Chandra Gochar 2025: રાહુના નક્ષત્રમાં ચંદ્રમાનું ગોચર, 5 જાતકો માટે ખુલશે પ્રગતિના દ્વાર, પૈસાનો થશે વરસાદ

Chandra Gochar 2025 In Swati Nakshatra: ચંદ્રમા મનના કારક છે અને સૌથી ઝડપે રાશિ તથા નક્ષત્ર પરિવર્તન કરે છે. ચંદ્રમાના રાશિ કે નક્ષત્ર ગોચરની દરેક જાતકો પર શુભ-અશુભ અસર પડે છે.

ચંદ્રમાનું નક્ષત્ર પરિવર્તન

1/7
image

સવા બે દિવસ માટે પોતાની રાશિ બદલનાર ચંદ્રમા એક દિવસ માટે પોતાનું નક્ષત્ર પરિવર્તન કરે છે. દૃક પંચાગ પ્રમાણે રાહુના નક્ષત્રમાં એક દિવસ માટે ચંદ્રમા ગોચર કરશે.

સ્વાતિ નક્ષત્રમાં ગોચર

2/7
image

આજે રાત્રે 9.10 કલાકે ચંદ્રમાએ રાહુના સ્વાતિ નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. ચંદ્રમાના નક્ષત્ર પરિવર્તનની શુભ અસર પાંચ રાશિના જાતકો પર પડશે. આ જાતકોને વિશેષ લાભ થઈ શકે છે.

મેષ રાશિ

3/7
image

ચંદ્રમાનું નક્ષત્ર ગોચર મેષ રાશિના જાતકો માટે લાભદાયક સાબિત થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં પ્રગતિનો માર્ગ ખુલશે. ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાની તક મળી શકે છે. આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે. આવક વધશે અને નવી નોકરીની તક મળશે. માનસિક તણાવમાં કમી આવી શકે છે.

મિથુન રાશિ

4/7
image

મિથુન રાશિના જાતકો માટે આ સમય સારો સાબિત થઈ શકે છે. રાહુના નક્ષત્રમાં ચંદ્રમાનો પ્રવેશ આ જાતકો માટે સફળતાનું કારણ બની શકે છે. જીવનમાં સકારાત્મકતાનો પ્રવેશ થશે. વેપારીના હાથમાં સારી ડીલ આવી શકે છે. આપસી પ્રેમ વધશે. પ્રેમ સંબંધની સમસ્યાઓનો અંત આવશે.

સિંહ રાશિ

5/7
image

સ્વાતિ નક્ષત્રમાં ચંદ્રનું ગોચર સિંહ રાશિના જાતકો માટે ભાગ્યનો દરવાજો ખુલી શકે છે. અચાનક કમાણીના માર્ગ ખુલશે. માન-સન્માનમાં વધારો થશે. જીવનમાં સકારાત્મક ફેરફાર આવી શકે છે. વેપાર અને નોકરીમાં પ્રગતિનો માર્ગ ખુલશે. કરિયરમાં સફળતા અને પ્રમોશનનો યોગ બનશે.

તુલા રાશિ

6/7
image

તુલા રાશિના જાતકોને ચંદ્રમાના નક્ષત્ર પરિવર્તનથી લાબ થશે. આ જાતકોનો સારો સમય શરૂ થશે. કરિયરમાં સફળતાનો માર્ગ ખુલશે. પારિવારિક માહોલમાં સુધાર આવશે. ઘર-પરિવારમાં ખુશીઓનું આગમન થશે. નવું કામ શરૂ કરવા માટે આ સમય યોગ્ય સાબિત થઈ શકે છે. પ્રેમ સંબંધ મજબૂત બનશે.  

કુંભ રાશિ

7/7
image

કુંભ રાશિના જાતકો માટે સ્વાતિ નક્ષત્રમાં ચંદ્રનો પ્રવેશ લાભકારી સાબિત થઈ શકે છે. ચારે તરફથી જાતકોની પ્રગતિ થશે. નોકરી અને વેપારમાં લાભના દ્વાર ખુલશે. આવક વધશે. વાદ-વિવાદથી બચો. મનની શાંતિ માટે જાતક રાત્રે ચંદ્ર દર્શન કરે. જીવનસાથી સાથે મતભેદ દૂર થશે.

ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.