18 મે પછીનો સમય આ 4 રાશિઓ માટે અત્યંત જોખમી ! કેતુ ગોચરથી થઈ શકે છે મોટું નુકસાન
Ketu Gochar 2025 : જ્યોતિષમાં કેતુને છાયા ગ્રહ કહેવામાં આવે છે. જ્યોતિષ ગણતરી અનુસાર, કેતુ 18 મે, 2025ના રોજ સિંહ રાશિમાં અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે. ત્યારે જાણી લઈએ કે કેતુના ગોચરને કારણે કઈ 4 રાશિઓએ સાવચેત રહેવું પડશે.
Ketu Gochar 2025 : વૈદિક જ્યોતિષમાં ગ્રહ ગોચરનું વિશેષ મહત્વ છે. દરેક ગ્રહ ચોક્કસ સમયગાળા માટે તેની ચાલ બદલે છે. જ્યારે ગ્રહો તેની ચાલ બદલે છે, ત્યારે તેની સીધી અસર વ્યક્તિના જીવન પર પડે છે. જ્યોતિષ શાસ્ત્રની ગણતરી મુજબ, 18 મે, 2025ના રોજ રાહુ સિંહ રાશિમાં અને ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે. કેતુના આ પરિવર્તનને કારણે કેટલીક રાશિના લોકોને નુકસાન થઈ શકે છે.
તુલા રાશિ
કેતુનું ગોચર તુલા રાશિના 11મા ભાવમાં રહેશે. આવી સ્થિતિમાં કેતુના આ પરિવર્તનથી ધંધાને અસર થશે. વેપારમાં મોટું આર્થિક નુકસાન થઈ શકે છે. આવક ઓછી અને ખર્ચ વધુ થશે. માનસિક સમસ્યાઓ વધશે. તમારે તમારા સ્વાસ્થ્ય વિશે ખૂબ કાળજી લેવી પડશે. પરિવારમાં પરસ્પર સંઘર્ષ અને પરેશાનીની સ્થિતિ ઊભી થઈ શકે છે. નોકરીયાત લોકોનો સંઘર્ષ વધશે.
સિંહ રાશિ
વૈદિક જ્યોતિષ અનુસાર, કેતુ 18 મે, 2025ના રોજ આ રાશિમાં પ્રવેશ કરશે. તેથી કેતુના આ ગોચરથી સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે. વ્યાપાર કરનારાઓને રોકાણથી ભારે આર્થિક નુકસાન થઈ શકે છે. પરિવારના સભ્યો સાથે વિવાદ વધી શકે છે. વિવાહિત જીવનમાં તમારા જીવનસાથી સાથે તકરાર થશે. નોકરી-ધંધાના સંબંધમાં કોઈ નિર્ણય ઉતાવળમાં ન લો, નહીં તો તમને મોટું નુકસાન થશે.
મેષ રાશિ
કેતુનું ગોચર મેષ રાશિના 5મા ભાવમાં રહેશે. તેથી કેતુ ગોચરની નકારાત્મક અસરને કારણે, તમારે લવ લાઈફમાં અચાનક સમસ્યાઓનો સામનો કરવો પડશે. પરસ્પર સંઘર્ષ અને મતભેદને કારણે બ્રેકઅપની સ્થિતિ સર્જાઈ શકે છે. વ્યવસાયમાં દૈનિક આવક પ્રભાવિત થઈ શકે છે. તમારે માનસિક થાક, અનિદ્રા, માથાનો દુખાવો વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડશે.
કુંભ રાશિ
કેતુ કુંભ રાશિના 7મા ભાવમાં ગોચર કરી રહ્યો છે. આવી સ્થિતિમાં કેતુનું આ ગોચર આ રાશિ માટે શુભ સાબિત નહીં થાય. વિવાહિત જીવનમાં અશાંતિ આવી શકે છે. વ્યવસાયમાં કોઈપણ પ્રકારનું રોકાણ ટાળો, નહીં તો તમારે મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. પતિ-પત્નીએ એકબીજાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે. ભાગીદારીના વ્યવસાયમાં રોકાણ કરતી વખતે સાવચેતી રાખવી જોઈએ.
Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos