એસિડિટી કહી દો બાય-બાય! રોજ આ 5 શાકભાજીનું સેવન કરવાથી મળશે છુટકારો, પાચન રહેશે સ્વસ્થ

Which Foods Reduce Acidity: બદલાતી ઋતુમાં ખાનપાનમાં થોડી બેદરકારીથી એસિડિટી અને પેટની અન્ય સમસ્યાઓ થઈ શકે છે. ખાસ કરીને ઉનાળામાં બહારથી તળેલું અને મસાલેદાર ખાવાથી પેટમાં બળતરા, ગેસ અને ખાટા ઓડકાર જેવી સમસ્યાઓ થાય છે.

1/7
image

બદલાતી ઋતુમાં ખાનપાનમાં થોડી બેદરકારીથી એસિડિટી અને પેટની અન્ય સમસ્યાઓ થઈ શકે છે. ખાસ કરીને ઉનાળામાં એસિડિટી, બળતરા, ગેસ અને ખાટા ઓડકાર જેવી સમસ્યાઓ થાય છે. જો કે, તમારા આહારમાં કેટલીક ખાસ શાકભાજીનો સમાવેશ કરીને તમે એસિડિટીની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. આ શાકભાજી પેટને ઠંડક તો આપે જ છે સાથે-સાથે પાચનક્રિયા પણ સુધારે છે. ચાલો જાણીએ તે 5 શાકભાજી વિશે જે એસિડિટી દૂર કરવામાં મદદ કરે છે.

દૂધી

2/7
image

દૂધી એક સુપરફૂડ છે, જે પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પાણીની માત્રા વધારે હોય છે, જેના કારણે તે શરીરને ઠંડક આપે છે. દૂધી ખાવાથી પેટમાં બનતું વધારાનું એસિડ ન્યૂટ્રલાઈઝ થઈ જાય છે અને એસિડિટીની સમસ્યા ઓછી થાય છે. તેને શાકભાજી, જ્યૂસે અથવા સૂપના રૂપમાં ડાયટમાં સામેલ કરી શકાય છે.

કાકડી

3/7
image

ઉનાળાની ઋતુમાં એસિડિટી દૂર કરવામાં કાકડી ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પાણી અને ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, જે શરીરને હાઈડ્રેટ રાખે છે અને પાચનમાં સુધારો કરે છે. કાકડીના નિયમિત સેવનથી પેટમાં બળતરા અને કબજિયાત જેવી સમસ્યાઓ પણ ઓછી થાય છે.

કોબી

4/7
image

કોબી બળતરા વિરોધી ગુણોથી ભરપૂર છે, જે પેટની બળતરાને શાંત કરે છે. તે પેટની અસ્તરને સુરક્ષા પ્રદાન કરે છે અને પેટની એસિડિટીને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેને સલાડ, સૂપ કે શાક તરીકે ખાઈ શકાય છે.

પાલક

5/7
image

પાલકમાં ભરપૂર માત્રામાં ફાઈબર અને આયર્ન હોય છે, જે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. તેમાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ પેટની બળતરા ઓછી કરે છે અને એસિડિટીથી રાહત આપે છે. તમે તેને શાકભાજી, સૂપ અથવા જ્યૂસના રૂપમાં લઈ શકો છો.

કોળુ

6/7
image

કોળુ એક આલ્કલાઇન શાકભાજી છે, જે પેટની એસિડિટી ઘટાડવામાં મદદ કરે છે. તેમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, જે પાચનને સુધારે છે અને પેટને હલકું મહસૂસ થાય છે. એસિડિટીથી રાહત આપવા માટે કોળાનું શાક અથવા સૂપ સારો વિકલ્પ છે.

7/7
image

Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. જો તમે ક્યાંય પણ તમારા સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ વાંચો છો, તો તેને અપનાવતા પહેલા ચોક્કસપણે ડોક્ટરની સલાહ લો.