ગુજરાત સહિત દેશમાં કેવું રહેશે આગામી ચોમાસું? ક્યાં મહિનામાં વરસાદ ભુક્કા બોલાવશે? શું કહે છે આ સચોટ આગાહી
Gujarat Weather Update: ગુજરાતના ખેડૂતો સહિત સમગ્ર દેશના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. વાસ્તવમાં એવો અંદાજ છે કે આ વર્ષે ચોમાસાનો વરસાદ સારો થઈ શકે છે. એવી આશા બંધાઈ છે કે જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ચોમાસાની સિઝનમાં સરેરાશ કરતાં ત્રણ ટકા વધુ વરસાદ પડી શકે છે. હિંદ મહાસાગરની આબોહવાની પેટર્ન પણ અનુકૂળ દેખાય છે જે ચોમાસાના વરસાદ માટે મદદરૂપ સાબિત થશે.
ખેડૂતો અને દેશની અર્થવ્યવસ્થા માટે સારા સમાચાર છે કે આ વખતે ચોમાસાનો વરસાદ સારો થવાનો છે. જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ચોમાસાની સિઝનમાં સરેરાશ કરતાં ત્રણ ટકા વધુ વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન, સમગ્ર ભારતમાં સરેરાશ 868.6 મીમી વરસાદ પડે છે, પરંતુ આ વર્ષે અંદાજે 895 મીમી જેટલો વરસાદ પડશે.
ખાનગી હવામાન મોનિટરિંગ એજન્સી સ્કાયમેટે તેની તાજેતરની આગાહીમાં કહ્યું છે કે પેસિફિક મહાસાગરમાં તટસ્થ સ્થિતિ છે. લા નીના નોંધપાત્ર રીતે નબળું પડી ગયું છે અને આગામી ચાર મહિના દરમિયાન અલ નીનો વિકસિત થવાની કોઈ શક્યતા નથી.
આ વર્ષે પડશે ભારે વરસાદ
હિંદ મહાસાગરની આબોહવાની પેટર્ન પણ અનુકૂળ દેખાય છે, જે ચોમાસાના વરસાદ માટે મદદરૂપ સાબિત થશે. ચોમાસા દરમિયાન સારો વરસાદ ખેતીમાં મદદરૂપ થાય છે. આ સમય દરમિયાન, ખરીફ પાકની વાવણી અને વાવેતર થાય છે. ભૂગર્ભજળનું સ્તર પણ વધે છે, જેના કારણે આખા વર્ષ દરમિયાન પીવાના પાણીની અછત રહેતી નથી.
આગાહીના 96 થી 104 ટકા સુધીનો વરસાદ સામાન્ય માનવામાં આવે છે. 103 ટકા મતલબ કે ચાર મહિના દરમિયાન સારો વરસાદ થશે. જોકે, તેમાં પાંચ ટકા સુધીનો તફાવત હોઈ શકે છે. આનો અર્થ એ છે કે સામાન્ય કરતાં પાંચ ટકા ઓછો અથવા વધુ વરસાદ પડી શકે છે.
ક્યારે આવશે ભારતના દરિયાકાંઠે ચોમાસું?
સ્કાયમેટનો અંદાજ છે કે 96 ટકાથી નીચેનો કોઈ ઘટાડો થવાની શક્યતા બહુ ઓછી છે. દેશના પશ્ચિમ કાંઠા અને મધ્ય ભાગોમાં સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા છે. જમ્મુ-કાશ્મીર અને ઉત્તર-પૂર્વીય રાજ્યોની સાથે પર્વતીય વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થઈ શકે છે.
ચોમાસું ભારતના દરિયાકાંઠે ક્યારે ટકરાશે તેનો હજુ અંદાજ લગાવી શકાય તેમ નથી. પરંતુ ચોમાસું કેરળ થઈને પ્રવેશે છે, જ્યાં તે સામાન્ય રીતે 1 જૂને સક્રિય થાય છે. પછી ધીમે ધીમે દક્ષિણ ભારતીય રાજ્યોમાંથી આગળ વધીને, તે બંગાળની ખાડીની મદદથી મધ્ય અને ઉત્તર ભારત તરફ આગળ વધે છે. આખરે તે દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ફેલાય છે.
ચોમાસું ક્યારે ભારતીય દરિયાકાંઠે પહોંચશે
સ્કાયમેટે ચોમાસાના મુખ્ય મહિના દરમિયાન કેટલાક વિસ્તારોમાં સરેરાશથી ઓછા વરસાદની આગાહી પણ કરી છે, પરંતુ મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું સામાન્ય રહેવાનું છે. જૂનમાં ચોમાસાની ગતિ થોડી ધીમી પડી શકે છે, કારણ કે લા-નીનાની અસર થોડા દિવસો સુધી રહી શકે છે. જૂનમાં સરેરાશ કરતાં ચાર ટકા ઓછો વરસાદ પડી શકે છે, પરંતુ આવતા મહિનાથી વરસાદની ઝડપ વધશે. જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સરેરાશથી વધુ વરસાદ પડશે. ઓગસ્ટમાં આઠ ટકા વધુ વરસાદ પડી શકે છે. આ મહિનો ખેતીવાડી માટે વધુ અનુકૂળ છે.
અંબાલાલ પટેલે કહ્યું કે, એપ્રિલમાં ભારે પવનના તુફાનો અને આંધી વંટોળનું વાતાવરણ રહેશે. 14 એપ્રિલથી બંગાળાના ઉપસાગરમાં વાવાઝોડાની શરૂઆત થશે. 10 થી 18 મે સુધીમાં આરબ દેશોમાંથી આવતી આંધી તુફાનો થવાની શક્યતા છે. જેની અસરને પગલે કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી શક્યતા છે. 4 જૂન સુધીમાં રોહિણી નક્ષત્રનો વરસાદ કેટલાક ભાગોમાં થવાની શક્યતા છે. અરબી સમુદ્રમાં પણ વરસાદની શક્યતા છે.
તેમણે જણાવ્યું કે, બંગાળ સાગરમાં સીઝનનું પ્રથમ સાઇક્લોન હળવા પ્રકારનું બનશે. અરબ સાગરના ભેજના કારણે 10 એપ્રિલ સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં હવામાનમાં પલટો આવશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં જેમ કે નવસારી,સુરત આસપાસના ભાગોમાં હવામાનમાં પલટો આવશે. દક્ષિણ સૌરાષ્ટ્ર, ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલ્ટો આવશે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભીષણ ગરમીએ લોકોને અકળાવ્યા છે. ગુજરાતમાં હજુ ગરમી વધવાની આગાહી કરાઈ કરાઈ છે. તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર જવાની શક્યતા છે. રાજ્યના નવ શહેરોમાં સોમવારે 40 ડિગ્રીથી વધુ તાપમાન પહોંચી ગયું છે. આગામી 3 દિવસ ગરમીનું પ્રમાણ યથાવત રહેશે. આ વચ્ચે આજે કચ્છમાં ગરમીનું રેડ અલર્ટ આપવામાં આવ્યું છે.
Trending Photos