અપ્રિલમાં પોતાના જ નક્ષત્રમાં શનિનું ગોચર, આ 3 રાશિ થશે માલામાલ અને પ્રેમમાં મળશે સફલતા!

Shani Nakshatra Parivartan 2025: જ્યોતિષ શાસ્ત્રમાં તમામ ગ્રહોની રાશિઓ પર શુભ કે અશુભ અસર પડે છે. પરંતુ જ્યારે ન્યાયના કારણ શનિદેવની વાત આવે છે, ત્યારે તેમના વિશે વધુ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.

શનિ ગ્રહની સ્થિતિ

1/11
image

કુંડળીમાં શનિ ગ્રહની સ્થિતિના આધારે કોઈ વ્યક્તિને શુભ કે અશુભ ફળની પ્રાપ્તિ થાય છે અથવા તેના સારા અને ખરાબ કર્મોનું ફળ મળી શકે છે.  શનિ ગ્રહ વ્યક્તિના માનસિક, નાણાકીય અને તેના કર્મોના હિસાબનો કારક છે.

લગભગ અઢી વર્ષ

2/11
image

શનિ ગ્રહ એક રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી રહે છે. બધા ગ્રહોમાં સૌથી ધીમી ગતિથી ચાલનારો સૂર્યપુત્ર જાતકો પર તેમનો પ્રભાવ ખૂબ જ લાંબા સમય સુધી જાળવી રાખે છે અને તેના ભૂતકાળના તમામ કર્મોનો હિસાબ કરે છે.

શનિ દેવનું નક્ષત્ર ગોચર

3/11
image

ફરી એકવાર શનિ દેવનું નક્ષત્ર ગોચર થવાનું છે. જેની અસર તમામ રાશિઓ પર પડશે. શનિ દેવ 28 એપ્રિલ 2025ના રોજ સવારે 7:52 વાગ્યે તેના પોતાના નક્ષત્રમાં ગોચર કરશે, એટલે કે શનિદેવ ઉત્તરા ભાદ્રપદમાં પ્રવેશ કરશે.

પોતાના જ નક્ષત્રમાં પ્રવેશ

4/11
image

શનિ દેવના પોતાના નક્ષત્રમાં પ્રવેશને કારણે ત્રણ રાશિના લોકોને નોકરીમાં પ્રગતિ અને વેપારમાં લાભ તેમજ પ્રેમમાં વૃદ્ધિ થઈ શકે છે. જાતકોના જીવનમાં મોટા બદલાવ આવી શકે છે. ચાલો જાણીએ આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.

વૃષભ રાશિ

5/11
image

વૃષભ રાશિના જાતકો માટે શનિનું નક્ષત્ર પરિવર્તન સકારાત્મક રહી શકે છે. ન્યાયના દેવતા શનિના પ્રભાવથી અટકેલા કામ પૂરા થશે. પરિવારનો કોઈપણ સભ્ય સ્થાવર મિલકત ખરીદી શકે છે. નવા વાહન ખરીદવાની તકો પણ બનશે.

વૃષભ રાશિના જાતકો

6/11
image

કાર્યક્ષેત્રમાં વૃષભ રાશિના જાતકોના કામની પ્રશંસા થઈ શકે છે. વિશેષ સન્માન મળી શકે છે. માતા-પિતાના આશીર્વાદથી જાતક કોઈ નવું કાર્ય શરૂ કરે છે તો તેને મોટી સફળતા મળી શકે છે. જીવનસાથી સાથે પ્રેમ વધશે.

કર્ક રાશિ

7/11
image

શનિનું નક્ષત્ર પરિવર્તન કર્ક રાશિના જાતકો માટે કલ્યાણકારી સાબિત થઈ શકે છે. વૈવાહિક જીવનમાં સમસ્યાઓનો અંત આવશે અને સંબંધોમાં મધુરતા આવી શકે છે. કોર્ટ સંબંધિત મામલાઓમાં જાતકને મોટી રાહત મળી શકે છે. દેવામાંથી મુક્તિના માર્ગો ખુલશે.

કર્ક રાશિના જાતકો

8/11
image

શનિના નક્ષત્રમાં પરિવર્તનને કારણે કર્ક રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે. દેવું ચૂકવવાનો રસ્તો મળી શકે છે. કોઈ મોટું રોકાણ કરવાની તક મળી શકે છે. ઘરમાં સુખ-શાંતિ આવી શકે છે. વેપારમાં ઈચ્છિત લાભ થઈ શકે છે.

તુલા રાશિ

9/11
image

તુલા રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે. શનિના નક્ષત્ર ગોચરને કારણે જાતક દ્વારા શરૂ કરવામાં આવેલ કામ સફળ અને લાભદાયી રહેશે. વિવાહિત જીવનમાં પ્રેમ અને મધુરતા વધશે. જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે.

તુલા રાશિના જાતકો

10/11
image

તુલા રાશિના જાતકોને અટકેલા રૂપિયા મળશે. કાર્યસ્થળ પર સિનિયરનો સંપૂર્ણ સહયોગ મળશે. વેપારમાં પ્રગતિની સાથે-સાથે અન્ય લાભ પણ મેળવી શકશો. સરકારી કામકાજ પૂર્ણ કરવા માટે આ સારો સમય છે.

11/11
image

Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. Zee 24 કલાક આની પુષ્ટિ કરતું નથી.