NAWAZUDDIN SIDDIQUE ને અનેક યુવતીઓ સાથે હતા શારીરિક સબંધ, તેમ છતાં કેમ પત્નીએ ન છોડ્યો સાથ

નવાઝુદ્દીન સિદ્દિકી એવા અભિનેતા જેમનો સંઘર્ષ ફિલ્મ લાઈનમાં સફળતા મેળવવા માટે સ્ટ્રગલ કરતા યુવાઓને પ્રોત્સાહિત કર્યા છે. સરફરોશ અને મુન્નાભાઈ MBBSમાં ખૂબ જ નાનો રોલ કરનાર નવાઝુદ્દીન સિદ્દિકી વર્ષોની મહેનત બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ટૉપ અભિનેતાઓમાં સામેલ છે, એક્ટિંગમાં જબરદસ્ત રહેલા નવાઝુદ્દીન તેમની લવ લાઈફ, એકસ્ટ્રા મેરિટિયલ અફેર અને વન નાઈટ સ્ટેન્ડના કારણે ચર્ચામાં રહ્યા છે.

ઝી બ્યૂરો, અમદાવાદઃ નવાઝુદ્દીન સિદ્દિકી જ્યારે અભિનેતા નહોંતા ત્યારે અંજલી નામની યુવતીને મળ્યા હતા. નવાઝુદ્દીન તે સમયે ગુજરાતમાં કેમિસ્ટની નોકરી કરતા હતા જે છોડીને દિલ્લી પાછા આવી ગયા હતા. તે સમયે નવાઝુદ્દીન સિદ્દિકીએ પણ અંજલી નામની યુવતી સાથે મિત્રતા કેળવી. નવાઝુદ્દીન સિદ્દિકી એક દિવસ તેની સાથે પાર્કમાં ગયા. નવાઝે તે સમયે અંજલીને પૂછ્યા વિના તેનો હાથ પકડી લીધો. અંજલી તે સમયે ગુસ્સે થઈ અને નવાઝને કહ્યું- કે યુવતીને પૂછ્યા વિના તેનો હાથ ન પકડાય.. આ ઘટનાને નવાઝુદ્દીનની ફિલ્મ 'ગેંગ ઓફ વાસેપુર'માં ફિલ્માવવામાં આવી હતી.

 

લગ્ન, લવ લાઈફ, અફેયર્સ અને વન નાઈટ સ્ટૈંડ

1/5
image

બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં ફિલ્મી કલાકારોની લવ લાઈફ, અફેર્સ પહેલેથી ટૉક ઓફ ધ ટાઉન રહી છે અને તેમાથી અભિનેતા નવાઝુદ્દીન સિદ્દિકી પણ બાકાત રહ્યા નથી. નવાઝુદ્દીન પોતાના લગ્ન,  અફેયર્સ અને વન નાઈટ સ્ટેન્ડના કારણે ચર્ચામાં રહ્યા છે. અન્ય યુવતીઓ સાથે શારિરીક સંબંધ રહ્યા હોવાનો નવાઝુદ્દીન સિદ્દિકીએ સ્વીકાર કર્યો છે.

બન્ને ફરી રહેવા લાગ્યા સાથે

2/5
image

કેટલાક સમય બાદ નવાઝુદ્દીન સિદ્દિકી અને અંજલી  'લિવ ઈન રિલેશનશીપ'માં રહેવા લાગ્યા. બંને ઘણા વર્ષો સુધી રિલેશનમાં રહ્યા પરંતું કોઈ કારણોસર બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું. ત્યારબાદ નવાઝે શબા નામની યુવતી સાથે અરેન્જડ મેરેજ કર્યા પરંતું આ લગ્ન લાંબો સમય ટક્યા નહીં અને બંને વચ્ચે તલાક થઈ ગયો. ત્યારબાદ નવાઝ અને અંજલી ફરી એકબીજાની નજીક આવ્યા અને પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. બંનેએ વર્ષ 2009માં લગ્ન કર્યા. લગ્ન બાદ અંજલીએ પોતાનું નામ બદલી આલિયા સિદ્દિકી રાખી દીધુ.

લગ્ન પછી અંજલિએ બદલ્યું નામ, નામ રાખ્યું આલિયા

3/5
image

લગ્ન પછી નવાજની પત્ની અંજલિએ પોતાનું નામ પણ બદલી નાંખ્યું હતું. તેણે નવાજ માટે પોતાનું નામ બદલીને આલિયા રાખી લીધું હતું.

નવાજે ઘણી છોકરીઓ સાથે બનાવ્યો શારીરિક સંબંધ

4/5
image

પોતાની પ્રેમિકા સાથે લગ્ન કર્યા બાદ પણ નવાઝુદ્દીન સિદ્દિકીએ રંગીન સ્વભાવ ન છોડ્યો. નવાઝુદ્દીને લગ્ન બાદ ઘણા અફેર્સ ચલાવ્યા. નવાઝુદ્દીનનું સૌથી વધારે નામ 'મિસ લવલી' ફિલ્મની કો સ્ટાર  નિહારિકા સિંહ સાથે જોડાયું. પોતાના પુસ્તકમાં નવાઝે આ વાતનો ઉલ્લેખ પણ કર્યો છે કે નિહારિકા સાથે તેમના શારિરીક સંબંધ પણ રહ્યા છે. વિદેશમાં શુટિંગ દરમિયાન તેમણે વન નાઈટ સ્ટેન્ડ જેવા પણ સંબંધ બનાવ્યા. આ બધા વચ્ચે યહૂદી યુવતીને નવાઝ સાથે પ્રેમ થયો. યુવતી એ હદે તેના પ્રેમમાં હતી કે તે મુંબઈમાં નવાઝુદ્દીન સાથે રહેવા લાગી. આ બધા વચ્ચે નવાઝ નિહારીકાને પણ ડેટ કરી રહ્યા હતા. અન્ય યુવતી નવાઝ રિલેશનમાં હોવાનું જાણ થતા નિહારિકા નવાઝુદ્દીન સિદ્દિકીથી દૂર થઈ ગઈ.

પત્નીએ મોકલી દીધી હતી તલાકની નોટિસ

5/5
image

નવાઝુદ્દીનની આ બધી હરકતોથી કંટાળીને તેની પત્ની આલિયાએ તલાકની નોટિસ મોકલી દીધી. આ બધા વચ્ચે કોરોના મહામારી આવી અને લૉકડાઉન લાગી ગયું જેના કારણે નવાઝે તેની પત્ની અને પરિવાર સાથે સમય ગાળ્યો અને આખરે પોતાની ભૂલ સમજાઈ. નવાઝની પત્નીએ પણ ત્યારબાદ નોટિસ પરત લઈ લીધી. આ બંને પતિ-પત્ની સાથે છે.