પાકિસ્તાનની ઊંઘ ઉડાવી દેનાર ભારતનું 'બાહુબલી' INS વિક્રાંત, તાકાત જાણીને દુશ્મનનો પણ છૂટી જાય છે પરસેવો

Written ByDIPAK CHAVDA
Published: May 09, 2025, 10:35 PM IST|Updated: May 09, 2025, 10:35 PM IST

INS Vikrant Warship: INS વિક્રાંત ભારતીય નૌકાદળનું સૌથી મોટું અને સૌથી શક્તિશાળી વિમાનવાહક યુદ્ધ જહાજ છે, જેની કિંમત 20,000 કરોડ રૂપિયા છે.

INS વિક્રાંતઃ ભારતનું 'બાહુબલી' યુદ્ધ જહાજ1/10

INS વિક્રાંતઃ ભારતનું 'બાહુબલી' યુદ્ધ જહાજ

INS વિક્રાંત ભારતીય નૌકાદળનું સૌથી મોટું અને સૌથી શક્તિશાળી વિમાનવાહક યુદ્ધ જહાજ છે, જેની કિંમત 20,000 કરોડ રૂપિયા છે. આ 45,000 ટનનું જહાજ 262 મીટર લાંબુ અને 62 મીટર પહોળું છે. તે પાકિસ્તાન સામેના નૌકા યુદ્ધમાં ભારતની તાકાતનું પ્રતીક છે.

આત્મનિર્ભર ભારત2/10

આત્મનિર્ભર ભારત

INS વિક્રાંત સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજીથી બનાવવામાં આવ્યું છે, જે ભારતની આત્મનિર્ભરતાને પ્રતિબિંબિત કરે છે. તે 30 ફાઇટર પ્લેન અને હેલિકોપ્ટર લઈ જવા સક્ષમ છે. તેના હથિયારોમાં બ્રહ્મોસ અને બરાક મિસાઇલોનો સમાવેશ થાય છે, જે દુશ્મનને ક્ષણભરમાં નષ્ટ કરી શકે છે.

પાકિસ્તાનના ઠેકાણાઓ ભેદવાની તાકાત3/10

પાકિસ્તાનના ઠેકાણાઓ ભેદવાની તાકાત

INS વિક્રાંતની લાંબા અંતરની મિસાઇલો પાકિસ્તાનના દરિયાઈ બંદરોને સરળતાથી નિશાન બનાવી શકે છે. આ યુદ્ધ જહાજ દુશ્મનના જહાજો અને વિમાનોને નષ્ટ કરવાની જબરદસ્ત ક્ષમતા ધરાવે છે. ભારત-પાકિસ્તાન તણાવમાં આ ભારતનું સૌથી મોટું હથિયાર છે.

INS વિક્રાંતમાં તૈનાત છે 64 બરાક4/10

INS વિક્રાંતમાં તૈનાત છે 64 બરાક

આ યુદ્ધ જહાજ 64 બરાક મિસાઇલો અને બ્રહ્મોસ મિસાઇલોથી સજ્જ છે, જે તેને સમુદ્રમાં અજેય બનાવે છે. તેમાં કોઈપણ દરિયાઈ હુમલાને નિષ્ફળ બનાવવાની શક્તિ છે. INS વિક્રાંતની હાજરીથી ભારતીય નૌકાદળની તાકાત અનેકગણી વધી ગઈ છે.

30 ફાઇટર જેટની ક્ષમતા5/10

30 ફાઇટર જેટની ક્ષમતા

INS વિક્રાંત MiG-29 જેવા ફાઇટર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરને લઈ જવામાં સક્ષમ છે. INS વિક્રાંતમાં એકસાથે 30 એરક્રાફ્ટ તૈનાત કરી શકાય છે, જે ભારતને નૌકાદળ યુદ્ધમાં આગળ ધપાવે છે. આ યુદ્ધ જહાજ દુશ્મન માટે તબાહીનું બીજું નામ છે.

સમુદ્રમાં ભારતની અટલ તાકાત6/10

સમુદ્રમાં ભારતની અટલ તાકાત

INS વિક્રાંત માત્ર એક યુદ્ધ જહાજ નથી પરંતુ ભારતીય નૌકાદળની શક્તિ અને સામર્થ્યનું પ્રતીક છે. તે દરિયાઈ સરહદોનું રક્ષણ કરવા માટે દરેક ક્ષણે તૈયાર રહે છે. પાકિસ્તાન જેવા દુશ્મનો માટે આ એક મોટો ખતરો છે.

દુશ્મનનો ક્ષણભરમાં તબાહ કરવાની તાકાત7/10

દુશ્મનનો ક્ષણભરમાં તબાહ કરવાની તાકાત

INS વિક્રાંતની મિસાઇલો અને હથિયારો દુશ્મનના જહાજો અને વિમાનોને મિનિટોમાં તબાહ કરી શકે છે. તેની અદ્યતન ટેકનોલોજી તેને સમુદ્રનું સૌથી ખતરનાક જહાજ બનાવે છે. આ યુદ્ધ જહાજ ભારત-પાકિસ્તાન તણાવમાં ગેમ-ચેન્જર સાબિત થશે.

ભારતીય નૌકાદળની તાકાત8/10

ભારતીય નૌકાદળની તાકાત

INS વિક્રાંતની તૈનાતી સાથે ભારતીય નૌકાદળ નૌકા યુદ્ધમાં પહેલા કરતાં વધુ મજબૂત બન્યું છે. આ યુદ્ધ જહાજ કોઈપણ હુમલાનો જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તે પાકિસ્તાનના દરેક ષડયંત્રને નિષ્ફળ બનાવવાની ક્ષમતા ધરાવે છે.

પાકિસ્તાન માટે ખતરાની નિશાની9/10

પાકિસ્તાન માટે ખતરાની નિશાની

INS વિક્રાંતની હાજરી પાકિસ્તાનની દરિયાઈ વ્યૂહરચના માટે મોટો ખતરો છે. આ યુદ્ધ જહાજ મિનિટોમાં પાકિસ્તાની ઠેકાણાઓનો નાશ કરવાની શક્તિ ધરાવે છે. ભારતની આ શક્તિ દુશ્મનને પરસેવે રેબઝેબ કરી રહી છે.

ભારતની દરિયાઈ સરહદોનો રક્ષક10/10

ભારતની દરિયાઈ સરહદોનો રક્ષક

INS વિક્રાંત ભારતીય દરિયાઈ સરહદોની સુરક્ષા માટે બનાવવામાં આવ્યું છે અને તે તેની જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી રહ્યું છે. આ યુદ્ધ જહાજ ભારતની આત્મનિર્ભરતા અને લશ્કરી શક્તિનું જીવંત ઉદાહરણ છે. આની સામે દુશ્મનની કોઈ ચાલ સફળ થઈ શકશે નહીં.