Pahalgam Attack: જો પાકિસ્તાન સાથે પરમાણુ યુદ્ધ થાય તો તમે ક્યાં છૂપાઈ શકો? આ છે ભારતનો સર્વાઈવલ મેપ....ખાસ જાણો

Nuclear War Survival Map: 100 કેટીનો પરમાણુ બોમ્બ કોઈ એક મોટા શહેરને તબાહ કરીને લાખો લોકોના મોતનું કારણ બની શકે છે. આવામાં નાના શહેર અને કસ્બાઓ વધુ સુરક્ષિત રહી શકે છે. 

સતત પરમાણુ હુમલાની ધમકી

1/8
image

Nuclear War Survival Map: પાકિસ્તાને કહ્યું છે કે ઈન્ટેલિજન્સ માહિતી મુજબ ભારત આગામી 24થી 36 કલાકમાં તેમના પર હુમલો કરી શકે છે. પહેલગામ હુમલા બાદથી પાકિસ્તાન સતત પરમાણુ હુમલાની ધમકી આપી રહ્યું છે. જે ચોરની દાઢીમાં તણખલા જેવી વાત છે. પરંતુ જો ન કરે નારાયણ અને ભારત પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ થાય તો તમારી પાસે બચવા માટે શું પ્લાન છે?

કેટલી તબાહી થાય

2/8
image

એક અંદાજા મુજબ 25 કિલોટનના વિસ્ફોટથી 7 લાખથી 20 લાખ લોકોના જીવ જઈ શકે છે. જ્યારે 100 કેટીનો પરમાણુ બોમ્બ એક મોટા શહેરને તબાહ કરવા માટે પૂરતો છે જેના કારણે 20 લાખ લોકોના મોત થઈ શકે છે. 

ત્યારબાદ શું થશે

3/8
image

પરમાણુ બોમ્બ વિસ્ફોટ બાદ વિકિરણ, ભોજનની કમી, ઈલેક્ટ્રિક નેટવર્કની તબાહી તથા અર્થવ્યવસ્થાની કમર તૂટી જવા જેવી બરબાદી થશે. તેનાથી બચીને ભાગવું મુશ્કેલ બનશે. 

મોટા શહેરો પર વધુ જોખમ

4/8
image

આમ છતાં મોટા શહેરો જેમ કે મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ચેન્નાઈ પર વધુ જોખમ રહેશે. કારણ કે આ શહેરો રણનીતિક રીતે મહત્વપૂર્ણ છે અને અહીં જનસંખ્યા પણ વધુ છે. 

બીજી શું સમસ્યાઓ થાય

5/8
image

દેશની હોસ્પિટલો, રોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર તબાહ થઈ શકે છે. 

નાના કસ્બા અને શહેરો

6/8
image

આવામાં મોટા શહેરોની સરખામણીમાં ભારતના નાના શહેરો અને કસ્બા વધુ સુરક્ષિત હશે. 

ગ્રામીણ વિસ્તારો

7/8
image

છત્તીસગઢ, ઝારખંડ, પૂર્વોત્તર રાજ્યો અને ઓડિશાના ગ્રામીણ વિસ્તારોમાં બચવાની શક્યતા થોડી વધુ રહેશે. 

સૌથી વધુ આ વાત છે મહત્વની

8/8
image

પરમાણુ હુમલા બાદ દાયકાઓ સુધી રેડિએશનનું જોખમ રહે છે. આવામાં આઈસોલેશનમાં પોતાને જીવતા રાખવા સૌથી વધુ મહત્વનું રહેશે. તેમાં ખેતી પર નિર્ભર નાના ગામડાઓ સફળ થઈ શકે છે. (તસવીરો- એઆઈની મદદથી બનાવવામાં આવી છે)