'અમારા પર હુમલો તો થશે જ...' ભારતની ગર્જનાથી ધ્રૂજી પાકિસ્તાન, વિદેશ મંત્રીએ આ શું કહી દીધું?

Khwaja Asif: પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનને દરેક સમયે ભારત તરફથી મોટા ખતરાનો ડર સતાવી રહ્યો છે. આ વાતની પુષ્ટિ હવે પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે પોતે કરી છે. તેમણે સોમવારે દાવો કર્યો છે કે, ભારત તરફથી ગમે ત્યારે એક લશ્કરી હુમલો થઈ શકે છે. આ દાવો તેમણે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કર્યો હતો, જેમાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલા બાદ ભારતમાં ભારે ગુસ્સો છે અને પાકિસ્તાન સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.

ઇન્ટરવ્યુમાં શું બોલ્યા પાકિસ્તાનના રક્ષા મંત્રી?

1/6
image

પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે રોઇટર્સને આપેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન આ દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાને તેમની સેનાને મજબૂત કરી લીધી છે, કારણ કે હુમલો હવે ગમે ત્યારે થઈ શકે છે.

2/6
image

ખ્વાજાએ જણાવ્યું કે, પાકિસ્તાનની સેનાએ સરકારને ભારત તરફથી કોઈપણ સંભવિત હુમલા વિશે જાણ કરી છે. જો કે, આસિફે એ વાતનો ખુલાસો કર્યો નથી કે, તેમને હુમલાનો ખતરો કેમ લાગી રહ્યું છે.

શાહબાઝ શરીફે તપાસની કરી માંગ

3/6
image

પહેલગામમાં થયેલા હુમલાને સીધો સંબંધ પાકિસ્તાન સાથે બતાવવામાં આવી રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હુમલાની તપાસમાં બે શંકાસ્પદ આતંકવાદીઓના પાકિસ્તાન સાથે સંબંધો છે. જો કે, પાકિસ્તાને આ દાવાઓને નકારી કાઢ્યા છે અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.

4/6
image

પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે તપાસને લઈ શનિવારે કહ્યું હતું કે, પાકિસ્તાન પહેલગામ હુમલાની એક "નિષ્પક્ષ, પારદર્શક અને વિશ્વસનીય તપાસ" માટે તૈયાર છે. શાહબાઝ શરીફે આ નિવેદન એબટાબાદમાં એક લશ્કરી એકેડેમીમાં કાર્યક્રમ દરમિયાન આપ્યું હતું.

ઉમર અબ્દુલ્લાએ આપ્યો યોગ્ય જવાબ

5/6
image

જો કે, જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ શાહબાઝ શરીફના નિવેદનનો વિરોધ કર્યો અને કહ્યું કે, ઇસ્લામાબાદે શરૂઆતમાં આ ઘટનાનો ઇનકાર કર્યો હતો અને નવી દિલ્હી પર જ હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. સૌ પ્રથમ તો તેને વિશ્વાસ પણ નહોતો આવતો કે પહેલગામમાં કંઈક બન્યું છે. પહેલા તેમણે કહ્યું કે, આની પાછળ ભારતનો હાથ છે. જેમણે પહેલા અમારી સામે આરોપો લગાવ્યા હતા, તેમના માટે હવે આ વિશે કંઈ કહેવું મુશ્કેલ છે. હું તેમના નિવેદનોને વધારે મહત્વ આપવા માંગતો નથી.

ચોર પોતે ચોરીની તપાસ કેવી રીતે કરશે?

6/6
image

આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી સુકાંત મજુમદારે શરીફ પર નિશાન સાધતા કહ્યું કે, 'આ લોકો શું તપાસ કરશે?' શું ચોર ક્યારેય પોતાની ચોરીની તપાસ કરી શકે છે? પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે, 'પાકિસ્તાનના વડાપ્રધાન ડરથી આ કહી રહ્યા છે.' આ ડર સારો છે - તેમને આ ડર હોવો જોઈએ. જ્યારે પાકિસ્તાન તૈયાર નહીં હોય, ત્યારે જ અમે તેમના પર હુમલો કરીશું અને અમે તેમના પર જોરદાર હુમલો કરીશું.'