એક સમયે હિન્દુઓથી ભરેલું હતું કાશ્મીર, તો પછી ક્યાંથી આવ્યા મુસ્લિમ? કેમ લગાવે છે બ્રાહ્મણની અટક

Written ByViral Raval
Published: Apr 29, 2025, 11:09 AM IST|Updated: Apr 29, 2025, 11:09 AM IST

Kashmir Conflict: કાશ્મીરની મૂળ વસ્તી ઈસ્લામના પ્રવેશ પહેલા હિન્દુ હતી. પછી આ સમગ્ર વસ્તી કેવી રીતે મુસ્લિમ ધર્મમાં ફેરવાઈ ગઈ. આ વિશે ખાસ જાણવા જેવું છે. 

1/9

અત્રે જણાવવાનું કે કાશ્મીર વૈદિક કાળથી હિન્દુ ધર્મનું કેન્દ્ર હતું. નીલમત પુરાણ અને રાજતરંગિણી જેવા પ્રાચિન ગ્રંથોમાં કાશ્મીરના  હિન્દુ શાસકો અને ધાર્મિક પરંપરાઓનું વર્ણન મળે છે. કાશ્મીરમાં શિવપૂજા અને વૈષ્ણવ પરંપરાઓનો પ્રભાવ હતો. 

પછી  બૌદ્ધ ધર્મએ પોતાનો પ્રભાવ સ્થાપિત કર્યો2/9

પછી બૌદ્ધ ધર્મએ પોતાનો પ્રભાવ સ્થાપિત કર્યો

અશોકના શાસનકાળમાં બૌદ્ધ ધર્મએ કાશ્મીરમાં પોતાનો પ્રભાવ સ્થાપિત કર્યો. કાશ્મીર બૌદ્ધ વિદ્વાનો અને યુનિવર્સિટીઓનું કેન્દ્ર બની ગયું. અહીંથી બૌદ્ધ ધર્મને એશિયાના અન્ય ભાગોમાં ફેલાવવામાં આવ્યો. 

13મી સદી બાદ આવ્યો ઈસ્લામ3/9

13મી સદી બાદ આવ્યો ઈસ્લામ

ત્યારબાદ 13મી શતાબ્દી પછી ઈસ્લામ ધર્મએ કાશ્મીરમાં પ્રવેશ કર્યો. સૈય્યદ અને સૂફી સંતોએ ઈસ્લામના પ્રચારમાં મહત્વની ભૂમિકા ભજવી. ધીરે ધીરે સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તનના કારણે મોટી સંખ્યામાં લોકો ઈસ્લામ ધર્મ અપનાવવા લાગ્યા. 

મુસ્લિમ શાસન અને ધર્મ પરિવર્તનનો પ્રભાવ4/9

મુસ્લિમ શાસન અને ધર્મ પરિવર્તનનો પ્રભાવ

14મી સદીમાં સુલ્તાન સિકંદર બુતશિકતના સમયે મોટા પાયે હિન્દુઓ પર ધર્મ પરિવર્તન કે પલાયનનું દબાણ આવ્યું. અનેક બ્રાહ્મણોએ ઈસ્લામ ધર્મનો સ્વીકાર કર્યો. પરંતુ પોતાની સામાજિક ઓળખ જેમ કે પંડિત, ભટ, લોન, ગની ઉપનામ જાળવી રાખ્યા.   

કાશ્મીરી પંડિતોનો ઈતિહાસ5/9

કાશ્મીરી પંડિતોનો ઈતિહાસ

કાશ્મીરી પંડિતોને કાશ્મીરી બ્રાહ્મણો તરીકે ઓળખવામાં આવતા હતા. જે કાશ્મીર હિન્દુઓનું એક ગ્રુપ હતું. મુખ્ય રીતે આ કાશ્મીરી ઘાટીના પાંચ ગૌડા બ્રાહ્મણ સાથે સંબંધ ધરાવતા હતા. 

ધર્મ પરિવર્તન બાદ પણ પંડિત સરનેમ6/9

ધર્મ પરિવર્તન બાદ પણ પંડિત સરનેમ

કાશ્મીરમાં આજે પણ એવો મુસ્લિમ સમુદાય છે જે પોતાના નામ સાથે પંડિત કે પછી અન્ય પરંપરાગત બ્રાહ્મણ ઉપનામ લગાવે છે. તેમને મુસ્લિમ પંડિત કે પંડિત શેખ પણ કહેવામાં આવે છે.   

કાશ્મીરમાં મુસ્લિમ પંડિતોની વસ્તી7/9

કાશ્મીરમાં મુસ્લિમ પંડિતોની વસ્તી

કાશ્મીરમાં મુસ્લિમ પંડિતોની વસ્તી લગભગ 50,000 હશે. આ એ મુસલમાનો છે જેમણે ઈસ્લામ કબૂલ્યો હતો. પરંતુ પોતાની જાતિગત અને સામાજિક ઓળખ જાળવી રાખી. 

બહારી હુમલા અને કાશ્મીરની સંસ્કૃતિ8/9

બહારી હુમલા અને કાશ્મીરની સંસ્કૃતિ

વારંવાર હુમલા અને વિશ્વાસઘાતના કારણે કાશ્મીરની સંસ્કૃતિ પર પ્રભાવ પડ્યો. પંડિતો વગર કાશ્મીરની સંસ્કૃતિ વિશે વિચારી પણ ન શકાય. બનવાસી કાશ્મીરી પંડિત, મલમાસી પંડિત, બુહિર કાશ્મીરી પંડિત અને મુસ્લિમ કાશ્મીરી પંડિત જેવા વિવિધ પ્રકારના કાશ્મીરી પંડિત છે.   

વારસો અને ઓળખ બન્યો મહત્વપૂર્ણ હિસ્સો9/9

વારસો અને ઓળખ બન્યો મહત્વપૂર્ણ હિસ્સો

અત્રે જણાવવાનું કે કાશ્મીરી પંડિતોનો વારસો અને ઓળખ કાશ્મીરની સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. તેમની ધાર્મિક ઓળખ અને સાંસ્કૃતિક પરંપરાઓ આજે પણ જીવિત છે.