Rain Insects: લાઈટ ચાલુ કરશો તો પણ ઘરમાં નહીં ઘુસે પાંખવાળી જીવાત, લાઈટની આસપાસ છાંટી દો આ વસ્તુ

Written ByKrupa Shah
Published: Jun 17, 2025, 12:21 PM IST|Updated: Jun 17, 2025, 12:21 PM IST

Get Rid Of Rain Insects: વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે અને ગરમીથી પણ રાહત મળે છે. પરંતુ વરસાદી વાતાવરણ કેટલાક ન ગમતા મહેમાનને પણ સાથે લાવે છે. વરસાદ થયા પછી રાતના સમયે પાંખવાળી જીવાત ઉડે છે. આ જીવાત ઘરમાં લાઈટની આસપાસ એકઠી થવા લાગે છે. આ જીવાત ઘર ગંદુ કરે છે અને તેના કરડવાનું પણ જોખમ હોય છે. આ જીવાતથી મુક્તિ મેળવવાનો ઈલાજ આજે તમને જણાવીએ.
 

ઘર સ્વચ્છ રાખો1/6

ઘર સ્વચ્છ રાખો

વરસાદી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જાય છે. આ વાતાવરણ જીવાતને અનુકૂળ હોય છે. તેથી વરસાદ પછી ઘરમાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો. ઘરમાં કચરો એકઠો ન કરો અને બાથરુમ તેમજ વોશ એરિયા કોરા રહે તે વાતનું ધ્યાન રાખો.  

લીમડા અને તુલસીનું તેલ2/6

લીમડા અને તુલસીનું તેલ

લીમડો અને તુલસીથી આ જીવાત દુર રહે છે. બંને પાનમાં કીટનાશક ગુણ હોય છે. લીમડાના પાનનું અથવા તુલસીના પાનનું પાણી અથવા તેલ જો તમે લાઈટની આસપાસ લગાડી દેશો તો ત્યાં જીવાત નહીં આવે.

સેન્ટેડ કેન્ડલ3/6

સેન્ટેડ કેન્ડલ

લેવેન્ડરની સુગંધવાળી મીણબત્તી પણ જીવજંતુઓને દુર રાખવામાં મદદ કરી શકે છે. સાંજના સમયે આ કેન્ડલ તમે ઘરની અલગ અલગ જગ્યાએ રાખી શકો છો. તેની સુગંધથી જીવાત દુર ભાગશે.  

બોરિક પાવડર4/6

બોરિક પાવડર

બોરિક પાવડર પણ અસરદાર કીટનાશક છે. વરસાદ પછી ઘરમાં ઘુસતી જીવાતને દુર કરવામાં આ પાવડર મદદ કરી શકે છે. બારી, દરવાજાની તીરાડોમાં આ પાવડર છાંટી દેવો. બોરિક પાવડર છાંટી દેવાથી પાંખવાળી જીવાત સહિત વંદા, ગરોળી, કાનખજૂરા જેવા જીવજંતુઓથી મુક્તિ મળી જશે.  

બારી દરવાજામાં નેટ5/6

બારી દરવાજામાં નેટ

વરસાદી વાતાવરણમાં જીવજંતુઓ ઘરમાં ન ઘુસે તે માટે બારી અને દરવાજામાં નેટ પણ લગાડી શકાય છે. તેનાથી તમે બારી ખુલ્લી પણ રાખી શકશો અને જીવાત ઘરમાં નહીં આવે. 

6/6