દિવાળી બાદ વાતાવરણમાં મોટી ઉથલપાથલ થશે, આવશે વાવાઝોડું! અંબાલાલની આગાહી
Ambalal Patel Forecast : વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લામાં પવન સાથે વરસાદ વરસ્યો છે. હજુ પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની હવામાનની આગાહી છે. દિવાળી બાદ ગુજરાત પર ફરીવાર ચક્રવાતનો ખતરો મંડરાયો છે. અંબાલાલ પટેલની આગાહી કહે છે કે, 26 ઓકટોબર બાદ બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાશે. ચક્રવાતની અસરને પગલે હવામાનમાં પલટો આવશે. 30 ઓકટોબર સુધીમાં માવઠું થવાની શક્યતા છે.
ક્યારે ફૂંકાશે વાવાઝોડું

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર દિવાળી બાદ ગુજરાત પર ફરી ચક્રવાતનો ખતરો જોવા મળી શકે છે. અંબાલાલ પટેલે ઓકટોબરના અંતમાં ચક્રવાતની આગાહી કરવામાં આવી છે. 26 ઓકટોબર બાદ બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાશે. ચક્રવાતની અસરને પગલે હવામાનમાં પલટો આવશે. 30 ઓકટોબર સુધીમાં માવઠું થવાની શક્યતા છે. આ ઉપરાંત રાજ્યમાં 23 ઓકટોબરથી ઠંડા પવન ફૂંકાવવાની પણ શક્યતા છે.
વાવાઝોડાને કારણે વરસાદ આવશે

હવામાન વિભાગની આગાહી અનુસાર દિવાળી પર માવઠાની અસર જોવા મળી શકે છે. દિવાળી બાદ ચક્રવાતની પણ શકયતાઓ છે. આગાહીકાર અંબાલાલ પટેલની ખુબ જ ડરામણી આગાહી સામે આવી છે. અંબાલાલનુ અનુમાન છે કે 26 ઓક્ટોબર બાદ બંગાળની ખાડીમાં ભારે ચક્રવાત સર્જાશે. ચક્રવાતની અસરને પગલે હવામાનમાં પલટો આવશે. 30 ઓકટોબર સુધીમાં માવઠું થવાની શક્યતા છે
હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું કે, આજે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોને છોડતા સમગ્ર રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. સવારે અને રાત્રે ઠંડીનો અને દિવસે ગરમીનો અનુભવ થશે. મહત્તમ તાપમાન 35 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. 17 થી 19 ઓક્ટોબર સુધી રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. આગામી 7 દિવસ માટે રાજ્યમાં મહત્તમ તાપમાનમાં ખાસ વધારો જોવા મળશે નહી. જ્યારે ન્યૂનતમ તાપમાનમાં 2 થી 3 ડીગ્રીનો વધારો થશે. આગામી દિવસોમાં પૂર્વથી ઉત્તર પૂર્વ તરફ પવનની દિશા રહેશે.
ક્યાં ક્યાં વરસાદની આગાહી

તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તો અમદાવાદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ રહેશે અને ન્યૂનતમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે.
Trending Photos




