11 માર્ચની રાતથી બદલી જશે આ 3 રાશિઓની કિસ્મત! ચંદ્રનું નક્ષત્ર પરિવર્તન કરી દેશે માલામાલ

Chandra Gochar 2025: 11 માર્ચની રાતથી 3 રાશિઓની કિસ્મત ચમકી શકે છે. બુધ ગ્રહના નક્ષત્રમાં ચંદ્ર ગ્રહ પ્રવેશ કરશે. ચાલો જાણીએ ચંદ્ર ગોચર કઈ રાશિઓ માટે લાભદાયી રહેશે.

ચંદ્ર નક્ષત્ર પરિવર્તન

1/5
image

વૈદિક જ્યોતિષમાં જેવી રીતે શનિ ગ્રહને સૌથી ધીમી ગતિથી ચાલ બદલવા માટે જાણીતો છે. તેવી જ રીતે ચંદ્ર ગ્રહ સૌથી ઝડપી ગતિએ રાશિચક્ર અને નક્ષત્રોને બદલવા માટે જાણીતો છે. ચંદ્ર કોઈપણ નક્ષત્રમાં માત્ર 1 દિવસ રહે છે. દ્રિક પંચાંગ અનુસાર ચંદ્ર ગ્રહોના રાજકુમાર બુધના નક્ષત્રમાં ગોચર કરશે. મંગળવાર 11 માર્ચે ચંદ્ર સવારે 12:51 કલાકે આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં કઈ 3 રાશિઓ પર સકારાત્મક અસર પડી શકે છે? ચાલો જાણીએ.

મિથુન રાશિ

2/5
image

મિથુન રાશિના જાતકો માટે સમય સારો રહેશે. જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે. આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે અને સંપત્તિમાં વધારો થવાની શક્યતાઓ છે. જીવન સાથી તરફથી તમને સહયોગ મળશે. જીવનમાં ખુશીઓ આવશે. ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. મનમાં કોઈ નવું કામ શરૂ કરવાનો વિચાર આવી શકે છે. સંબંધીઓથી મુલાકાત થશે. મન પ્રસન્ન રહેશે. માન-સન્માનમાં વૃદ્ધિ થવાની સંભાવના છે.

કર્ક રાશિ

3/5
image

કર્ક રાશિના જાતકોનો આત્મવિશ્વાસ વધશે. આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે. વિદેશ જવાની તક મળી શકે છે. કોઈ પ્રસ્તાવ મળી શકે છે જેનાથી તમારું મન વધારે પ્રસન્ન રહેશે. પ્રગતિની યોગ બનશે. વ્યવસાયને વિસ્તારવા વિશે વિચારી શકો છો. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે.

કન્યા રાશિ

4/5
image

આત્મવિશ્વાસ વધવાની સાથે જ દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. અટવાયેલા રૂપિયા પરત મેળવી શકશો. વેપારમાં પ્રગતિ થઈ શકે છે. પરિવાર સાથે ક્યાંક ફરવા જવાનો પ્લાન બની શકે છે. પરસ્પર મતભેદો દૂર થશે. ચંદ્રની કૃપાથી મન શાંત રહેશે. કોઈ જૂના મિત્રને મળી શકો છો. ધીરજથી કામ લેવું ફાયદાકારક રહેશે. સંપત્તિમાં વૃદ્ધિ સાથે આર્થિક સ્થિતિમાં સુધારો થશે.

5/5
image

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.