57 વર્ષ બાદ રાહુ અને શનિ આવશે નજીક, આ જાતકોના જીવનમાં આવી શકે છે ભૂકંપ, દેશ-દુનિયા પર સંકટના એંધાણ!

Rahu Shani Yuti 2025: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 29 માર્ચે શનિના મીન રાશિમાં આવવાથી રાહુ સાથે મળી પિચાશ યોગનું નિર્માણ કરશે, જેનો પ્રભાવ દેશ-દુનિયાની સાથે 12 રાશિઓના જીવનમાં જોવા મળી શકે છે.

શનિ-રાહુ યુતિ

1/5
image

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે નવગ્રહ એક ચોક્કસ સમય બાદ રાશિ પરિવર્તન કરે છે, જેની અસર દરેક જાતકો પર પડે છે. મહત્વનું છે કે વર્ષ 2025 ગ્રહોની સ્થિતિની દ્રષ્ટિએ ખાસ છે, કારણ કે આ વર્ષે શનિથી લઈને રાહુ-કેતુ રાશિ પરિવર્તન કરશે, જેની અસર દેશ-દુનિયા પર જરૂર પડે છે. ન્યાયાધીશ શનિ 29 માર્ચે પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાંથી નીકળી મીન રાશિમાં ગોચર કરશે. જ્યાં પહેલાથી પાપી ગ્રહ રાહુ બિરાજમાન છે. તેવામાં બંને ગ્રહોની યુતિથી પિચાશ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. 29 માર્ચથી લઈને 18 મે 2025 સુધી બંને ગ્રહોની યુતિ છે, જેનો પ્રભાવ 12 રાશિઓ પર પડશે. 18 મેએ રાહુ રાશિ પરિવર્તન કરી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. તેવામાં રાહુ-શનિની યુતિથી બનેલો પિચાશ યોગ દેશ-દુનિયા પર અસર કરી શકે છે. જાણો કયા જાતકોએ સંભાળીને રહેવાની જરૂર છે.

1968માં બન્યો હતો આવો સંયોગ, દુનિયાભરમાં આવ્યું હતું સંકટ

2/5
image

વૈદિક જ્યોતિષ પ્રમાણે ન્યાયાધીશ આશરે 30 વર્ષ બાદ બીજીવાર એક રાશિમાં આવે છે અને રાહુ આશરે 18 વર્ષ બાદ બીજીવાર તે રાશિમાં આવે છે. તેવામાં આશરે 57 વર્ષ પહેલા આવો સંયોગ બન્યો હતો, જ્યારે મીન રાશિમાં રાહુ અને શનિની યુતિ થઈ હતી. મહત્વનું છે કે 1968માં બંને ગ્રહો એક સાથે મીન રાશિમાં એકત્ર થયા હતા. તે સમયે દેશ-દુનિયામાં મોટા ફેરફાર જોવા મળ્યા હતા. આ બંને ગ્રહની યુતિથી તે સમયે અમેરિકામાં સિવિલ રાઇટ્સ એક્ટિવિસ્ટ માર્ટિન લૂથર કિંગની હત્યા થઈ હતી. એટલું જ નહીં વિયતનામ યુદ્ધ વિરુદ્ધ અમેરિકી નાગરિકોમાં ખૂબ રોષ હતો. આ સિવાય આર્થિક મંદીનો સામનો કરવો પડ્યો હતો. આશરે 1969 અને 70માં દુનિયાભરમાં આર્થિક મંદીનો સામનો કરવો પડ્યો હતો. તેવામાં આ વર્ષે ઘણી મોટી ઘટનાઓ જોવા મળી શકે છે.

રાહુ-શનિની યુતિથી બનશે ખતરનાક યોગ

3/5
image

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ અને રાહુની યુતિથી પિચાશ યોગ બની રહ્યો છે. તેને પ્રેત, શાપિત યોગ પણ કહેવામાં આવે છે. વૈદિક જ્યોતિષ અનુસાર જ્યારે કુંડળીમાં બે પાપી ગ્રહ મળે છે તો તેની અસર સારી માનવામાં આવતી નથી. તેથી તેને શાપિત યોગ કહેવામાં આવે છે. તેવામાં જાતકોના જીવનમાં શારીરિક, માનસિક કષ્ટોની સાથે-સાથે ઉથલપાથલ ચાલતી રહે છે. ગુરૂની રાશિમાં રાહુ અને શનિની યુતિ બની રહી છે. તેવામાં ચોર કહેવાતા ગ્રહોને ગુરૂનું જ્ઞાન મળી જશે, જેથી તે વધુ શક્તિશાળી થઈ જશે.

પિચાશ યોગથી આ જાતકો રહે સાવધાન

4/5
image

શનિ અને રાહુની યુતિથી બનેલો પિચાશ યોગ કેટલાક જાતકોના જીવનમાં ઘણી સમસ્યા લાવી શકે છે. તેથી 18 મે સુધી કર્ક રાશિ, સિંહ રાશિ, કન્યા રાશિ, કુંભ રાશિ અને મીન રાશિના જાતકોએ સંભાળીને રહેવાની જરૂર છે. આ જાતકોને કરિયર અને બિઝનેસમાં ભારે નુકસાન થઈ શકે છે. સાથે પારિવારિક જીવનમાં સમસ્યા આવી શકે છે. તેથી સાવચેતી રાખવાની જરૂર છે. હાડકા, પાચન સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. નોકરી બદલવાનું વિચારી રહ્યાં છો તો આ સમય સુધી રોકાઈ શકો છો, કારણ કે નુકસાનના વધુ યોગ બની રહ્યાં છે. કાર્યભાર વધશે. દુર્ઘટનાનો યોગ બની રહ્યો છે, તેથી આ સમયે સાવચેત રહો.

ડિસ્ક્લેમરઃ

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.