ગુજરાતમાં આજે ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી, વાવાઝોડા જેવો પવન ફૂંકાશે
Gujarat Weather Forecast : બંગાળ સાગરમાં સીઝનનું પ્રથમ સાઇક્લોન હળવા પ્રકારનું બન્યું છે. જેની અસરને પગલે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી આવી ગઈ છે. ગુજરાતના અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે આજે ક્યાં ક્યાં આગાહી છે તે જોઈએ.
કયા કયા જિલ્લાના વાતાવરણમાં આવશે પલટો
તેમણે કહ્યું કે, કચ્છ, બનાસકાંઠાના ભાગો, રાજસ્થાન સહિતના ભાગોમાં આજથી હવામાનમાં મોટો પલટો આવશે. ધૂળની ડમરીઓ સાથે કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે છાંટા પડવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, કચ્છના ભાગો, ઉત્તર ગુજરાત, પંચમહાલ, મહીસાગરના ભાગોમાં સાંજ સુધી હવામાનમાં મોટો પલ્ટો આવશે. મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર, કલોલ , વડોદરા, ધોળકા, વિરમગામ, કડી, મહેસાણા, બનાસકાંઠામાં આજથી પલ્ટો આવશે.
ગુજરાતમાં આંધી-વંટોળની આગાહી - અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાતે કહ્યું કે, આગામી 24 કલક દરમિયાન પલ્ટો રહેવાની શક્યતાઓ છે. આ વખતે મે માસમાં અધી વંટોળની ગતિવિધિ થતી હોય છે, તે ગતિવિધિ આજથી જોવા મળશે. એપ્રિલમાં સખ્ત પવનના તોફાનો અને ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાશે. જેમાં આંચકાનો પવન કોઈ કોઈ ભાગમાં 35 થી 40 કિલોમીટર અને કોઈ કોઈ ભાગમાં 50 કિલોમીટર પર કલાકની ગતિવિધિ થઈ શકે છે.
ક્યાં ક્યાં વરસાદની છે આગાહી
તેમણે કહ્યું કે, ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, પાટણ, મહેસાણા અને બનાસકાંઠાના કેટલાક ભાગોમાં છૂટાછવાયા ઝાપડા પડી શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો, દ્વારકા, જામનગર, જૂનાગઢ અને રાજકોટમાં પણ આવતીકાલે છૂટાછવાયા ઝાપટા પડી શકે છે. જે બાદ 12 એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાતના મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા ડાંગ, આહવા, વલસાડ જેવા વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડી શકે છે.
વાવાઝોડા જેવો પવન ફૂંકાશે - પરેશ ગોસ્વામી
ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. અંગ દઝાડતી ગરમી વચ્ચે કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે પરેશ ગોસ્વામીની આગાહી કહે છે કે, આજથી તાપમાન ઘટવાની સાથે-સાથે પવનની ગતિ પણ વધવાની છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં 20 થી 25 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં પવનની ગતિ 35 થી 45 કિમીની રહી શકે છે. જો કે કેટલાક વિસ્તારમાં હવાની અસ્થિરતા જોવા મળી રહી છે. આ ભેજ અને અસ્થિરતા વાળા પવનોના કારણે કેટલાક ઠેકાણે ઝાપટા પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે પણ કહ્યું કે, આગામી ત્રણ દિવસ લોકોને ગરમીથી આંશિક રાહત મળશે. ત્રણ દિવસ બાદ ફરી ગરમીનો કહેર શરુ થશે.15 એપ્રિલએ કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં યેલો અલર્ટ છે. તો 16 અને 17 એપ્રિલે રાજકોટ, કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં યેલો અલર્ટ છે. હાલ દક્ષિણ પશ્ચિમ દક્ષિણના પવન ફૂંકાયા છે. આગામી 48 કલાકમાં 2 થી 3 ડીગ્રી તાપમાન ઘટશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં 15 થી 17 એપ્રિલના હીટવેવની આગાહી છે.
Trending Photos