144 મહિના બાદ બે શક્તિશાળી ગ્રહોની થશે મહાયુતિ, 3 રાશિવાળા ધનના ઢગલે બિરાજશે! ચારેબાજુથી મળશે સફળતા
Sun And Jupiter Conjunction In Mithun: વૈદિક જ્યોતિષ મુજબ 12 વર્ષ બાદ મિથુન રાશિમાં સૂર્ય અને ગુરુની યુતિ બની રહી છે. જેનાથી કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે.
વૈદિક જ્યોતિષ મુજબ જૂનમાં માન સન્માનના કારક ગ્રહ સૂર્ય અને સમૃદ્ધિના દાતા ગુરુ બૃહસ્પતિની યુતિ બનવા જઈ રહી છે. જેની તમામ રાશિઓ પર અસર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેમનો સારો સમય શરૂ થઈ શકે છે. આ સાથે જ આ રાશિઓની આવકમાં વધારો અને નોકરીમાં પદોન્નતિના યોગ બની રહ્યા છે. જાણો આ ભાગ્યશાળી રાશિઓ વિશે...
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે સૂર્ય અને ગુરુ બૃહસ્પતિનો સંયોગ ખુબ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી ગોચર કુંડળીથી બીજા સ્થાન પર બની રહી છે. આથી આ સમય દરમિયાન તમારી વાણીમાં પ્રભાવ જોવા મળશે. આકસ્મિક ધનલાભ થઈ શકે છે. આવકના નવા નવા સ્ત્રોત બનશે, માનસિક દ્રઢતા અને નિર્ણય ક્ષમતામાં વધારો થશે. વેપારીઓને ઉધાર ધન મળી શકે છે. કરિયરના ક્ષેત્રમાં નવી તકો મળશે અને તમારી મહેનતનું ફળ મળશે. જો તમે નોકરીની શોધમાં હશો તો જલદી સારી તક મળી શકે છે.
મીન રાશિ
મીન રાશિવાળા માટે પણ આ યુતિ સકારાત્મક રહી શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિથી ચોથા ભાવ પર બનવા જઈ રહી છે. આથી તમને ભૌતિક સુખોની પ્રાપ્તિ થઈ શકે છે. કોઈ વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. ધનલાભના યોગ છે. નવી લેવડદેવડથી લાભ થશે. કૌટુંબિક જીવનમાં સુખ શાંતિ રહેશે. ઈચ્છાઓ પૂરી થશે.
તુલા રાશિ
સૂર્ય અને ગુરુ બૃહસ્પતિનો સંયોગ તુલા રાશિના જાતકોને લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી રાશિથી ભાગ્યના સ્થાન પર બનવા જઈ રહ્યો છે. આથી તમને ભાગ્યનો સાથ મળશે. વેપારીઓને સારો નફો થશે. નવા વ્યવસાયિક સંબંધો બનશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. દેશ વિદેશની મુસાફરી થઈ શકે છે.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos