Pahalgam Attack: જો ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું તો આ 10 શહેરો પર થઈ શકે છે પરમાણુ હુમલો, ચારેબાજુ મચશે તબાહી
India-Pakistan Conflict: પાકિસ્તાનની ચવાયેલી પરમાણુ બોમ્બની ધમકી બાદ હવે એવી ચર્ચા થઈ રહી છે કે જો એક સમય આ હુમલો થયો તો પણ ભારતમાં ક્યાં કયાં નુકસાન થઈ શકે છે. તથા પાકિસ્તાનમાં પણ ક્યાં ક્યાં તબાહી મચી શકે છે.
પહેલાગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. હવે યુદ્ધની વાતો સોશિયલ મીડિયાથી લઈને ચાની કિટલીઓ સુધી થઈ રહી છે. લોકો પરમાણુ હુમલાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે.
પાકિસ્તાનની ધમકીઓથી સોશિયલ મીડિયામાં હલચલ
પાકિસ્તાનના પરમાણુ બોમ્બની ધમકી બાદ લોકો સોશિયલ મીડિયામાં ચર્ચા કરી રહ્યા છે કે જો પાકિસ્તાન હુમલો કરશે તો ભારત તેનો શું જવાબ આપશે? આ સાથે જ લોકો ભારતના તગડા પલટવારની નીતિની પણ ચર્ચા કરી રહ્યા છે.
ભારતના નિશાના પર પાકિસ્તાનના આ 10 શહેર
અત્રે જણાવવાનું કે જો પાકિસ્તાન ભારત પર પરમાણુ હુમલો કરવાની ભૂલ કરે તો ભારત લાહોર, કરાચી, ઈસ્લામાબાદ, ફૈસલાબાદ, હૈદરાબાદ, રાવલપિંડી, ગુજરાંવાલા, મુલ્તાન, પેશાવર અને ક્વેટા જેવા મોટા શહેરોને ટાર્ગેટ કરી શકે છે.
વિનાશકારી પરિણામ
જો પરમાણુ હથિયારોનો ઉપયોગ થાય તો શહેર સંપૂર્ણ રીતે તબાહ થશે અને રેડિએશન, દુષ્કાળ, બીમારી અને સામાજિક અરાજકતા જેવી ભયંકર સમસ્યાઓ પણ લાંબા સમય સુધી બંને દેશોએ ઝેલવી પડે.
ભારત-પાકના પરમાણુ ભંડારથી વધ્યું જોખમ
સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટના રિપોર્ટ મુજબ ભારત પાસે હાલ 172 અને પાકિસ્તાન પાસે 170 પરમાણુ હથિયારો છે. જંગની સ્થિતિમાં ભયાનક તબાહી મચાવવા માટે તે પૂરતા છે.
ભારતના આ શહેરો ઉપર પણ જોખમ
વિશેષજ્ઞોનું કહેવું છે કે જો યુદ્ધ થાય તો પાકિસ્તાન ભારતના મોટા શહેરો જેમ કે મુંબઈ, દિલ્હી અને બેંગ્લુરુ પર હુમલો કરી શકે છે. કારણ કે આર્થિક, સૈન્ય અને ટેક્નિકની રીતે તે ખુબ મહત્વપૂર્ણ શહેરો છે.
પેઢીઓ સુધી અસર રહે
હિરોશીમા અને નાગાસાકીના ઉદાહરણથી સ્પષ્ટ છે કે પરમાણુ હુમલો ફક્ત જીવલેણ નહીં પરંતુ તેના રેડિએશનની અસર પેઢીઓ સુધી બીમારીઓ અને વિકલાંગતા તરીકે જોવા મળે છે.
યુદ્ધ ટાળવું એ સૌથી મોટી જીત
જો કે બંને દેશો પાસે તાકાત છે પરંતુ યુદ્ધનો રસ્તો બંને માટે વિનાશકારી રહેશે. આથી વાતચીત અને સમજદારીથી જ શાંતિ જાળવી રાખવી સૌથી સારો અને ટકાઉ વિકલ્પ રહેશે.
Trending Photos