વર્ષ 2032 સુધી ગુરૂ ચાલશે અતિચારી ચાલ, 5 જાતકોના શરૂ થશે અચ્છે દિન, બેંક બેલેન્સ વધશે, નોકરી-વેપારમાં પ્રગતિનો યોગ

Guru Gochar 2025: દેવતાઓના ગુરૂ બૃહસ્પતિ મે મહિનામાં મિથુન રાશિમાં પ્રવેશ કરી ત્રણ ગણી ઝડપે ચાલવા લાગશે. તેવામાં પાંચ રાશિના જીવનમાં સૌથી વધુ પ્રભાવ જોવા મળી શકે છે.
 

ગુરૂ ગોચર

1/9
image

દેવતાઓના ગુરૂ બૃહસ્પતિને સુખ-સમૃદ્ધિ, લગ્ન, આધ્યાત્મ, જ્ઞાન, સંતાન, વિદ્યા, બુદ્ધિ વગેરેના કારક માનવામાં આવે છે, જે દર વર્ષે રાશિ પરિવર્તન કરે છે. તેની અસર દરેક જાતકો પર પડે છે. ગુરૂ 14 મેએ રાશિ પરિવર્તન કરી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. મિથુન રાશિમાં પ્રવેશ કરતા ગુરૂ અતિચારી થઈ જશે. તેનો અર્થ છે કે ગુરૂ સામાન્ય ગતિથી વધુ ઝડપી ગતિએ ચાલશે, કારણ કે સૂર્ય ગુરૂની નજીક હશે. તેવામાં ગુરૂ બૃહસ્પતિ વર્ષ 2032 સુધી આ રીતે ચાલશે. જેનાથી કરિયર, લવ લાઇફ, વિકાસ પર ખૂબ અસર જોવા મળી શકે છે. ઘણા જાતકોને આ દરમિયાન લાભ થશે. પરંતુ પાંચ રાશિઓ એવી છે જેને ગુરૂની આ ચાલથી સૌથી વધુ લાભ મળી શકે છે. આવો તે રાશિઓ વિશે જાણીએ.

ક્યારે કરશે ગુરૂ રાશિ પરિવર્તન

2/9
image

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરૂ બૃહસ્પતિ 14 મેએ રાત્રે 11 કલાક 20 મિનિટ પર મિથુન રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 18 ઓક્ટોબરે કર્ક રાશિમાં જશે અને વર્ષના અંતમાં એટલે કે 5 ડિસેમ્બરે ફરી મિથુન રાશિમાં પ્રવેશ કરશે.

ગુરૂ બૃહસ્પતિના અતિચારી થવાના પ્રભાવ

3/9
image

જ્યોતિષ અનુસાર ગુરૂ જ્યારે ઝડપી ગતિએ ચાલે છે તો તેનો પ્રભાવ ભારત સહિત દેશ-દુનિયા પર જોવા મળી શકે છે. ગુરૂનું અતિચારી થવું અશાંતિ લઈને આવી શકે છે. આમ તો ગુરૂને શુભ ગ્રહ માનવામાં આવે છે. પરંતુ તે અતિચારી થવાથી જીવનમાં ઉથલ-પાથલ મચાવી શકે છે. તેવામાં કોઈ મોટી મહામારીથી લઈને આર્થિક મંદીનો સામનો કરવો પડી શકે છે. દુનિયાભરની અર્થવ્યવસ્થામાં જબરદસ્ત ઘટાડો જોવા મળી શકે છે.

મેષ રાશિ

4/9
image

આ રાશિના નવમાં અને અગિયારમાં ભાવના સ્વામી થઈ આ રાશિના ત્રીજા ભાવમાં પ્રવેશ કરશે. તેવામાં આ જાતકોનો આધ્યાત્મ તરફ ઝુકાવ વધશે. આ સાથે આર્થિક સ્થિતિ સારી રહેશે. ભાગ્યનો સાથ  મળી શકે છે. આધ્યાત્મ તરફ ઝુકાવને કારણે ધાર્મિક યાત્રા કરી શકો છો. વિદેશમાં સ્થાયી થવાનું સપનું પૂર્ણ થઈ શકે છે.  

વૃષભ રાશિ

5/9
image

આ રાશિના જાતકો માટે ગુરૂનું મિથુન રાશિમાં જવું ફળયાદી સાબિત થઈ શકે છે. આ રાશિના આઠમાં અને અગિયારમાં ભાવના સ્વામી થઈ બીજા ભાવમાં પ્રવેશ કરશે. તેવામાં આ જાતકોને સુખ-સમૃદ્ધિ અને ધન-સંપત્તિની પ્રાપ્તિ થઈ શકે છે. ભાઈ-બહેન સાથે સારા સંબંધ બની શકે છે. જીવનમાં ખુશીઓનું આગમન થશે. પરંતુ ગુરૂ સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે. તેથી સાવચેતી રાખવી.  

સિંહ રાશિ

6/9
image

પાંચમાં અને આઠમાં ભાવના સ્વામી થઈ ગુરૂ અગિયારમાં ભાવમાં પ્રવેશ કરશે. લાભ ભાવમાં ગુરૂના હોવાથી આ જાતકોની ઘણી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. આકસ્મિક ધનલાભનો યોગ બની રહ્યો છે. નોકરી કરનાર જાતકોને લાભ મળી શકે છે. લાંબા સમયથી જે પ્રોજેક્ટ કે કામમાં મહેનત કરી રહ્યાં છો તેમાં સફળતા મળી શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. વેપારમાં પણ લાભનો યોગ બની રહ્યો છે. સ્ટોક કે પછી ટ્રેડિંગ વેપારમાં જોડાયેલા છો તો સારો ફાયદો થઈ શકે છે. ધનલાભ થશે. આ સાથે તમે બચત કરવામાં પણ સફળ થઈ શકો છો.

તુલા રાશિ

7/9
image

ત્રીજા અને છઠ્ઠા ભાવના સ્વામી થઈ ગુરૂ આ રાશિના નવમાં ભાવમાં રહેશે. તેવામાં આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળી શકે છે. તમે તમારી ક્ષમતાના દમ પર સફળતા મેળવી શકો છો. તમને તમારી મહેનતનું ફળ મળી શકે છે. યાત્રાઓના માધ્યમથી ખૂબ નફો કમાઈ શકો છો. વિદેશમાં રહેવાનું સપનું પૂર્ણ થઈ શકે છે. આ સાથે કોઈ નવા વેપારની શરૂઆત કરવા ઈચ્છો છો તો આ દરમિયાન લાભદાયી રહેશે. આવકના નવા ક્ષેત્ર ખુલી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. લવ લાઇફ સારી રહેશે. જીવનસાથી સાથે સમય પસાર કરશો.

કુંભ રાશિ

8/9
image

આ જાશિના જાતકો માટે ગુરૂની અચિતારી ચાલ ઘણા ક્ષેત્રમાં લાભદાયક સાબિત થઈ શકે છે. બીજા અને અગિયારમાં ભાવના સ્વામી થઈ ગુરૂ પાંચમાં ભાવમાં પ્રવેશ કરશે. તેવામાં આ જાતકોના જીવનમાં ખુશીઓ આવશે. આ સાથે કરિયરમાં પણ તમને લાભ મળી શકે છે. તમારા દ્વારા કરવામાં આવી રહેલી મહેનત અને પ્રયાસોની પ્રશંસા થઈ શકે છે. વેપારમાં પણ સફળતાનો યોગ બની રહ્યો છે. ખાસ કરી ટ્રેડિંગ અને શેર માર્કેટ તમને લાભ કરાવી શકે છે. તમે પૈસા બચાવવામાં પણ સફળ થઈ શકો છો. નાણાકીય સ્થિતિ સારી રહેવાની છે.  

9/9
image

ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.