Shani Surya Yuti: 20 મે થી સૂર્ય-શનિ બનાવશે ત્રિએકાદશ યોગ, આ 3 રાશિઓ માટે કુબેરનો ખજાનો ખુલી જશે, ચારેતરફથી મળશે લાભ
Shani Surya Tri Ekadash Yog : શનિ ગ્રહ હાલ મીન રાશિમાં ગોચર કરે છે. થોડા સમય પહેલા જ સૂર્ય એ પોતાની રાશિ બદલી વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો છે. સૂર્ય અને શનિની આ સ્થિતિથી ખાસ યોગ બનવાનો છે. જે ત્રણ રાશીના લોકો માટે લાભકારી સિદ્ધ થશે.
સૂર્ય અને શનિને પરમ શત્રુ ગ્રહ
જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય અને શનિને પરમ શત્રુ ગ્રહ માનવામાં આવે છે. આ બંને ગ્રહ વચ્ચે પિતા અને પુત્રનો સંબંધ પણ છે. આ સમયે સૂર્ય વૃષભ રાશિમાં છે અને શનિ મીન રાશિમાં છે. 20 મે 2025 ના રોજ સૂર્ય અને શનિની ખાસ સ્થિતિથી વિશેષ યોગ બનશે. આ દિવસે સૂર્ય અને શનિ એકબીજાની નજીક 60 ડિગ્રી પર હશે જ તેથી ત્રિએકાદશી યોગ બનશે. જે ત્રણ રાશિના લોકોને લાભ કરાવશે.
વૃષભ રાશિ
સૂર્ય અને શનિનો ત્રિએકાદશ યોગ વૃષભ રાશિના લોકોની સ્થિતિમાં સુધારો કરશે. જીવનમાં સાચો પ્રેમ મળશે. આકસ્મિક ધન લાભના યોગ બની શકે છે. આર્થિક સ્થિતિ સુધરશે. માનસિક શાંતિ મળશે.
કર્ક રાશિ
સૂર્ય અને શનિ કર્ક રાશિના લોકોને પણ લાભ કરાવશે. કર્ક રાશિના લોકો માટે ગોલ્ડન પિરિયડ શરૂ થશે. કારકિર્દીમાં સકારાત્મક ફેરફાર આવી શકે છે. આર્થિક લાભ થશે. અટકેલા કામ પુરા થશે.
કન્યા રાશિ
સૂર્ય અને શનિની સ્થિતિ કન્યા રાશિ માટે પણ શુભ ફળદાયી છે. આ સમય દરમિયાન શુભ સમાચાર મળી શકે છે. અગાઉ જે સમસ્યાઓ હતી તે હવે દૂર થશે. કામકાજમાં પ્રગતિ થઈ શકે છે. આર્થિક સ્થિતિ સુધરશે.
Trending Photos