Nonveg Dal: કેમ હિંદુ ધર્મના લોકો આ દાળને માને છે નોનવેજ, સાધુ-સંત ભોજનમાં નથી કરતા સામેલ
દરરોજના ડાયટમાં આપણે વિવિધ દાળનું સેવન કરીએ છીએ, તે શાકાહારી હોય છે અને પ્રોટીનનો સારો સોર્સ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે એક એવી દાળ છે જેને માંસાહારી માનવામાં આવે છે. અમે જે દાળની વાત કરી રહ્યાં છીએ તેને હિંદુ ધર્મમાં તામસિક માનવામાં આવે છે.
હાઈ પ્રોટીન વેજ ફૂડ્સ
જ્યારે પણ શાકાહારી ભોજનની વાત આપે છે તો આપણા મગજમાં સૌથી પહેલા દાળ, શાકભાજી, ચોખા અને રોટલીનું નામ આવે છે. પરંતુ જો તેના પર સવાલ ઉઠાવવામાં આવે કે જેને તમે શાકાહારી સમજો છો તે શું ખરેખર વેજ છે. પરંતુ આ કડવું સત્ય છે કે એક એવી દાળ છે જેને હિંદુ ધર્મના લોકો માંસાહારી માને છે.
માંસાહારી મસૂર દાળ
હિંદુ ધર્મમાં મસૂરની દાળને તામસિક ભોજન તરીકે જોવામાં આવે છે, કારણ કે તેને નોનવેજ સમાન માનવામાં આવે છે. જેથી સાધુ-સંતો અને બ્રાહ્મણો તેનું સેવન કરતા નથી. તેની પાછળ ઘણી માન્યતાઓ તેને કામધેનુ ગાયથી જોડે છે. તેમ કહેવામાં આવે છે કે આ છોડ તે જગ્યા પર ઉગે છે જ્યાં આ ગાય પર હુમલો થયો હતો અને કામધેનુનું લોહી પડ્યું હતું.
કામધેનુ ગાય
એવું માનવામાં આવે છે કે આ ગાય દેવતાઓએ જમદગ્નિ અને વશિષ્ઠ જેવા ઋષિઓને ભેટ તરીકે આપી હતી. ઋષિમુનિઓ પાસેથી ગાય ચોરવાનો પ્રયાસ કરતી વખતે રાજા સહસ્ત્રબાહુએ કામધેનુ પર બાણોથી હુમલો કર્યો. ત્યારથી કહેવાય છે કે જ્યાં પણ કામધેનુ ગાયનું લોહી પડ્યું ત્યાં લાલ મસૂરના છોડ ઉગ્યા. તેથી આ દાળ દૈવી ગાયના બલિદાન સાથે જોડાયેલી છે.
कौन थे राहु केतु
તેની પાછળ એક મોટી રસપ્રદ કહાની છે કે જ્યારે ભગવાન વિષ્ણુએ સ્વરભાનુ નામના અસુરનો વધ કર્યો ત્યારે તે મર્યો નહીં પરંતુ તેનું શરીર બે ભાગમાં વિભાજીત થઈ ગયું. તે અસુરના માથાનો એક ભાગ રાહુ કહેવાયો અને ધડ કેતુ નામથી ઓળખવા લાગ્યો. તેમ માનવામાં આવે છે કે તેનું માથુ કાપ્યા બાદ જે લોહી પડ્યું તેનાથી મસૂરની દાળની ઉત્પત્તિ થઈ. આ કારણ છે કે સાધુ-સંત અને વૈષ્ણવ પદ્ધતિને માનતા લોકો લાલ મસૂરની દાળને માંસાહારના રૂપમાં જુએ છે અને તેનું સેવન કરતા નથી.
हाई प्रोटीन दाल के नुकसान
પરંતુ આ બધા સિવાય એક બીજું કારણ સામે આવે છે કે લાલ દાળમાં પ્રોટીનની માત્રા ઘણી વધારે હોય છે જેના કારણે તેની સરખામણી માંસ સાથે કરવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે આ મસૂર આળસને પ્રોત્સાહન આપે છે અને આવી વસ્તુઓ ઋષિ-મુનિઓ માટે સારી નથી, તેથી પ્રાચીન સમયથી વિદ્વાનોએ લાલ દાળના સેવન પર પ્રતિબંધ મૂક્યો છે.
ડિસ્ક્લેમર આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.
Trending Photos