પાકિસ્તાન જે ભારતીય એરબેઝને ઉડાવ્યાનો દાવો કરતું હતું ત્યાં પહોંચ્યા PM મોદી, જવાનોનો જુસ્સો વધાર્યો
PM Modi At Adampur Air Base : ગઈકાલે સાંજે દેશને રાષ્ટ્રજોગ સંબોધન બાદ આજે વહેલી સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આદમપુર એરબેઝ પહોંચ્યા હતા. તેઓએ આપણા બહાદુર જવાનો સાથે વાતચીત કરીને તેમનો જુસ્સો વધાર્યો. જેની તસવીરો સામે આવી છે.
પાકિસ્તાન સરહદ નજીક આવેલું છે આદમપુર એરબેઝ
વડાપ્રધાનનું વિમાન આદમપુર એરબેઝ પર ઉતર્યા પછી, તે સાબિત થયું કે પાકિસ્તાનનો આ દાવો સંપૂર્ણપણે ખોટો હતો. કારણ કે ભારતના સૌથી VVIP નું વિમાન આ એરબેઝ પર સફળતાપૂર્વક ઉતર્યું હતું. તમને જણાવી દઈએ કે આદમપુર એરબેઝ ભારતના ફાઇટર એરક્રાફ્ટ મિગ 29 નું બેઝ છે. એર ચીફ માર્શલ એપી સિંહ પણ પ્રધાનમંત્રી સાથે હતા. પાકિસ્તાન સરહદની નજીક આવેલું આદમપુર એરબેઝ દુશ્મન પર ઝડપી હુમલો કરવા માટે જાણીતું છે.
સૈનિકો સાથે તસવીરો લીધી
આદમપુર એરબેઝ પર પીએમ મોદી સૈનિકો સાથે હસતા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાને ભારત વિરુદ્ધ ખોટો પ્રચાર ફેલાવતા કહ્યું હતું કે તેમણે પોતાના હુમલામાં ભારતના આદમપુર એરબેઝને ઉડાવી દીધો હતો.
દેશને સંબોધન બાદ આર્મીના જવાનોને મળવા પહોંચ્યા PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા. અહીં તેઓ વાયુસેનાના કર્મચારીઓને મળ્યા. પીએમ મોદી આજે સવારે 7 વાગ્યે દિલ્હીના પાલમ એરપોર્ટથી ઉડાન ભરીને પંજાબના જલંધરમાં આદમપુર એરબેઝ પહોંચ્યા. પીએમ મોદી અહીં 1 કલાક રોકાયા અને વાયુસેનાના કર્મચારીઓને મળ્યા.
આદમપુર એરબેઝ ઉડાવ્યાનો દાવો પાકિસ્તાને કર્યો હતો
તસવીરોમાં પ્રધાનમંત્રી મોદી વાયુસેનાના કર્મચારીઓ સાથે જોવા મળે છે. અહીં પીએમ મોદી સૈનિકો સાથે હસતા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાને ભારત વિરુદ્ધ ખોટો પ્રચાર ફેલાવતા કહ્યું હતું કે તેમણે પોતાના હુમલામાં ભારતના આદમપુર એરબેઝને ઉડાવી દીધો હતો. પરંતુ વડાપ્રધાનનું વિમાન આદમપુર એરબેઝ પર ઉતર્યા પછી, તે સાબિત થયું કે પાકિસ્તાનનો આ દાવો સંપૂર્ણપણે ખોટો હતો. કારણ કે ભારતના સૌથી VVIP વિમાનો આ એરબેઝ પર સફળતાપૂર્વક ઉતર્યા હતા.
આદમપુર એરબેઝ ખાસ છે
આદમપુર એરબેઝ ભારતનું બીજું સૌથી મોટું એરફોર્સ બેઝ છે. તે તાજેતરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી તણાવનું કેન્દ્ર રહ્યું છે. ૧૦ મેના રોજ, પાકિસ્તાન દ્વારા આ એરબેઝ પર ડ્રોન અને મિસાઇલોથી હુમલો કરવામાં આવ્યો હતો, જેના જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ અનેક પાકિસ્તાની લશ્કરી ઠેકાણાઓ પર સચોટ હુમલા કર્યા હતા. ભારતીય અધિકારીઓએ દાવો કર્યો છે કે આદમપુર ખાતે સ્થિત S-400 વાયુ સંરક્ષણ પ્રણાલી સંપૂર્ણપણે સુરક્ષિત છે અને પાકિસ્તાનના દાવાઓને "પ્રચાર અભિયાન" ગણાવીને ફગાવી દીધા છે.
Trending Photos