આ વર્ષે સાચી પડી બાબા વેંગાની આ ખતરનાક ભવિષ્યવાણી, છેલ્લી તો છે સૌથી ડરામણી!

Baba Vanga Predictions: બાબા વેંગાએ 2025માં 'ખતરનાક ભૂકંપ' આવવાની ભવિષ્યવાણી કરી હતી. જો કે, તેમની સત્તાવાર ભવિષ્યવાણીઓમાં આનો કોઈ ઉલ્લેખ નથી. પરંતુ તેમ છતાં પણ લોકો તેમની ભવિષ્યવાણીઓમાં વિશ્વાસ કરે છે, જેમણે 9/11 જેવી ઘટનાઓની ભવિષ્યવાણી કરી હતી.

Baba Vanga Future Predictions

1/7
image

ભવિષ્યમાં શું થશે તેને લઈ લોકો મનમાં હંમેશા જિજ્ઞાસા રહે છે. દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે ભવિષ્યના ગર્ભમાં શું છુપાયેલું છે. બાબા વેંગાની ભવિષ્યવાણીઓ વિશે હંમેશા લોકોમાં એક ઉત્સુકતા રહે છે. વર્ષ 2025 માટે તેમની ઘણી ભવિષ્યવાણીઓ સામે આવી હતી. વેંજેલિયા પાંડેવા ગુશ્તેરોવા એટલે કે બાબા વેંગાનો જન્મ 31 જાન્યુઆરી 1911ના રોજ થયો હતો. તેઓ બાળપણથી જ અંધ હતા. તેમણે પોતાના જીવનનો મોટાભાગનો સમય બલ્ગેરિયાના બેલાસિકા પર્વતોમાં વિતાવ્યો. પરંતુ તેમ છતાં પણ તેમણે કરેલી આગાહીઓ આજે પણ લોકોને હચમચાવી નાખે છે. 2025 માટેની તેમની ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે. ચાલો તમને તેમના વિશે જણાવીએ.

મ્યાનમારમાં જોવા મળ્યો કુદરતનો વિનાશ

2/7
image

28 માર્ચ 2025ના રોજ મ્યાનમારમાં એક ખતરનાક ભૂકંપ આવ્યો હતો, જેમાં 2700થી વધુ લોકોના મોત થયા હતા. હજારો લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવામાં બચાવ કાર્યકરોને ઘણા દિવસો લાગ્યા. આ ઘટનામાં 4500 લોકો ઘાયલ થયા હતા અને 441 લોકો ગુમ થયા હતા. બાબા વેંગાની ભૂકંપ વિશેની ભવિષ્યવાણી સાચી પડતાં જ લોકો તેમની ભવિષ્ય લઈ કહેવામાં આવેલી વાતો વિશે શોધવાનું શરૂ કર્યું છે.

3/7
image

11 ઓગસ્ટ 1996ના રોજ આ દુનિયા છોડી ગયેલા બાબા વેંગાએ પણ ભવિષ્યવાણી કરી હતી કે, 2025માં યુરોપમાં યુદ્ધ ફાટી નીકળશે અને સમગ્ર વિશ્વ આર્થિક સંકટનો ભોગ બનશે. કેટલાક અહેવાલો તો એવું પણ કહે છે કે, બાબા વેંગાએ 2025નું વર્ષ માનવતાના પતનની શરૂઆત તરીકે જણાવવામાં આવ્યું હતું.

4/7
image

મ્યાનમારમાં આવેલા ભૂકંપના બે દિવસ બાદ જ ટોંગામાં પણ 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ પર્શિયન ટાપુ દેશ માટે એક સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી હતી. જો કે, જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી.  

બાબા વેંગાની અન્ય ભવિષ્યવાણીઓ

5/7
image

બાબા વેંગાની અન્ય ભવિષ્યવાણીઓ વિશે વાત કરીએ તો યુરોપમાં યુદ્ધ ફાટી નીકળશે અને મહાદ્વીપની વસ્તીનો નાશ થશે. તેમની બીજી ભવિષ્યવાણીમાં કહેવામાં આવ્યું કે, માનવજાત વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતો માટે અન્ય ગ્રહો તરફ વળી શકે છે. તેમણે ખાસ કરીને ગરમ અને ગાઢ ગ્રહ શુક્રની તરફ ઈસારો કર્યો છે, જે એત સંભવિત વિકલ્પ છે.  

રહેવા લાયક નહીં રહે ધરતી

6/7
image

આબોહવા પરિવર્તન પહેલાથી જ ગ્રહને તબાહ કરી રહ્યું છે. બાબા વેંગા અનુસાર 2033માં બરફ ઝડપથી પીગળી જશે, જેના કારણે સમુદ્રનું સ્તર વધશે. પરંતુ વર્ષ 3797 સુધીમાં ધરતી રહેવા લાયક રહેશે નહીં. આ વર્ષે મનુષ્યો પૃથ્વી છોડી દેશે. તેમની ભવિષ્યવાણીઓ અનુસાર વર્ષ 5079 સુધીમાં દુનિયા ખતમ થઈ જશે.

7/7
image

પરંતુ તે પહેલાં માણસ ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરશે. વર્ષ 2130માં માનવીઓ એલિયન્સ સાથે સંપર્ક કરશે. આ ઉપરાંત માર્ટિયન (મંગળ ગ્રહ)ની સભ્યતા સાથે યુદ્ધ વર્ષ 3005માં થશે. આ તો તમે જાણતા જ હશે કે, મનુષ્યને મંગળ પર ઉતારવાની તૈયારી ચાલી રહી છે અને એલોન મસ્ક આગામી 10 વર્ષમાં આ કરવા માંગે છે. બાબા વેંગાની ભવિષ્યવાણી પરથી એવું લાગે છે કે મનુષ્યોએ મંગળ પર ન જવું જોઈએ.