મેષ રાશિમાં રાજાને મળશે રાજકુમાર, બુધાદિત્ય યોગથી આ 5 રાશિઓની બલ્લે-બલ્લે! દરેક સપના થશે સાકાર
Budhaditya Yog 2025: 7 મેના રોજ ગ્રહોનો રાજકુમાર બુધ મેષ રાશિમાં પ્રવેશ કરશે. મેષ રાશિમાં પ્રવેશતાની સાથે જ અહીં પહેલાથી જ હાજર સૂર્ય સાથે યુતિ બનાવશે, જેના કારણે બુધાદિત્ય યોગનું નિર્માણ થશે. બુધાદિત્ય યોગ બનતાની સાથે જ લગભગ 5 રાશિના લોકોના કિસ્મત ખુલી જશે. ચાલો જાણીએ તે 5 ભાગ્યશાળી રાશિઓ કઈ છે.
બુધાદિત્ય યોગ
જ્યોતિષ શાસ્ત્રમાં બુધને ગ્રહોનો રાજકુમાર અને સૂર્યને ગ્રહોનો રાજા કહેવામાં આવે છે. આગામી 7 મેના રોજ સવારે 4:13 કલાકે બુધ ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરશે. બુધ મેષ રાશિમાં પ્રવેશતાની સાથે જ અહીં પહેલાથી હાજર સૂર્ય સાથે યુતિ બનાવશે.
રાજાને મળશે રાજકુમાર
સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય યોગનું નિર્માણ થશે. આ યોગને કારણે ઘણી રાશિના લોકોને બમ્પર લાભ મળશે. આ કારણ છે કે જ્યારે આ બન્ને ગ્રહ મેષ જેવી તેજસ્વી, અગ્નિ તત્વની રાશિમાં હોય છે, ત્યારે બુધાદિત્ય યોગ બમણો અસરકારક થઈ જાય છે. આ યોગ બુદ્ધિ, નેતૃત્વ ક્ષમતા, આત્મવિશ્વાસ અને સંચાર કૌશલ્યને મજબૂત બનાવે છે. આવો જાણીએ કે મેષ રાશિમાં બુધાદિત્ય યોગ કઈ રાશિ માટે ફાયદાકારક રહેશે.
કર્ક રાશિ
આ યોગ તમારી કુંડળીના દસમા ભાવમાં બની રહ્યો છે, જે કરિયર અને સમાજમાં પ્રતિષ્ઠા સાથે જોડાયેલ હોય છે. આનાથી પ્રોફેશનલ લાઈફમાં તમને નવી ઓળખ, પ્રમોશન અથવા કોઈ મોટી જવાબદારી મળી શકે છે. બોસ અથવા સિનિયર્સ સાથે તમારા સંબંધો સુધરશે અને તમારી પોઝીશન મજબૂત બનશે. લીડરશિપ પાવર વધશે અને લોકો તમારા વિચારોને ફોલો કરશે.
સિંહ રાશિ
તમારી કુંડળીમાં આ યોગ નવમા ભાવમાં બની રહ્યો છે. આ ભાવ નસીબ, ઉચ્ચ શિક્ષણ અને વિદેશ પ્રવાસનું પ્રતિનિધિત્વ કરે છે. આ યોગથી કિસ્મતની સાથ તમને મળશે. આ સમય દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે. વિદ્યાર્થીઓ અને સંશોધન સાથે જોડાયેલા લોકો માટે આ સમય ઘણો સારો સાબિત થશે. ધાર્મિક યાત્રા કે આધ્યાત્મિક ગુરુનું માર્ગદર્શન મળવાની પણ તકો બનશે.
તુલા રાશિ
આ યોગ તુલા રાશિના જાતકોની કુંડળીના સાતમા ભાવમાં બની રહ્યો છે. આ ભાવ જીવનસાથી, ભાગીદારી અને પબ્લિક ડીલિંગનું છે. વિવાહિત જીવનમાં સમજણ વધશે અને પરસ્પર વાતચીતમાં સુધારો થશે. બિઝનેસ પાર્ટનરશિપથી લાભ થશે અને નવા સોદા અથવા ટાઈ-અપ્સ બની શકે છે. જે લોકો કન્સલ્ટિંગ, કાયદા અથવા મીડિયા જેવા ક્ષેત્રોમાં છે તેમને આ સમયમાં વિશેષ લાભ મળશે.
ધન રાશિ
બુધાદિત્ય યોગ તમારી કુંડળીના પાંચમા ભાવમાં બની રહ્યો છે. આ ભાવ શિક્ષણ, બાળકો, પ્રેમ અને સર્જનાત્મકતા સાથે સંબંધિત છે. વિદ્યાર્થીઓ માટે આ સમય સમજદારી અને તીક્ષ્ણ વિચારનો રહેશે. પ્રેમ સંબંધોમાં ગેરસમજણ વાતચીત દ્વારા દૂર થશે. નવી રચનાત્મક યોજના અથવા સ્ટાર્ટઅપ માટે પણ આ યોગ્ય સમય છે.
મીન રાશિ
આ યોગ મીન રાશિના જાતકોના બીજા ભાવમાં બની રહ્યો છે. આ ભાવ ધન, વાણી અને પારિવારિક જીવન સાથે સંબંધિત છે. તેનાથી આવકના નવા સ્ત્રોત બનશે અને બચતમાં વધારો થશે. લોકો તમારી બોલવાની કુશળતાથી પ્રભાવિત થશે અને તમને તેનો લાભ પણ મળશે. ઘર-પરિવારમાં સુમેળ વધશે અને વાણીમાં મધુરતા રહેશે.
(Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવા માટે લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. Zee 24 કલાક આ વાતની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos