મોંઢામાંથી આવતી ખરાબ દુર્ગંધને દૂર કરવા માટે રામબાણ છે આ મસાલો, વારંવાર બ્રશ કરવાની નહીં પડે જરૂર!

Bad Breath Home Remedies: દાંત સાફ કરવા માટે દિવસમાં બે વાર બ્રશ કરવાની સલાહ આપવામાં આવે છે. દાંતને સારી રીતે બ્રથ કરવાથી મોઢામાંથી બેક્ટેરિયા દૂર થાય છે. જ્યારે કેટલાક લોકો મોંઢામાં દુર્ગંધથી પરેશાન રહે છે. ઘણી વાર બ્રશ કર્યા પછી પણ શ્વાસની દુર્ગંધ દૂર થતી નથી. તો ચાલો જાણીએ બ્રશ કર્યા પછી પણ મોઢામાંથી દુર્ગંધ કેમ આવે છે? શ્વાસની દુર્ગંધથી કેવી રીતે છુટકારો મેળવવો?

મોંઢામાંથી આવતી દુર્ગંધના કારણો

1/5
image

શ્વાસની દુર્ગંધ પાછળ ઘણા કારણો હોઈ શકે છે. ડુંગળી અને લસણ જેવા ખોરાકનું વધુ પડતું સેવન કરવાથી દુર્ગંધની સમસ્યા થઈ શકે છે. બ્રશ કર્યા પછી પણ લસણની ગંધ દૂર થવામાં ઘણો સમય લાગે છે. મીઠાઈ ખાધા પછી પણ શ્વાસની દુર્ગંધની સમસ્યા થઈ શકે છે. ઘણીવાર ચા પીધા પછી અથવા મીઠાઈઓ ખાધા પછી શ્વાસમાં દુર્ગંધ આવે છે.

કેવિટી

2/5
image

શ્વાસની દુર્ગંધ ઘણી વખત કેવિટીને કારણે પણ આવે છે.બ્રશ ઘણી વખત દાંતની પાછળ છુપાયેલા બેક્ટેરિયા સુધી પહોંચવામાં અસમર્થ હોય છે. ખોરાકના કણો લાંબા સમય સુધી દાંતમાં અટવાઈ જવાથી શ્વાસમાં દુર્ગંધ આવવા લાગે છે. જો મોંમાં કેવિટીની સમસ્યા હોય તો મોંઢાથી દુર્ગંધ આવી શકે છે.

મોંઢાની દુર્ગંધથી રાહત મેળવવા માટે વરિયાળી ખાઓ

3/5
image

વરિયાળીનું સેવન કરવાથી મોંઢાની દુર્ગંધ દૂર થઈ શકે છે. વરિયાળીના દાણા ચાવવાથી તમારા મોંની દુર્ગંધ તરત જ દૂર થઈ જશે. જો તમે મોંઢાની દુર્ગંધથી પરેશાન છો તો તમે વરિયાળીના દાણા ચાવી શકો છો. તેને ચાવવાથી મોંઢામાંથી આવતી દુર્ગંધ દૂર થાય છે.

ક્યારે ખાવી વરિયાળી

4/5
image

કંઈપણ ખાધા પછી વરિયાળી ચાવો. આમ કરવાથી તમારા મોંઢાથી આવતી દુર્ગંધ દૂર થઈ જશે. બીજી તરફ જો તમે કંઈક મીઠું ખાઓ છો, તો તેને ખાધા પછી 30 મિનિટ પછી વરિયાળી ચાવો, આમ કરવાથી મોંઢામાંથી આવતી દુર્ગંધ દૂર થઈ શકે છે.

Disclaimer

5/5
image

પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતીની મદદ લીધી છે. Zee 24 કલાક આ વાતની પુષ્ટિ કરતું નથી. જો તમે ક્યાંય પણ તમારા સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ વાંચો છો, તો તેને અપનાવતા પહેલા ચોક્કસપણે ડોક્ટરની સલાહ લો.