 ટકાનું રિટર્ન5/6

બે વર્ષમાં 5600 ટકાનું રિટર્ન

ઉલ્લેખનીય છે કે આયુષ વેલનેસની સ્થાપના 1984મા થઈ હતી. વર્ષ 2024ના ઓગસ્ટ મહિનામાં કંપનીએ શેર 1:10 ના રેશિયોમાં વિભાજીત કર્યો હતો. આ કારણે તેની ફેસ વેલ્યુ 10 રૂપિયાથી ઘટી પ્રતિ શેર એક રૂપિયો થઈ ગઈ હતી. પાછલા વર્ષે કંપનીનું નામ આયુષ ફૂડ એન્ડ હર્બ્સ લિમિટેડથી બદલી આયુષ વેલનેસ કરી દેવામાં આવ્યું હતું. 

6/6

(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)