દક્ષિણ ગુજરાતમાં ભયાનક પૂરની સ્થિતિ આવશે! 100 કિ.મીની ઝડપે ફૂંકાશે તોફાની પવન, બે વાવાઝોડા ગુજરાતને ઘમરોળશે!
Gujarat HeavyRains: ગુજરાત પર વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે. ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કરી છે. આજથી અરબી સમુદ્રમાં સિસ્ટમ એક્ટિવ થશે, જે કર્ણાટક કાંઠા પાસે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળશે. વાવાઝોડું ગુજરાત તરફ ફંટાશે ભારે અને તોફાની વરસાદની શક્યતા રહેલી છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાાઝોડાની અસર થઈ શકે છે. આગામી 28 મે બાદ બીજી સિસ્ટમ સક્રિય થવાની અંબાલાલ પટેલની આગાહી. દક્ષિણ પૂર્વ તટો પર ભારે વરસાદની શક્યતાઓ. 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન. 10 જૂન આસપાસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા. 20 જૂને ગુજરાતના ઘણા ભાગોમાં પડી શકે ભારે વરસાદ.
ગુજરાતમાં નૈઋત્યા ચોમાસાનું આગમન થાય તે પહેલા જ વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ક્યાંક છુટાછવાયા તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ચાર પાંચ દિવસમાં નૈઋત્યનું ચોમાસું કેરળ પહોંચી જાય તેવી શક્યતા છે. તેની અસર ગુજરાત પર પણ જોવા મળશે. ગુજરાત પર હાલ એક સાથે બબ્બે સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે 26 મે સુધી વરસાદી માહોલ રહેશે. આજે 21 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
ભરઉનાળે આવેલા માવઠા બાદ જગતના તાતના માથે વધુ એક આફત આવી છે. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે ખેડૂતોના પાકનો સત્યાનાશ વળી જવાનો છે. એક તરફ કમોસમી વરસાદે ખેડૂતોના પાક બગાડી નાંખ્યો છે, ત્યાં બીજી તરફ હવે થોડા ઘણાં બચેલા પાકનો પણ કચ્ચરઘાણ કાઢવા માટે આવી રહ્યું છે તોફાની વાવાઝોડું ત્યારે ચોમાસા પહેલા આવી રહેલું વાવાઝોડું ગુજરાતમાં કેટલો વેરશે વિનાશ.
ગુજરાતના ખેડૂતો પર માવઠાના માર બાદ હવે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. અંબાલાલ પટેલનો દાવો છે કે ગુજરાતના માથે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. જેમાં અનરાધાર વરસાદ તો થશે જ, સાથે જ 100 કિમી પ્રતિકલાકની ઝડપથી તોફાની પવન પણ ફૂંકાશે.
પહોંચી જશે વાવાઝોડું. મહારાષ્ટ્રના ભાગોમાં 15થી 20 ઈંચ વરસાદ ખાબકશે. દક્ષિણ ગુજરાતમાં ભયાનક પૂરની સ્થિતિ આવી શકે. ડાંગ, આહવા, વલસાડમાં 10થી 12 ઈંચ વરસાદ થશે. કચ્છ, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ભારે વરસાદ થશે. 28 મે બાદ બંગાળ ઉપસાગરમાં બીજી સિસ્ટમ બનશે. દક્ષિણ-પૂર્વના તટિય વિસ્તારમાં ભારે વરસાદ થશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસા અંગે પણ આગાહી કરી છે. જો ચોમાસા પર વાવાઝોડાની અસર ઓછી થાય તો 28મી મે સુધીમાં કેરળના કાંઠે ચોમાસુ પહોંચશે. 3 જૂન સુધીમાં કેરળ-કર્ણાટકમાં ભારે વરસાદ થશે. 8 જૂન આસપાસ દરિયામાં પવનો બદલાતા વાદળો બંધાશે. 10 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે.
20 જૂન સુધીમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ થશે. ગુજરાતમાં 20 જૂન સુધીમાં ચોમાસાનો વરસાદ શરૂ થશે. પરંતુ ચોમાસા પહેલા અરબી સમુદ્રમાં એક્ટિવ થનારી બે સિસ્ટમ ગુજરાતમાં ભારે વરસાદ લાવે તેવી પુરી શક્યતા છે. ત્યારે જો ચોમાસા પહેલા આ ભયંકર વાવાઝોડું આવશે તો ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવશે.
એક તરફ ભરઉનાળે આવેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. તલ, બાજરી, જુવાર, કેરી, કેળા સહિતના પાકનો સત્યાનાશ વળી ગયો છે. ત્યારે થોડા ઘણા બચેલા પાક પર પાણી ફેરવવા માટે વાવાઝોડું આવી રહ્યું છે. ચોમાસાના આગમન પહેલા જ આવી રહેલું વાવાઝોડુ અનરાધાર વરસાદ લઈને આવશે, એટલે કે ગુજરાતના ખેતરો ફરી પાણીમાં જળસમાધિ લઈ લેશે ત્યારે ખેતરોમાં જળ ભરાવ થવાના કારણે ખેડૂતોના ઉનાળુ પાકને પણ ભારે નુકસાન થશે તે નક્કી છે.
આ સલાહ લોકોને આપવામાં આવી હતી
અધિકારીઓએ સલામતી સલાહ પણ જારી કરી છે, જેમાં ભારે વરસાદનો અનુભવ કરતા પહાડી વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ કરીને ભૂસ્ખલન, અચાનક પૂરના જોખમમાં રહેલા લોકોને દિવસના પ્રકાશના સમયે શક્ય તેટલી વહેલી તકે સલામત સ્થળોએ જવા વિનંતી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે પાણી ભરાવાની સંભાવના ધરાવતા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા રહેવાસીઓએ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવું જોઈએ અને જો જરૂરી હોય તો નજીકના રાહત શિબિરો અથવા સલામત આશ્રયસ્થાનોમાં જવું જોઈએ.
Trending Photos