PM Modi ની ગિફ્ટ ચોઇસ છે એકદમ અલગ, વિશ્વના નેતાઓને આપી ખાસ ભેટ

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકા યાત્રા (Narendra Modi US Visit) દરમિયાન, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ (Kamala Harris), ઓસ્ટ્રેલિયાઇ પીએમ સ્કોટ મોરિસન (Scott Morrison) અને જાપાનના પ્રધાનમંત્રી યોશીહિદે સુગા (Yoshihide Suga) સાથે મુલાકાત કરી. આ દરમિયાન પીએમ મોદીએ આ નેતાઓને ખાસ ભેટ આપી. આ ભેટ વિશે જાણીને તમે કહેશો કે પીએમ મોદીની ગિફ્ટ ચોઇસ ખરેખર એકદમ ખાસ છે.  

કમલા હેરિસને દાદા સાથે જોડાયેલી ખાસ ભેટ

1/9
image

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ (Kamala Harris) ને તેમના દાદા પી.વી. ગોપાલન સંબંધિત જૂની નોટિફિકેશનની એક કોપી ભેટ આપી. આ નોટિફિકેશનમાં કમલા હેરિસના દાદાની ભારતમાં સરકારી સેવા દરમિયાનની જાણકારી છે. 

પી.વી ગોપાલન સંબંધિત નોટિફિકેશ

2/9
image

યૂએસમાં કાશીના 'રંગ'

3/9
image

અમેરિકન ઉપરાષ્ટ્રપતિના દાદા પી.વી.ગોપાલન એક વરિષ્ઠ અને સન્માનિત સરકારી અધિકારી હતા જેમણે ભારતીય સરકારી સેવામાં રહેતા ઘણા પદો પર કામ કર્યું. તેમણે ઉપરાષ્ટ્રપતિ હેરિસને ગુલાબી મીનાકારી ચેસનો સેટ પણ ભેટ કર્યો. આ શતરંજના સેટ પર દરેક ટુકડા પર જટિલ વિવરણથી ખબર પડે છે કે આ સુંદર હસ્તકળા છે. ચમકીલા રંગ કાશીની જીવંતતાને દર્શાવે છે જે દુનિયાના સૌથી જૂના શહેરોમાંથી એક છે.

ગુલાબી મીનાકારી ચેસ

4/9
image

યોશીહિદે સુગાને બુદ્ધની મૂર્તિ

5/9
image

જાપાનના પ્રધાનમંત્રી યોશીહિદે સુગા (Yoshihide Suga) ને પીએમ મોદીએ ચંદનની બુદ્ધની મૂર્તિ ભેટ કરી. જાપાનમાં બૌદ્ધ ધર્મ છઠ્ઠી શતાબ્દીથી પ્રચલિત છે. સાથે જ આ ભારત અને જાપાનને એક્સાથે લેવામાં એક મુખ્ય ભૂમિકા ભજવે છે. જાપાનની પોતાની ગત યાત્રાઓ દરમિયાન, પીએમ મોદીએ બૌદ્ધ મંદિરોની મુલાકાત લીધી હતી. 

ચંદનની બુદ્ધની મૂર્તિ

6/9
image

ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીને આપી આ ભેટ

7/9
image

પ્રધાનમંત્રી મોદીએ પોતાના ઓસ્ટ્રેલિયાઇ સમકક્ષ સ્કોટ મોરિસન (Scott Morrison) ને ચાંદીના ગુલાબી મીનાકારી જહાજ ભેટ કર્યું છે. કાશીની ગતિશીલતાને દર્શાવતાં જહાજની ખાસ હસ્તકળા કરવામાં આવી છે.  

ચાંદીનું ગુલાબી મીનાકારી જહાજ ભેટ

8/9
image

ભેટ દ્વારા સંદેશ આપવાનો ખાસ છે અંદાજ

9/9
image

આ પહેલાં પણ પીએમ મોદીએ ઇઝરાઇલના પૂર્વ પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂ, મહારાની એલિઝાબેથ અને ઇરાનના પૂર્વ રાષ્ટ્રપતિ હસન રૂહાની સાથે પોતાની બેઠકો દરમિયાન ઉપહાર દ્વારા મોટા સંદેશ આપ્યા હતા. ઇઝરાઇલની પોતાની યાત્રા પર, પીએમ મોદીએ નેતન્યાહૂને કેરલથી તાંબાની પ્લેટોના 2 સેટ ભેટ કર્યા હતા.