Rahu Ketu Gochar 2025: બે પાપી ગ્રહોનું ગોચર પાંચ રાશિઓને કરશે માલામાલ, છપ્પરફાડ થશે ધનવર્ષા

Ketu Gochar 2025: જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ અને કેતુને છાયા ગ્રહ માનવામાં આવે છે. મે મહિનામાં બંને પાપી ગ્રહનું રાશિ પરિવર્તન થવાનું છે. રાહુ અને કેતુ ગ્રહ વક્રી ચાલ ચાલે છે.
 

રાહુ અને કેતુ ગ્રહનું ગોચર

1/6
image

રાહુ અને કેતુ ગ્રહ 18 મે 2025ના રાશિ પરિવર્તન કરશે. રાહુ શનિગ્રહની રાશિ કુંભમાં અને કેતુ સૂર્યની રાશિ સિંહમાં પ્રવેશ કરશે. આ પરિવર્તન પાંચ રાશિના જાતકો માટે લાભકારી રહી શકે છે. આકસ્મિક ધનલાભથી લઈને નોકરીમાં લાભ મળી શકે છે. આવો તે વિશે જાણીએ.

વૃષભ રાશિ

2/6
image

રાહુ અને કેતુ ગ્રહનું ગોચર વૃષભ રાશિના જાતકો માટે અનુકૂળ અને લાભકારી સાબિત થઈ શકે છે. નોકરી મળી શકે છે. કોઈ વાહન કે અચલ સંપત્તિ ખરીદવાની તક મળી શકે છે. વેપારમાં પણ તમને લાભ થશે. નોકરીમાં પ્રમોશનનો માર્ગ ખુલશે. નવી યોજનાઓ પર કામ શરૂ કરી શકો છો. જાતકો માટે આ સમય શુભ સાબિત થઈ શકે છે. જાતકોની સુખ-સુવિધામાં વધારો થઈ શકે છે.

 

મિથુન રાશિ

3/6
image

રાહુ અને કેતુ ગ્રહના ગોચરથી મિથુન રાશિના જાતકોને લાભ મળશે. જાતકોનું ભાગ્ય ચમકી જશે. અટવાયેલા કામ થવા લાગશે અને નાણા પરત મળશે. કાર્યસ્થળ પર સીનિયરનો સાથ મળશે. સરકારી કે વહીવટી ક્ષેત્રના જાતકોની શાખમાં વધારો થશે. કોઈ ખાસ તક હાથમાં આવી શકે છે. યાત્રા કરી શકો છો જે આર્થિક રૂપે લાભકારી રહેશે. ધાર્મિક કાર્યોમાં રૂચિ વધશે.

 

સિંહ રાશિ

4/6
image

રાહુ અને કેતુ ગ્રહના ગોચરથી સિંહ રાશિના જાતકોને સકારાત્મક પરિણામ મળશે. પદ-પ્રતિષ્ઠા સાથે ધન વૃદ્ધિ થશે. વ્યક્તિત્વમાં નિખાર આવશે. નોકરીમાં પ્રમોશનનો માર્ગ મોકળો થશે. આવક વધશે અને પૈસાની બચત કરી શકશો. બિઝનેસમાં સારો લાભ થશે. સ્વાસ્થ્ય સંબંધિત પરેશાની દૂર થશે. અચલ સંપત્તિ ખરીદી શકશો.

ધન રાશિ

5/6
image

રાહુ અને કેતુ ગ્રહના ગોચરથી ધન રાશિના જાતકોને લાભ થશે. ધન આગમનના રસ્તા ખુલશે. કામમાં આવી રહેલા વિઘ્નો દૂર થશે. આવક વધશે. જાતક નવી નોકરી અને સારો પગાર મેળવી શકશે. માન-સન્માન વધશે. આત્મવિશ્વાસથી મોટા નિર્ણય લઈ શકશો. જીવનમાં તમામ દુખ દૂર થશે અને લગ્ન જીવનમાં શાંતિ આવશે. ખર્ચ પર નિયંત્રણ રાખવામાં સફળ રહેશો.  

કુંભ રાશિ

6/6
image

રાહુ અને કેતુ ગ્રહના ગોચરથી કુંભ રાશિના જાતકોને વિશેષ લાભ હાસિલ થશે. જાતકની આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. અચાનક ધનલાભ થશે. સમાજમાં માન-સન્માન પ્રાપ્ત થશે. પ્રેમ સંબંધમાં સુધાર આવશે. પારિવારિક શાંતિ વધશે. વિદ્યાર્થીઓ સારૂ પ્રદર્શન કરી શકશે. જીવનમાં શાનદાર ફેરફાર આવશે. ઈચ્છાઓ પૂર્ણ થશે. વેપારમાં લાભ અને રોકાણના માર્ગ ખુલશે. વિદેશ યાત્રાની યોજના સફળ થઈ શકે છે.

ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.