પાકિસ્તાનના એક નિર્ણયથી આ ભારતીય કંપનીને લાગ્યો મોટો ઝટકો! 80000000000 રૂપિયાનું થયું નુકસાન
India Pakistan Tension: પાકિસ્તાનને તાજેતરમાં લીધેલા એક નિર્ણયથી ભારતીય કંપનીને મોટું નુકસાન થયું છે. પહેલગામ આતંકી હુમલા બાદ બંને દેશના સંબંધો વધુ ખરાબ થયા છે.
India Pakistan News: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધો ખરાબ થયા છે. બંને દેશે એકબીજા પર ઘણા પ્રતિબંધ લગાવ્યા છે. પાકિસ્તાને પોતાનું એરસ્પેસ બંધ કર્યું છે, જેના કારણે ભારતીય કંપનીને ભારે નુકસાન થયું છે.
પાકિસ્તાન દ્વારા લેવાયેલા આ નિર્ણયને કારણે ભારતની એક દિગ્ગજ કંપનીને લગભગ 8 હજાર કરોડથી વધુનું નુકસાન થયું છે. આ નિર્ણયની અસર ન માત્ર કંપનીના રેવેન્યુ પર પડી પરંતુ તેના શેરમાં પણ ઘટાડો થયો છે. એક રિપોર્ટ અનુસાર આ કારણે અમેરિકા અને યુરોપ જતી ઉડાનોનો સમય બેથી ત્રણ કલાક વધી શકે છે, જેનાથી એરલાઇન સંચાલનનો ખર્ચ વધશે અને સામાન્ય લોકોએ વધુ ભાડું ચુકવવું પડશે.
પાકિસ્તાનના નિર્ણય બાદ ભારતની સૌથી મોટી એરલાઈન કંપની ઈન્ડિગોને શુક્રવારે ભારે નુકસાન થયું હતું. કંપનીના શેરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને માર્કેટ કેપ 8 હજાર કરોડથી વધુ ઘટી ગયું છે. મંગળવારે ઈન્ડિગોના શેર 87 રૂપિયાના ઘટાડા સાથે 5271 રૂપિયા પર પહોંચી ગયા હતા. સોમવારે પણ કંપનીના શેરમાં ઘટાડો થયો હતો. પાકિસ્તાને ભારતીય વિમાનો માટે એરસ્પેસ બંધ કરવાના નિર્ણયની અસર ઈન્ડિગોના શેર પર પડી છે.
એરસ્પેસ બંધ થવાને કારણે પશ્ચિમ તરફ ઉડતી વિવિધ ભારતીય એરલાઇન્સને લાંબા રૂટ લેવાની ફરજ પડી છે કારણ કે સાંકડી-બોડી એરક્રાફ્ટ રોકાયા વિના લાંબા ગાળા માટે ઉડાન ભરી શકતા નથી. ઈન્ડિગો કંપની અલ્માટી અને તાશ્કંદ માટે 'એરબસ નેરો-બોડી' એરક્રાફ્ટનું સંચાલન કરે છે. એરલાઈને જણાવ્યું હતું કે તે ઓપરેટ કરતી લગભગ 50 ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સને લાંબા રૂટ લેવાની જરૂર પડશે, તેથી કેટલીક ફ્લાઈટ્સના સંચાલનમાં નાના ફેરફારો થઈ શકે છે.
IndiGo અનુસાર, અલ્માટીની ફ્લાઇટ્સ 27 એપ્રિલથી ઓછામાં ઓછા 7 મે સુધી રદ કરવામાં આવશે, અને તાશ્કંદની ફ્લાઇટ્સ 28 એપ્રિલથી ઓછામાં ઓછા 7 મે સુધી રદ કરવામાં આવશે. પાકિસ્તાને ગુરુવારે ભારતીય એરલાઇન્સને તેના એરસ્પેસનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
એરસ્પેસનો ઉપયોગ ભારતમાં નોંધાયેલા એરક્રાફ્ટ તેમજ ભારતીય ઓપરેટરો દ્વારા માલિકીના અથવા ભાડે લીધેલા એરક્રાફ્ટ દ્વારા કરી શકાતો નથી.
Trending Photos