રાહુના નક્ષત્રમાં રહીને ગુરુ કરશે માલામાલ, આ 3 રાશિઓને અપાવશે ઘન-સન્માન અને સફળતા!

Guru Nakshatra Parivartan 2025: ગુરુનું નક્ષત્ર ગોચર ઘણી રાશિઓ માટે ખૂબ જ ખાસ સાબિત થઈ શકે છે. ગુરુએ હાલમાં જ આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે.

આર્દ્રા નક્ષત્રનો સ્વામી છાયા ગ્રહ રાહુ

1/6
image

આર્દ્રા નક્ષત્રનો સ્વામી છાયા ગ્રહ રાહુ છે. જો આપણે દૃક પંચાંગ પર નજર કરીએ તો 12 ઓગસ્ટ સુધી ગુરુ ગ્રહ આર્દ્રા નક્ષત્રમાં સંચરણ કરશે. દેવગુરુ બૃહસ્પતિ જ્ઞાન, ભાગ્ય વગેરેનો કારક છે.

3 રાશિઓ પર ખૂબ જ શુભ અસર

2/6
image

ગુરુના આ નક્ષત્ર ગોચરની 12 રાશિઓમાંથી 3 રાશિઓ પર ખૂબ જ શુભ અસર પડશે. 12 ઓગસ્ટ સુધી આ ભાગ્યશાળી રાશિના જાતકોને લાભ જ લાભ થશે. આ રાશિઓ માટે 12 ઓગસ્ટ સુધીનો સમય ખૂબ જ શાનદાર રહેવાનો છે. ચાલો જાણીએ તે ત્રણ રાશિઓ કઈ છે.

મેષ રાશિ

3/6
image

મેષ રાશિના જાતકો માટે રાહુના નક્ષત્રમાં ગુરુનું ગોચર લાભ જ લાભ કરાવશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને માતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે. જાતકો જમીન, મકાન કે વાહન ખરીદવા માટે પગલાં લઈ શકે છે. ઘરમાં થઈ રહેલા ઝઘડાઓનો અંત આવશે. જીવનસાથીનો પૂરો સહયોગ મળશે.

વૃષભ રાશિ

4/6
image

વૃષભ રાશિના જાતકો માટે ગુરુનો રાહુના નક્ષત્રમાં પ્રવેશ કરવો ફાયદાકારક સાબિત થઈ શકે છે. જાતકો માટે સફળતાનો માર્ગ ખુલી શકે છે. મહેનતનું પુરેપુરું ફળ મળશે. ગુરુની શુભ દ્રષ્ટિથી માન-સન્માન પ્રાપ્ત થશે. ધાર્મિક કાર્યોમાં રસ વધશે. પારિવારિક સંબંધોમાં સુધારો થશે. વ્યવસાયમાં સુધારો થશે.

તુલા રાશિ

5/6
image

દેવગુરુનો રાહુના નક્ષત્રમાં પ્રવેશ કરવો તુલા રાશિના જાતકો માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. સમાજમાં જાતકોની સ્થિતિ અને પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. જાતકોનો આત્મવિશ્વાસ વધી શકે છે. અટકાયેલા કામ પૂર્ણ થશે અને નવી તકો ઉપલબ્ધ થશે. પગાર વધારાને કારણે નાણાકીય સ્થિતિમાં સુધારો થઈ શકે છે.

6/6
image

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)