Pension Rule Update: હવે બદલાઈ ગયો સરકારી કર્મચારીઓના પેન્શનની ગણતરીનો નિયમ, લાખો લોકોને મળશે ફાયદો

Written ByDIPAK CHAVDA
Published: May 21, 2025, 06:18 PM IST|Updated: May 21, 2025, 06:18 PM IST

Good News For Govt Employees: અત્યાર સુધી 31 ડિસેમ્બર સુધી કામ કરતા કર્મચારીના પેન્શનની ગણતરી 1 જુલાઈના પગારના આધારે કરવામાં આવતી હતી. જેના કારણે તેમને આર્થિક નુકસાન સહન કરવું પડતું હતું. પરંતુ હવે નવા નિયમોના આધારે કર્મચારીઓને નોશનલ ઈન્ક્રીમેન્ટ મળશે.

Pension Rules Update1/7

Pension Rules Update

કેન્દ્રીય કર્મચારીઓ દ્વારા લાંબા સમયથી NPS નાબૂદ કરવા અને જૂની પેન્શન પુનઃસ્થાપિત કરવાની માંગ કરવામાં આવી રહી હતી. પરંતુ સરકારે વચ્ચેનો માર્ગ કાઢીને યુનિફાઇડ પેન્શન સિસ્ટમ (UPS) લાગુ કરી છે. હવે લાખો કેન્દ્રીય કર્મચારીઓના ફાયદાને ધ્યાનમાં રાખીને કર્મચારી અને તાલીમ વિભાગ (DoPT) દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફાયદો એવા કર્મચારીઓને મળશે જે વાર્ષિક ઈન્ક્રીમેન્ટના એક દિવસ પહેલા એટલે કે 30 જૂન અથવા 31 ડિસેમ્બરના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. નવા નિયમો પછી તેમને પેન્શનની ગણતરી માટે નોશનલ ઈન્ક્રીમેન્ટ (notional increment) મળશે. આની સીધી અસર તેમના પેન્શન પર પડશે.

સરળ ભાષામાં સમજો2/7

સરળ ભાષામાં સમજો

હાલમાં 7મા પગાર પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓના DAમાં વર્ષમાં બે વાર વધારો થાય છે. પહેલો નિયમ 1 જાન્યુઆરીથી અમલમાં આવે છે અને બીજો નિયમ 1 જુલાઈથી અમલમાં આવે છે. પરંતુ કર્મચારીઓની નિવૃત્તિ 31 ડિસેમ્બર અને 30 જૂને થાય છે. આવી સ્થિતિમાં નિવૃત્ત થતા કર્મચારીઓ 1 જાન્યુઆરી અને 1 જુલાઈથી લાગુ થતા લાભોથી વંચિત રહેતા હતા. પરંતુ હવે કર્મચારીઓને DA વધારાના લાભ નોશનલ ઇન્ક્રીમેન્ટ દ્વારા આપવામાં આવશે.

શા માટે જરૂરી હતો બદલાવ?3/7

શા માટે જરૂરી હતો બદલાવ?

સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (સુધારેલા પગાર) નિયમ 2006 હેઠળ 1 જુલાઈ વાર્ષિક ઈન્ક્રીમેન્ટની તારીખ નક્કી કરવામાં આવી હતી. બાદમાં 2016માં નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા અને 1 જાન્યુઆરી અને 1 જુલાઈના આધારે બે ઈન્ક્રીમેન્ટ વધારા નક્કી કરવામાં આવ્યા હતા. પરંતુ આમાં 30 જૂન અથવા 31 ડિસેમ્બરે નિવૃત્ત થનારા કર્મચારીઓ માત્ર એક દિવસનો પગાર વધારો ચૂકી જતા હતા. આની અસર તેમના પેન્શનની રકમ પર પડતી હતી. આ મામલે 2017માં મદ્રાસ હાઈકોર્ટના એક ચુકાદા બાદ ધ્યાન ખેંચ્યું હતું. આમાં એક કર્મચારીને પેન્શન માટે નોશનલ ઈન્ક્રીમેન્ટ આપવામાં આવ્યો હતો.

DoPTએ જાહેર કર્યું ઓફિસ મેમોરેન્ડમ4/7

DoPTએ જાહેર કર્યું ઓફિસ મેમોરેન્ડમ

વર્ષ 2017 બાદ ઘણા કર્મચારીઓએ આ મામલો કોર્ટ અને ટ્રિબ્યુનલ સમક્ષ ઉઠાવ્યો. 2023માં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે, આવા કર્મચારીઓને સંપૂર્ણ વર્ષની સેવા અને સારા પ્રદર્શનના આધારે નોશનલ ઇન્ક્રીમેન્ટ મળવું જોઈએ. આ પછી 2024માં આ નિર્ણય અન્ય સમાન કેસોમાં પણ લાગુ કરવામાં આવ્યો. હવે DoPT દ્વારા 20 મે 2025ના રોજના ઓફિસ મેમોરેન્ડમના આધારે લાભનો આ નિયમ તમામ પાત્ર કેન્દ્રીય કર્મચારીઓ માટે લાગુ કરવામાં આવ્યો છે.

આ કર્મચારીઓને મળશે ફાયદો5/7

આ કર્મચારીઓને મળશે ફાયદો

DoPTના મેમોરેન્ડમ અનુસાર જે કર્મચારીઓની નિવૃત્તિ 30 જૂન અથવા 31 ડિસેમ્બરે થાય છે. તેમને 1 જુલાઈ અથવા 1 જાન્યુઆરીએ થનારા ઈન્ક્રીમેન્ટ પેન્શન ગણતરી માટે વધારો મળશે. આ લાભ ફક્ત ત્યારે જ મળશે જો કર્મચારીએ નિવૃત્તિ સુધી જરૂરી સેવા પૂર્ણ કરી હોય અને તેનું કાર્ય અને આચરણ સંતોષકારક હોય. નોશનલ ઈન્ક્રીમેન્ટ ફક્ત પેન્શનની ગણતરી માટે જ હશે; અન્ય કોઈ નિવૃત્તિ લાભ ઉપલબ્ધ રહેશે નહીં.

પેન્શનની ગણતરી કેવી રીતે કરવામાં આવશે?6/7

પેન્શનની ગણતરી કેવી રીતે કરવામાં આવશે?

પેન્શનની ગણતરી કર્મચારીના છેલ્લા બેઝિક પગાર અને સર્વિસ પીરિયડના આધારે કરવામાં આવે છે. આ વાત સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (પેન્શન) નિયમ 2021માં જણાવવામાં આવી છે. ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારી 30 જૂને 79,000 રૂપિયાના પગાર સાથે નિવૃત્ત થાય છે અને 1 જુલાઈના રોજ 2,000 રૂપિયાનો પગાર વધારો મેળવવાનો હતો, તો પેન્શનની ગણતરી 79,000 રૂપિયાના પગાર પર નહીં પણ 81,000 રૂપિયાના પગાર પર આધારિત હશે.

લાખો કેન્દ્રીય કર્મચારીઓને થશે ફાયદો7/7

લાખો કેન્દ્રીય કર્મચારીઓને થશે ફાયદો

નોશનલ ઈન્ક્રીમેન્ટ ફક્ત માસિક પેન્શનની ગણતરી માટે જ કરવામાં આવશે. આ અન્ય રિટાયરમેન્ટ બેનિફિટ જેમ કે, ગ્રેચ્યુઇટી, લીવ એન્કેશમેન્ટ, પેન્શન કમ્યુટેશન વેલ્યુ, અર્નડ લીવ અથવા હાફ પે લીવનું એન્કેશમેન્ટ અને ગ્રુપ વીમા યોજનાના પેમેન્ટ પર લાગુ પડશે નહીં. તેમની ગણતરી કર્મચારીના વાસ્તવિક છેલ્લા પગાર પર આધારિત હશે. નિયમોમાં ફેરફારથી લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓને ફાયદો થશે. આ તેમના આખા વર્ષના યોગદાનનું સન્માન કરે છે અને નિવૃત્તિ પછી તેમના પેન્શનમાં વધારો કરે છે.