ગોચર બાદ તાંબાના પાયે શનિની ચાલ, અઢી વર્ષ સુધી આ 3 રાશિવાળાને બંપર ફાયદો કરાવશે, ધન-વૈભવ, સુખ-સમૃદ્ધિ વધશે
શનિદેવે માર્ચ મહિનાની 29 તારીખે રાશિ પરિવર્તન કર્યું અને મીન રાશિમાં પ્રવેશ કર્યો. શનિ કેટલીક રાશિમાં તાંબાના પાયે ચાલી રહ્યા છે તે ફાયદાકારક નીવડી શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
ન્યાયના દેવતા અને કર્મફળ દાતા ગણાતા શનિદેવે હાલમાં જ 29 માર્ચના રોજ કુંભ રાશિમાંથી મીન રાશિમાં ગોચર કર્યું. આ સાથે શનિએ કેટલીક રાશિના જાતકોના જીવનમાં તાંબાના પાયે પ્રવેશ કર્યો છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે શનિદેવ જનમ રાશિથી ત્રીજા, સાતમા અને દસમા ભાવમાં ગોચર કરે તો તેને તાંબાનો પાયો કહેવામાં આવે છે. જે ખુબ શુભ ગણાય છે. તેને બીજો સૌથી સારો પાયો ગણવામાં આવે છે. તેનાથી ઘરમાં ખુશીઓ આવે છે અને સુખ સમૃદ્ધિ, ધન વૈભવની કમી રહેતી નથી. વૈદિક પંચાંગ મુજબ 29 માર્ચ 2025ના રોજ રાતે 11.01 કલાકે શનિએ મીન રાશિમાં પ્રવેશ કર્યો છે. આવામાં આ રાશિવાળાને બંપર લાભ મળી શકે છે. શનિના તાંબાના પાયે પ્રવેશથી કઈ રાશિવાળાને લાભ થશે તે ખાસ જાણો.
મિથુન રાશિ
મિથુન રાશિવાળાને શનિ નોકરી અને વેપારમાં ફાયદો કરાવશે. કારોબાર ખુબ પ્રગતિ કરશે. નવી નોકરીની ઓફર કે પ્રમોશન મળવાના યોગ છે. બધુ મળીને આવકમાં વધારાના યોગ છે. રોકાણ માટે સમય અત્યંત શુભ છે.
કન્યા રાશિના જાતકોને 2025માં સારો એવો લાભ થઈ શકે છે. કરિયરના ક્ષેત્રમાં તમને ખુબ લાભ થઈ શકે છે. વેપાર કે કોઈ અન્ય કામ માટે બેંક વગેરેમાંથી લોન લેતા હોવ તો તેમાં સફળતા મળી શકે છે. આ રાશિમાં રહીને શનિ નવમ, પહેલા અને ચતુર્થ ભાવમાં જોવા મળશે. આવામાં આ રાશિના જાતકોને ખુબ લાભ મળી શકે છે. મુસાફરીઓ થઈ શકે છે. તેનાથી સારો એવો ધનલાભ થવાના ચાન્સ છે. ઘરમાં ખુશીઓનો માહોલ રહેશે. વિદેશ વેપાર કરીને તમને ખુબ ધનલાભ થઈ શકે છે. રોકાણનું વિચારતા હોવ તો આ સમયગાળામાં લાભકારી સિદ્ધ થઈ શકે છે. લવલાઈફ સારી રહેશે અને દાંપત્ય જીવનમાં ખુશીઓ રહેશે.
મકર રાશિ
મકર રાશિવાળાને શનિની તાંબાના પાયે ચાલ ખુબ ફાયદો કરાવશે. સાડા સાતી ખતમ થઈ ચૂકી છે. આથી તેના દુષ્પ્રભાવોથી તો રાહત મળશે જ પરંતુ સાથે સાથે તમારું સાહસ અને પરાક્રમ વધશે. યોગ્ય નિર્ણય લેશો. પ્રગતિ અને પૈસો બંને મળશે. પ્રતિષ્ઠા વધશે.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos