Baba Vanga ની પાકિસ્તાનને લઈને શોકિંગ ભવિષ્યવાણી! પડી શકે છે સાચી, શું નજીક છે અંત?

બાબા વેંગાની તે ભવિષ્યવાણી ફરી ચર્ચામાં આવી છે જેમાં તેમણે એક ઇસ્લામિક દેશના વિનાશની વાત કહી હતી. શું પાકિસ્તાનને લઈને તેમની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે?
 

1/4
image

Baba Vanga on Pakistan: શ્રીનગરના પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ આકરા પગલાં ભર્યા છે. તેનાથી પાકિસ્તાનની હાલત ખરાબ થઈ છે અને તે ડરી રહ્યું છે. 22 એપ્રિલ 2025ના પહેલગામમાં 27 લોકોના મોત થયા અને 17 લોકોને ઈજા પહોંચી હતી. પાક વિરુદ્ધ ભારતની કાર્યવાહીથી તે સવાલ થઈ રહ્યો છે કે શું ભારત પાકિસ્તાનનો સર્વનાશ કરી દેશે? આ વચ્ચે બુલ્ગારિયાના પ્રસિદ્ધ ભવિષ્યવક્તા બાબા વેંગાની ભવિષ્યવાણી ચર્ચામાં આવી ગઈ છે.  

પાકિસ્તાન વિશે શું છે ભવિષ્યવાણી

2/4
image

બાબા વેંગા તેમની સચોટ આગાહીઓ માટે જાણીતા છે. તેમણે બીજા વિશ્વયુદ્ધથી લઈને અમેરિકા પર 9/11ના હુમલા અને ઈન્દિરા ગાંધીના મૃત્યુ સુધીની આગાહીઓ કરી હતી, જે બધી સાચી સાબિત થઈ. મરતા પહેલા બાબા વેંગાએ ભારત-પાકિસ્તાન યુદ્ધ વિશે પણ ભવિષ્યવાણી કરી હતી. તેમણે કહ્યું હતું કે ઇસ્લામિક દેશનો વિનાશ નિશ્ચિત છે. આવી સ્થિતિમાં, તેમની આગાહીને હવે ભારત-પાકિસ્તાન તણાવ અને તેના પરિણામે થયેલા યુદ્ધ સાથે જોડવામાં આવી રહી છે.

મુસ્લિમ દેશના વિનાશને પાક સાથે જોડવામાં આવી રહ્યું છે

3/4
image

22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં પાકિસ્તાનનો હાથ છે તે સ્પષ્ટ થઈ ગયું છે. તો સોશિયલ મીડિયા પર બાબા વેંગાની તે ભવિષ્યવાણીની ચર્ચા થઈ રહી છે, જેમાં ઇસ્લામિક દેશના વિનાશની વાત થઈ રહી છે. તેવામાં મુસ્લિમ દેશના વિનાશની વાતને પાકિસ્તાનના સર્વનાશથી જોડવામાં આવી રહી છે.  

બાબા વેંગાની કઈ-કઈ ભવિષ્યવાણી પડી સાચી

4/4
image

હવે ચાલો જાણીએ કે બાબા વેંગાની કઈ ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે. તેમણે ઇન્દિરા ગાંધીના મૃત્યુની આગાહી કરી હતી જે સાચી પડી. બાબા વેંગાએ ઘણી કુદરતી આફતોની આગાહી કરી હતી જે સાચી પડી. બાબા વેંગાએ 2025 ની ગરમી વિશે આગાહી કરી હતી કે આકાશમાંથી આગનો વરસાદ થશે અને તે પણ સાચું સાબિત થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, પાકિસ્તાન અંગેની તેમની આગાહી પણ સાચી સાબિત થઈ રહી છે.