સુપર કોમ્પ્યુટરે જણાવી ધરતી ખતમ થવાની છેલ્લી તારીખ, NASAથી લઈ જાપાની વૈજ્ઞાનિકો સુધીની ઉંડી ગઈ ઊંઘ!

Written ByDIPAK CHAVDA
Published: May 19, 2025, 07:46 PM IST|Updated: May 19, 2025, 07:46 PM IST

Final Date Of Earth Destruction: પૃથ્વીનો અંત ક્યારે થશે? જ્યારે સુપર કોમ્પ્યુટરને આ પ્રશ્નનો જવાબ પૂછવામાં આવ્યો, ત્યારે જે ભવિષ્યવાણી સામે આવી તેણે આખી દુનિયાને હચમચાવી નાખી. આ ડરામણી ગણતરી વિશે વૈજ્ઞાનિકોએ પણ વિચારવાનું શરૂ કરી દીધું છે.

ધરતીના અંતની તારીખ1/10

ધરતીના અંતની તારીખ

જાપાનની તોહો યુનિવર્સિટી અને નાસાએ મળીને સુપર કોમ્પ્યુટર સિમ્યુલેશન દ્વારા એક મોટો ખુલાસો કર્યો છે. આ સંશોધનથી જાણવા મળ્યું છે કે, એક અબજ વર્ષ પછી ધરતી પર ઓક્સિજન ખતમ થઈ જશે. ઓક્સિજન વિના જીવન અશક્ય બની જશે અને ધરતી રહેવા યોગ્ય રહેશે નહીં. આ સમાચાર સાંભળીને વૈજ્ઞાનિકોની પણ ઊંઘ ઉડી ગઈ છે.

ચોંકાવનારા પરિણામો2/10

ચોંકાવનારા પરિણામો

સંશોધકોએ 400,000 સિમ્યુલેશન ચલાવીને ધરતીના વાયુમંડળના ભવિષ્યનું મોડલ બનાવ્યું છે. જેમ-જેમ સૂર્ય જૂનો થશે તેમ તેમ તે ગરમ અને ચમકીલો થતો જશે. આનાથી ધરતીનું તાપમાન વધશે અને પાણી બાષ્પીભવન થશે. આ પરિવર્તન ધરતી પરના જીવન માટે સૌથી મોટો ખતરો બની જશે.

ઓક્સિજન3/10

ઓક્સિજન

સૂર્યની વધતી ગરમી કાર્બન ચક્રને કમજોર કરી દેશે, જેનાથી છોડનો નાશ થઈ જશે. છોડ ખતમ થવાથી ઓક્સિજનનું ઉત્પાદન સંપૂર્ણપણે બંધ થઈ જશે. પૃથ્વીનું વાયુમંડળ મિથેનથી ભરાઈ જશે. જેમ કે, મહાન ઓક્સિડેશન પહેલા હતું. આ સ્થિતિ પૃથ્વીને જીવન માટે સંપૂર્ણપણે અયોગ્ય બનાવશે.

પ્રોફેસર કાઝુમી ઓઝાકી4/10

પ્રોફેસર કાઝુમી ઓઝાકી

તોહો યુનિવર્સિટીના પ્રોફેસર કાઝુમી ઓઝાકીએ જણાવ્યું કે, આ શોધ સૌર તેજ અને ભૂ-રાસાયણિક ચક્ર પર આધારિત છે. પહેલાના વૈજ્ઞાનિકો માનતા હતા કે પૃથ્વી પરનું જીવન બે અબજ વર્ષમાં ખતમ થઈ જશે. પરંતુ નવા સિમ્યુલેશન્સ દર્શાવે છે કે આ ફક્ત એક અબજ વર્ષમાં થઈ શકે છે. આ શોધ વૈજ્ઞાનિકો માટે એક મોટો ઝટકો છે.

નવી શોધ5/10

નવી શોધ

અગાઉના મોડલમાં કહેવામાં આવ્યું હતું કે, ઓક્સિજનની કમી ધીમે ધીમે થશે. પરંતુ આ નવું સિમ્યુલેશન તીવ્ર અને અચાનક ફેરફારોની ભવિષ્યવાણી કરે છે. એક અબજ વર્ષોમાં ઓક્સિજનનું પ્રમાણ ઝડપથી ઘટી શકે છે. આનો અર્થ એ થયો કે પૃથ્વી અગાઉના અંદાજ કરતાં વહેલા રહેવાલાયક નહીં રહે.

CO2ની કમી6/10

CO2ની કમી

જેમ જેમ સૂર્યની ગરમી વધશે તેમ તેમ CO2નું સ્તર ઝડપથી ઘટશે. CO2 ના અભાવના કારણે છોડ પ્રકાશ સંશ્લેષણ કરી શકશે નહીં અને મૃત્યુ પામશે. આ પછી ઓક્સિજન ઉત્પન્ન થવાનું બંધ થઈ જશે, જે જીવન માટે જરૂરી છે. આ પ્રક્રિયા પૃથ્વીને બંજર ગ્રહમાં ફેરવી દેશે.

જીવન તો રહેશે7/10

જીવન તો રહેશે

પ્રોફેસર ઓઝાકીએ કહ્યું કે, કેટલાક સુક્ષ્મસજીવો ઓક્સિજન ખતમ થયા પછી પણ જીવિત રહી શકે છે. પરંતુ આ જીવન આજના જીવન કરતાં બિલકુલ અલગ હશે. આ બદલાયેલા વાતાવરણમાં મનુષ્ય, પ્રાણીઓ અને છોડ જેવા જટિલ જીવન સ્વરૂપો ટકી શકશે નહીં. આ પરિવર્તન પૃથ્વીની સમગ્ર જૈવવિવિધતાનો નષ્ટ કરી દેશે.

નેચર જીઓસાયન્સ8/10

નેચર જીઓસાયન્સ

આ આશ્ચર્યજનક શોધ નેચર જીઓસાયન્સ જર્નલમાં પ્રકાશિત થઈ છે. તેનું શીર્ષક છે, પૃથ્વીના ઓક્સિજનયુક્ત વાતાવરણનું ભવિષ્યનું જીવનકાળ. આ શોધમાં જણાવવામાં આવ્યું કે, ઓક્સિજન સ્તર અગાઉના અંદાજ કરતાં વહેલા ખતમ થઈ જશે. આ શોધ વૈજ્ઞાનિકોને પૃથ્વીના ભવિષ્ય વિશે નવેસરથી વિચારવા માટે મજબૂર કરી રહી છે.

સૂર્ય અને પૃથ્વી9/10

સૂર્ય અને પૃથ્વી

પ્રોફેસર ઓઝાકીએ સ્પષ્ટ કર્યું કે, આ પરિવર્તન સૂર્ય અને પૃથ્વીના પ્રાકૃતિક ચક્રને કારણે થશે. સૂર્યની વધતી ગરમી અને તેજ પૃથ્વીના વાયુમંડળમાં બદલાવ લાવશે. આ પ્રક્રિયા માનવ અસ્તિત્વથી ખૂબ જ આગળ છે, પરંતુ તે આપણને જીવનની નાજુકતાને સમજવામાં મદદ કરે છે. આ શોધ બાહ્ય ગ્રહો પર જીવનની શોધમાં પણ મદદ કરી શકે છે.

આપણે અંત જોઈ શકશું નહીં10/10

આપણે અંત જોઈ શકશું નહીં

આ ભવિષ્ય માનવજાતના વર્તમાન સમયથી ખૂબ દૂર છે, એટલે કે આપણે આ અંત જોઈ શકીશું નહીં. પરંતુ આ શોધ આપણને પૃથ્વી પર જીવનનું મહત્વ સમજાવે છે. આ બતાવે છે કે, ઓક્સિજન અને પ્રકૃતિનું સંતુલન કેટલું મહત્વપૂર્ણ છે. વૈજ્ઞાનિકો કહે છે કે, આ શોધ આપણને પર્યાવરણ બચાવવા માટે પ્રેરણા આપે છે.