Taarak Mehta Ke Ooltah Chashmah ના આ 5 સિતારા હજુ પણ છે સિંગલ, અય્યર અને બબીતા પણ સામેલ
ફેસમ ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ke Ooltah Chashmah) છેલ્લા ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ સીયિરલના દરેક પાત્રો સાથે દર્શકોને ખાસ લગાવ છે. છેલ્લા ઘણા વર્ષોમાં અનેક કોમેડી શો આવ્યા અને બંધ થયા પરંતુ આ સીરિયલની લોકપ્રિયતા ઓછી થઈ નથી. શોમાં ઘણા કલાકાર કપલ તરીકે જોવા મળે છે તો કોઈ સિંગલ છે. પરંતુ શું તમે જાણો છો કે શોના ઘણા એક્ટર આજ સુધી કુવારા છે અને બેચલરહુડ એન્જોય કરી રહ્યાં છે.
5 સ્ટાર્સ સાથે કરો મુલાકાત
આજે અમે તમારી મુલાકાત એવા 5 કલાકારો સાથે કરાવી રહ્યાં છીએ જે રિયલ લાઇફમાં કુંવારા છે. તેણે હજુ સુધી લગ્ન કર્યા નથી.
તનુજ મહાશબ્દે ઉર્ફે અય્યર
તનુજ મહાશબ્દે એટલે કે ગોકુલધામ સોસાયટીના કૃષ્ણન અય્યર પણ અસલ જીવનમાં કુંવારો છે. જ્યારે શોમાં તે બબીતા જીનો પતિ છે.
મુનમુન દત્તા ઉર્ફે બબીતા જી
શોમાં બબીતા અય્યર એટલે કે કૃષ્ણન સુબ્રમણ્યમ અય્યરની પત્નીની ભૂમિકા માટે ઓળખ બનાવનાર અભિનેત્રી મુનમુન દત્તા રિયલ લાઇફમાં હજુ સિંગલ છે. મુનમુન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને પોતાની સ્ટાઇલથી લોકોને દીવાના બનાવે છે.
ગુરૂચરણ સિંહ ઉર્ફે રોશન સિંહ સોઢી
સરદાર રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવી લોકોના ચહેરા પર હાસ્ય લાવનાર અભિનેતા ગુરૂચરણ સિંહ હંમેશા પોતાની પત્ની રોશનને પ્રેમ કરતો જોવા મળે છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે તેણે હજુ સુધી લગ્ન કર્યા નથી. તે સિંગલ છે.
નેહા મેહતા ઉર્ફે અંજલી મેહતા
ગોકુલધામ સોસાયટીના બુદ્ધિમાન સભ્ય તારક મેહતાની પત્ની અંજલી ભાભીનું પાત્ર ભજવનાર અભિનેત્રી નેહા મેહતાએ અત્યાર સુધી રિયલ લાઇફમાં કોઈને પોતાનો જીવન સાથી બનાવ્યો નથી.
બાવરી ઉર્ફે મોનિકા ભદોરિયા
આ શોમાં બાઘાના પ્રેમમાં પડેલી બાવરીને કોણ નથી ઓળખતું. બાવરીનું નામ મોનિકા ભદોરિયા છે. શું તમે જાણો છો કો રિયલ લાઇફમાં તેને પોતાનો બાઘો મળ્યો નથી અને તે સિંગલ છે. મોનિકાએ કોઈ કારણોથી વર્ષ 2018માં સીરિયલ છોડી દીધી હતી.
Trending Photos