ગરમીના દિવસોમાં મચ્છરોના આતંક ખૂબ વધી જાય છે. તેને ભગાડવા માટે તમે દેશી નુસ્ખા અપનાવી શકો છો. આવો જાણીએ મચ્છરોને ભગાડવા માટે શું કરવું જોઈએ?
1/8ગરમી અને વરસાદની સીઝનમાં મચ્છરોની સમસ્યા વધી જાય છે. તે ન માત્ર પરેશાન કરે છે પરંતુ ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવી બીમારી પણ ફેલાવે છે. પરંતુ મચ્છરોથી ડરવાની જરૂર નથી. તમે કેટલાક નુસ્ખા અપનાવી મચ્છરોને તમારા ઘરથી દૂર રાખી શકો છો.
2/8આ તેલને ડિફ્યુઝર કે કોટન બોલ પર લગાવી રૂમમાં રાખો. આ તેલ મચ્છર ભગાડવાનું કામ કરે છે.
3/8તુલસી અને ફુદીનાની ગંધથી મચ્છરો ભાગે છે. આ છોડને કારણે હવા પણ શુદ્ધ બને છે.
4/8મચ્છર સ્થિર પાણીમાં ઈંડા આપે છે. તેથી છોડના કુંટા, ટાંકી, કૂલર વગેરેની નિયમિત સફાઈ કરો. ઘરમાં કોઈ જગ્યાએ પાણી ન ભરાવા દો.
5/8કપૂરથી મચ્છર ભગાડી શકાય છે. તે માટે એક કટોરીમાં કપૂર રાખો અને થોડા સમય માટે રૂમ બંધ કરી દો. આ મચ્છર ભગાડવા માટે અસરકારક ઉપાય છે.
6/8લીમડાના પાનને સળગાવી ઘરમાં ધૂમાડો કરો. આ સિવાય લીમડાનું તેલ અને નાળિયેર તેલ મિક્સ કરી શરીર પર લગાવો, તે નેચરલ મોસ્કિટો રિપેલેન્ટ છે.
7/8થોડી લસણની કળીને પાણીમાં ઉકાળી લો. પછી આ પાણીનો સ્પ્રે કરો. મચ્છરોને તેની ગંધ પસંદ આવતી નથી.
8/8સામાન્ય જાણકારીના આધારે આ માહિતી આપવામાં આવી છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.