ભારતનું અનોખુ ગામ, અહીં કરોડપતિઓ પણ રહે છે કાચા ઘરોમાં, જમીનની ખરીદ-વેચાણ પણ ન થાય!
ભારત વિવિધતાવાળો દેશ છે. અહીં હજારો વર્ષથી અલગ અલગ પ્રકારની માન્યતાઓનું પાલન થાય છે. એક એવું ગામ રાજસ્થાનમાં છે જ્યાં લોકો પોતાના ઘર પાક્કા બનાવડાવતા નથી.
ભારતના અનેક ગામડા-શહેરોમાં તમને એવા એવા રિતી રિવાજો જોવા મળશે જે તમને એક તબક્કે તો અંધ વિશ્વાસ જેવા લાગી શકે છે. (તસવીર-AI પ્રતિકાત્મક ઈમેજ)
આવું જ એક ગામ રાજસ્થાનમાં છે જ્યાં લગભગ દરેકના ઘર કાચા છે. જે લોકો ધનાઢ્ય છે, એટલે સુધી કે કરોડપતિ છે અને આ ગામમાં રહે છે તેઓ પણ કાચા ઘરોમાં રહે છે.
હાલમાં જ એક વીડિયો પોસ્ટ કરાયો છે જે રાજસ્થાનના એક ગામનો છે. આ ગામનું નામ દેવમાલી છે જે રાજસ્થાનના બ્યાવર જિલ્લામાં છે.
આ ગામની ખાસિયત એ છે કે અહીં દરેક કાચા ઘરમાં રહે છે. પૈસાવાળા પણ કાચા ઘરોમાં રહે છે.
સૌથી મોટી વાત એ પણ છે કે આ ગામમાં કોઈ દારૂ પીતા નથી. ગામમાં દરેક શાકાહારી પણ છે.
દેવમાલીમાં ગુર્જર સમાજના લોકો રહે છે. ભગવાન દેવનારાયણની તેઓ આરાધના કરે છે. લોકોનું માનીએ તો જ્યારે ભગવાન દેવનારાયણ અહીં આવ્યા હતા ત્યારે તેઓ ગ્રામીણોની સેવાથી ખુશ થયા હતા.
ત્યારે લોકોએ કશું માંગ્યુ નહીં. આ કારણે ભગવાને જતા જતા તેમને આશીર્વાદ આપ્યા કે ગામમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ તથા શાંતિ રહેશે. પરંતુ કોઈ પોતાની છત પાક્કી ન કરાવે. ત્યારબાદથી એવું કહેવાય છે કે કોઈએ પણ પોતાના ઘર પાક્કું બનાવડાવ્યું નથી.
(Disclaimer: અહીં આપેલી જાણકારી મીડિયા રિપોર્ટ્સ અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos