Astro Tips: જેના ઘરમાં આ યંત્ર હોય છે તે વ્યક્તિ જીવે છે ટાટા-બિરલા જેવી લાઇફ, ખુલી જાય છે કિસ્મતના તાળા
સૂર્ય ગ્રહોનો રાજા ગણવામાં આવે છે. જો કોઇપણ વ્યક્તિની કુંડળીમાં મજબૂત હોય તો તે વ્યક્તિના જીવનમાં પ્રગતિ પ્રાપ્ત કરવાથી કોઇ રોકી શકતું નથી. તે વ્યક્તિને પોતાના જીવનમાં ભાગ્યનો ભરપૂર સાથે મળે છે. સૂર્યની મજબૂત સ્થિતિ વ્યક્તિને જીવનમાં ધનવાન બનાવે છે સાથે જ સમાજમાં તેનું માન અને સન્માન પણ વધે છે.
તો બીજી તરફ વાસ્તુ શાસ્ત્રના અનુસાર જો વ્યક્તિના ભાગને પ્રબળ બનાવવું છે તો તેને પોતાના ઘરે અથવા બિઝનેસની જગ્યા પર સૂર્ય યંત્ર રાખવું જોઇએ, જે તેની જીંદગીમાં ખૂબ સકારાત્મક પ્રભાવ પાડે છે. આવો જાણીએ કેવી રીતે.
વાસ્તુ શાસ્ત્રના અનુસાર સૂર્ય યંત્રના દર્શન માત્રથી તેનો લાભ મળે છે. સૂર્ય યંત્રને ઘરમાં એટલા માટે સ્થાપિત કરે છે જેથી સૂર્ય ગ્રહની શુભતા વિશેષ રૂપથી પ્રાપ્ત થઇ શકે. જો કુંડળીમાં સૂર્યની અશુભ સ્થિતિ હોય તો તે સૂર્ય યંત્રની પૂજા કરી તેને ઠીક કરવામાં આવે છે.
જો વ્યક્તિને પોતાના ભાગ્યને પ્રબળ બનાવવું છે તો તેને સૂર્ય યંત્રનો ઉપયોગ કરવો જોઇએ. જો મહેનત બાદ પણ વ્યક્તિનું કામ પાર પડતું અંથી તો તેને ઘરમાં સૂર્ય યંત્રને સ્થાપિત કરી પૂજા કરવી જોઇએ ત્યારબાદ તેને ભાગ્યનો સાથે મળવા લાગે છે.
જો મહેનત બાદ નોકરીમાં પ્રગતિ પ્રાપ્ત થઇ રહી નથી ઓ તેને પોતાની ઓફિસના ટેબલ પર જ્યાં કામ કરે છે ત્યાં સૂર્ય યંત્ર રાખો. દરરોજ ઓફિસ પહોંચતા તેની પૂજા કરો અને પછી પ્રગતિ તમારા કદમ ચૂમવા લાગશે.
જો કોઇ વ્યક્તિ નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યો છે તો તેણે ઓફિસમાં વર્ક પ્લેસ પર સૂર્ય યંત્ર સ્થાપિત કરી કામ શરૂ કરતાં પહેલાં દરરોજ તેની પૂજા કરવી જોઇએ. તેનાથી બિઝનેસમાં નફો થવો નિશ્વિત છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)