Get Rid Of Rain Insects: વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે અને ગરમીથી પણ રાહત મળે છે. પરંતુ વરસાદી વાતાવરણ કેટલાક ન ગમતા મહેમાનને પણ સાથે લાવે છે. વરસાદ થયા પછી રાતના સમયે પાંખવાળી જીવાત ઉડે છે. આ જીવાત ઘરમાં લાઈટની આસપાસ એકઠી થવા લાગે છે. આ જીવાત ઘર ગંદુ કરે છે અને તેના કરડવાનું પણ જોખમ હોય છે. આ જીવાતથી મુક્તિ મેળવવાનો ઈલાજ આજે તમને જણાવીએ.
1/6વરસાદી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જાય છે. આ વાતાવરણ જીવાતને અનુકૂળ હોય છે. તેથી વરસાદ પછી ઘરમાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો. ઘરમાં કચરો એકઠો ન કરો અને બાથરુમ તેમજ વોશ એરિયા કોરા રહે તે વાતનું ધ્યાન રાખો.
2/6લીમડો અને તુલસીથી આ જીવાત દુર રહે છે. બંને પાનમાં કીટનાશક ગુણ હોય છે. લીમડાના પાનનું અથવા તુલસીના પાનનું પાણી અથવા તેલ જો તમે લાઈટની આસપાસ લગાડી દેશો તો ત્યાં જીવાત નહીં આવે.
3/6લેવેન્ડરની સુગંધવાળી મીણબત્તી પણ જીવજંતુઓને દુર રાખવામાં મદદ કરી શકે છે. સાંજના સમયે આ કેન્ડલ તમે ઘરની અલગ અલગ જગ્યાએ રાખી શકો છો. તેની સુગંધથી જીવાત દુર ભાગશે.
4/6બોરિક પાવડર પણ અસરદાર કીટનાશક છે. વરસાદ પછી ઘરમાં ઘુસતી જીવાતને દુર કરવામાં આ પાવડર મદદ કરી શકે છે. બારી, દરવાજાની તીરાડોમાં આ પાવડર છાંટી દેવો. બોરિક પાવડર છાંટી દેવાથી પાંખવાળી જીવાત સહિત વંદા, ગરોળી, કાનખજૂરા જેવા જીવજંતુઓથી મુક્તિ મળી જશે.
5/6વરસાદી વાતાવરણમાં જીવજંતુઓ ઘરમાં ન ઘુસે તે માટે બારી અને દરવાજામાં નેટ પણ લગાડી શકાય છે. તેનાથી તમે બારી ખુલ્લી પણ રાખી શકશો અને જીવાત ઘરમાં નહીં આવે.
6/6