રાત્રે આ બીચ પર જે પણ ગયું તે ક્યારેય નથી આવતું પાછું: ગુજરાતના આ સ્થળે રાત્રે થાય છે પ્રેતઆત્માઓના ખેલ!

Haunted Places in Gujarat :ગુજરાતમાં હરવા અને ફરવાની જગ્યાઓ ઓછી નથી પણ તમે ફરવા જાઓ તો અહીં જતાં પહેલાં થોડીવાર વિચારી લેજો કારણ કે આ સ્થળો એ હોન્ટેડ પ્લેસ ગણાય છે. આમ તો ગુજરાતનું સૌથી ફેમસ અને મોટું શહેર છે, જ્યાં ભૂલેચૂકે કોઈ જવા માંગતું નથી. જાણો આવી જ સુરતની એક જગ્યાઓ વિશે....

1/7
image

ગુજરાતના ડુમ્મસ બીચ વિશે કોણ નથી જાણતું. તે અરબ સાગરના કિનારે છે. અહીં કાળી રેતીનું રહસ્ય અને  ભૂતિયા કહાની સમગ્ર શહેરમાં વિખ્યાત છે. એવું માનવામાં આવે છે કે દરિયા કિનારે એક હિન્દુ સ્મશાનસ્થળ હતું. જ્યાં ભૂતિયા આત્માઓ ભટકતી રહે છે. સાંજ પડતા ત્યાં જવાની કોઈ હિંમત કરતું નથી. એવું પણ કહેવાય છે કે જે પણ આ બીચ પર સાંજ પછી આવે છે તે ગાયબ થઈ જાય છે. અહીં રેતી કાળી છે અને સ્થાનિક લોકોના જણાવ્યાંમુજબ આ જગ્યા ભૂતિયા છે. 

2/7
image

સુરતનો ડુમસ બીચ એટલો ડરાવનો છે કે, સાંજ થતા જ આવેલા લોકો પરત ફરવા લાગે છે. અનેક લોકોએ અહીં કોઈના રડતા હોવાનો અવાજ સાંભળ્યો છે. આ બીચ પર પહેલા લોકોને દફનાવવામાં આવતા હતા. તેથી અતૃપ્ત આત્માઓ અહીં ફરતી હોવાનો અનેકોને ભાસ થયો છે. આ બીચ પરથી અનેક લોકો ગાયબ થયા હોવાના કિસ્સાઓ પણ ફેમસ છે.

રાતે બીચ પર જનારા પાછા નથી ફરતા?

3/7
image

સાંજે અંધારું થયા બાદથી જ  બીચ પર બૂમો સંભળાય છે એવું કહેવાય છે. ચીસો દૂરથી પણ સંભળાતી હોવાનું કહેવાય છે. સ્થાનિકોના જણાવ્યાં મુજબ આ બીચ પર જે સાંજ પછી જે આવે છે તે ક્યારેય પાછા ફરતા નથી. 

આ બીચ અત્યંત રહસ્યમય

4/7
image

સુરત પાસે ડુમસ બીચ છે જે દેશની સૌથી હોન્ટેડ એટલે કે ભૂતિયા જગ્યાઓમાંની એક ગણાય છે. આ બીચને શ્મશાન ઘાટ તરીકે પણ ઓળખવામાં આવે છે. અનેક લોકો અહીં અંતિમ સંસ્કાર કરવા માટે પણ પહોંચે છે. આ કારણસર અહીં આત્માઓનો વાસ હોવાનું કહેવાય છે. અનેક લોકો સવારેથી બપોર સુધી ફરવા માટે આવે છે પરંતુ જેવી સાંજ પડે તે પાછા ફરી જાય છે. પોતાની ભૂતિયા કહાનીઓના કારણે આ જગ્યા વીરાન પણ રહે છે. 

કાળા રંગની રેતી

5/7
image

આ બીચની ખાસ વાત એ છે કે અહીંનો ઈતિહાસ જે અરબ સાગર સાથે જોડાયેલો છે અને આ બીચ સુરતથી 21 કિમી દૂર છે. સૌથી મોટી વાત એ છે કે અહીંની રેતીનો રંગ કાળો છે. આ બીચનો ઈતિહાસ કોઈને ખબર નથી. 

સ્થાનિક લોકોમાં માન્યતા

6/7
image

સ્થાનિક લોકોનું માનવું છે કે સદીઓથી અહીં આત્માઓએ પોતાનો વસવાટ બનાવી લીધો છે. જેના કારણે અહીંની રેતી કાળી થઈ ગઈ છે. આ બીચ પર મૃતદેહો પણ બાળવામાં આવે છે. લોકોનું માનવું છે કે જે લોકોને મોક્ષ નથી મળતો કે અકાળ મૃત્યુ થાય છે તેમના આત્મા આ બીચ પર ફરતા હોય છે. 

7/7
image

(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)