Horoscope 28 July 2021: આ જાતકોને આજે આકસ્મિક ધનલાભના યોગ, સિંહ-ધનુવાળા સાવધ રહેજો

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ. 

Horoscope 28 July 2021 (By Astro Friend Chirag – Son of Astrologer Bejan Daruwalla): ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ. 

1/13
image

મેષ: ગણેશજી કહે છે, આજે ક્ષેત્રમાં યોગ્યતા વિકસાવવાથી લાભ થશે અને નવી તકો પણ મળશે. સમાજ સુધારણા માટે કેટલાક કામ કરશો અને લોકોને મદદ કરવાથી માનસિક શાંતિ પણ પ્રાપ્ત થશે. લવ લાઇફ માટે દિવસ ઉત્તમ રહેશે અને કેટલાક નવા લોકોને મળવામાં આનંદ થશે.   

2/13
image

વૃષભ: ગણેશજી કહે છે, આજે કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ અને મહત્વ વધી શકે છે. આજે તમે કોઈ સામાજિક સંગઠનમાં ઉચ્ચ પદ પર જઈ શકો છો, જે તમારી પ્રતિષ્ઠામાં વધારો કરશે. ધંધામાં આકસ્મિક લાભ થવાની સંભાવના છે. પરિવારમાં કોઈ શુભ અથવા ધાર્મિક કાર્યોની ચર્ચા થઈ શકે છે.     

3/13
image

મિથુન: ગણેશજી કહે છે, આજે નોકરી કરનારા લોકો અથવા ધંધાકીય લોકોને સરકાર દ્વારા કોઈ સન્માન અથવા ઈનામ મળી શકે છે. આજે તમારા દ્વારા કરવામાં આવેલ કાર્યોની સમાજમાં પ્રશંસા થશે અને લોકો દ્વારા તમારા કાર્યોની પ્રશંસા કરવામાં આવશે. ગુરુ પ્રત્યેની ભક્તિ અને આદર જાગૃત થશે.   

4/13
image

કર્ક: ગણેશજી કહે છે, ઓફિસનું વાતાવરણ થોડું ગંભીર રહેશે, જેનાથી તમે મુશ્કેલી અનુભવો છો. વાતાવરણને જીવંત બનાવવાનો પ્રયત્ન કરશો, પરંતુ સાથીદારોનો ટેકો મુશ્કેલ બનશે. આકસ્મિક રીતે લાભની ડીલ મેળવીને પૈસાની આવક થશે. ધંધો આજે વધારે સારો નહીં રહે, છતાં દૈનિક ખર્ચ સરળતાથી નીકળશે.  

5/13
image

સિંહ: ગણેશજી કહે છે, આજે તમે તમારા પરિવારના સભ્યો સાથે ચર્ચા કરી શકો છો. તમારે ધીરજ રાખવી જોઈએ. આજે દુશ્મન તમારા પર હાવી થઈ શકે છે. આ માટે તમારે સાવધાન રહેવાની જરૂર છે. આજે તમે તમારી કાર્યક્ષમતાથી કોઈપણ સમસ્યાનું સમાધાન લાવવા માટે સક્ષમ હશો.     

6/13
image

કન્યા: ગણેશજી કહે છે, આજનો દિવસ ખુશીથી ભરપૂર રહેશે. ઓફિસમાં તમારા સાથીઓ થોડા હળવા મૂડમાં રહેશે અને કામ કરવાની ઇચ્છા પણ દર્શાવશે. તમને સર્જનાત્મક કાર્ય કરવાની તક પણ મળશે, જેથી તમે તમારામાં છુપાયેલી પ્રતિભા બહાર નીકાળવા પ્રયત્ન કરી શકશો અને સફળતા મેળવશો.   સિંહ: ગણેશજી કહે છે, આજે તમે તમારા પરિવારના સભ્યો સાથે ચર્ચા કરી શકો છો. તમારે ધીરજ રાખવી જોઈએ. આજે દુશ્મન તમારા પર હાવી થઈ શકે છે. આ માટે તમારે સાવધાન રહેવાની જરૂર છે. આજે તમે તમારી કાર્યક્ષમતાથી કોઈપણ સમસ્યાનું સમાધાન લાવવા માટે સક્ષમ હશો.     

7/13
image

તુલા: ગણેશજી કહે છે, આજે સવારથી તમારો મૂડ સારો રહેશે. તમે ધંધામાં મોટા ફાયદા માટે દિવસભર દોડશો. પરિવારના વરિષ્ઠ સભ્યો સાથે ભાવિ યોજનાઓની ચર્ચા કરશો. જીવનસાથી સાથે સારો સમય પસાર કરો. સમાજ સુધારણા માટે કેટલાક કામ કરશો અને લોકોને મદદ કરવાથી માનસિક શાંતિ પણ પ્રાપ્ત થશે.   

8/13
image

વૃશ્ચિક: ગણેશજી કહે છે, આજે તમને ધંધા અને ક્ષેત્રમાં સફળતા મળવાની સંભાવના છે. આજે તમારા મહત્વપૂર્ણ કાર્ય પૂરા થઈ શકે છે. રાજકીય ક્ષેત્રે આજે તમને ઉચ્ચ પદ મળી શકે છે. આજે તમને લાંબા સમયથી અટકેલા પૈસા મળી શકે  છે. ખોવાયેલી વસ્તુ મળી શકે છે. તમે સામાજિક અથવા રાજકીય કાર્યમાં વ્યસ્ત રહી શકો છો. 

9/13
image

ધનુ: ગણેશજી કહે છે, આજે તમારો દિવસ વ્યાવસાયિક કાર્યોથી ઘેરાયેલો રહેશે. વ્યવસાય અથવા કાર્યસ્થળમાં ઘણા પ્રકારના વિવાદો રહેશે. જેને તમારે સમજદારીપૂર્વક ઉકેલવી જોઈએ. પરિવારમાં કોઈ જૂની વાત કે ગુપ્ત શત્રુના કારણે બેચેનીનું વાતાવરણ રહેશે.   

10/13
image

મકર: ગણેશજી કહે છે, આજે તમે આત્મવિશ્વાસથી ભરેલા રહેશો, જેથી તમે તમારા હરીફો પર પ્રભુત્વ મેળવશો. આજે ધંધા અને ક્ષેત્રમાં જંગી લાભ અને પ્રગતિના કારણે તમારો આત્મવિશ્વાસ વધશે. સંતાન તરફથી કોઈ શુભ માહિતી મળી શકે છે. તમારા કેટલાક મિત્રો અથવા સંબંધીઓ તમારી ગુપ્ત બાબતોને જાણવાનો પ્રયત્ન કરશે.  

11/13
image

કુંભ: ગણેશજી કહે છે, વ્યવસાય અથવા નોકરી કરતા લોકોએ કોઈ એવું કાર્ય ના કરવું જોઈએ જે બીજા માટે જોખમી હોય. સંકટમાંથી બહાર આવવા માટે તમારે ધૈર્યથી કામ કરવું જ જોઇએ. દૈનિક વેપારમાં સખત મહેનત પછી લાભની અપેક્ષા છે. પારિવારિક વ્યવસાયમાં કોઈ ડીલને અંતિમ સ્વરૂપ આપવા ખૂબ કાળજી લેવાની જરૂર છે.   

12/13
image

Daily Horoscope 28 July 2021: આ 6 રાશિના જાતકો માટે આજે ભારે ઉથલપાથલવાળો દિવસ, જાણો#DailyHoroscope #Astrology #ZEE24Kalak pic.twitter.com/wo8IBp1UdW

— Zee 24 Kalak (@Zee24Kalak) July 28, 2021

13/13
image

મીન: ગણેશજી કહે છે, લાંબા સમયથી ચાલતી શંકાસ્પદ સમસ્યાઓનો અંત આવશે. જે તમને માનસિક તણાવથી મુક્તિ આપશે. લાંબા સમયથી કામકાજમાં જે અવરોધ સર્જાયો હતો તેનો અંત આવશે. જ્ઞાન અને કળાથી સંબંધિત ક્ષેત્રોમાં તમામ પ્રયત્નો સફળ જોવા મળશે.