રોજ રોજના સ્ટ્રેસથી કંટાળી ગયા છો? જીવનમાં આ રંગનો કરો ઉમેરો, મળશે મોટી રાહત

નવી દિલ્લીઃ વાસ્તુ શાસ્ત્ર મુજબ આપણાં જીવનમાં રંગોનું પણ વિશેષ મહત્ત્વ હોય છે. દરેક રંગ આપણને કંઈકને કંઈક સુચન કરે છે. વિવિધ રાશિ મુજબ અલગ અલગ લોકોને જુદા-જુદા રંગો પરિધાનમાં સજ્જ જોવા મળે છે. જેની આપણા જીવન પર સીધી અસર થતી હોય છે. કયા રંગની આપણાં પર કેવી અસર થાય છે તે પણ જાણીએ...

ખુબ અસરકારક છે રંગ

1/6
image

વાસ્તુશાસ્ત્રમાં રંગોને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. રંગોનો આપણા મૂડ અને આસપાસના વાતાવરણની ઊર્જા પર જબરદસ્ત અસર પડે છે. જો તમે વાસ્તુ અનુસાર રંગો પસંદ કરો છો તો તમે ઘણી હદ સુધી તણાવમુક્ત રહી શકો છો. વાસ્તુ અનુસાર, રંગો તણાવ ઘટાડવા અથવા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

લાઈટ ગ્રે અને ગુલાબી રંગનો ઉપયોગ

2/6
image

ગ્રે અને ગુલાબી રંગને સૌમ્ય માનવામાં આવે છે. આ રંગો મનને શાંત રાખે છે અને માનસિક તણાવ ઘટાડવામાં મદદ કરે છે. દીવાલો પર લાઇટ ગ્રે કલરનો ઉપયોગ કરવાથી તમને ખુશી અને માનસિક શાંતિનો અનુભવ થશે. બીજી તરફ, ગુલાબી રંગ તમને તણાવની વચ્ચે પણ પ્રેમનો અહેસાસ કરાવે છે. આ રંગ તમને જીવનમાં સંતુલન બનાવવામાં પણ મદદ કરે છે. ખાસ કરીને બેડરૂમમાં તેનો ઉપયોગ કરવો ખૂબ જ સારો છે.

લવંડર કલર

3/6
image

લવંડર રંગ તણાવ ઘટાડવામાં અદ્ભુત અસર દર્શાવે છે. જો તમે તણાવમાં હોવ તો લવંડર રંગના કપડા પહેરવા, બેડશીટનો ઉપયોગ કરવાથી તમને ઘણી રાહત મળી શકે છે. આ રંગ શાંતિ અને આરામ આપે છે. જે લોકો ખુશ રહેવા માંગે છે તેમણે આ રંગનો બને તેટલો ઉપયોગ કરવો જોઈએ.

વાદળી રંગ

4/6
image

હળવા વાદળી રંગનો વધુને વધુ ઉપયોગ તમારા જીવનમાંથી તણાવને હંમેશ માટે દૂર કરી શકે છે. તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ ખૂબ મદદરૂપ છે. જો તમે તણાવમાં છો, તો તમે સતત થોડો સમય વાદળી રંગને જોઈને થોડી હળવાશ અનુભવશો.

સફેદ રંગ

5/6
image

સફેદ રંગ શાંતિ અને પ્રેમનું પ્રતીક છે. તે શાંતિ અને શુદ્ધતાની લાગણી આપે છે. તેના ઉપયોગથી માનસિક શાંતિ મળે છે અને તણાવ ઓછો થાય છે. વિચારને પણ સકારાત્મક બનાવે છે.

લીલો રંગ

6/6
image

લીલો રંગ આપણને પ્રકૃતિ સાથે જોડે છે. તે શાંતિ અને સર્જનાત્મકતાનું પ્રતીક પણ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, આ રંગ સુખ આપે છે અને હતાશા ઘટાડે છે. જે લોકો મોટાભાગે તણાવમાં રહે છે, તેમણે લીલા કપડાં પહેરવા જોઈએ. આ રંગને પણ શુભ માનવામાં આવે છે. તમે તમારા રૂમમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો.   (Disclaimer: यहां दी गई जानकारी सामान्य मान्यताओं और जानकारियों पर आधारित है. ZEE NEWS इसकी पुष्टि नहीं करता है.)