)
Extra Marital Affairs: લગ્નજીવન એકબીજા પર વિશ્વાસ, એકબીજા માટે પ્રેમ અને સમજદારી પર ટકે છે. પરંતુ ઘણીવાર પતિ કે પત્ની પોતાના જ પાર્ટનરને ઈગ્નોર કરી અજાણી વ્યક્તિની નજીક આવી જાય છે. પરપુરુષ કે પરસ્ત્રી સાથે ઈમોશનલી અટેચમેન્ટ વધી જાય તો એક્સ્ટ્રા મેરિટલ અફેર શરુ થઈ જાય છે. એક્સ્ટ્રા મેરિટલ અફેર શરુ થવા પાછળ ફક્ત ફિઝિકલ આકર્ષણ જવાબદાર નથી હોતું. પરંતુ ઘણીવાર વ્યક્તિની મેન્ટલ અને ઈમોશનલ નીડના કારણે પણ આવું થાય છે. આજે તમને જણાવીએ 5 એવા કારણો વિશે જેના કારણે પતિ કે પત્ની બેવફાઈ કરી બેસે છે.
5 કારણોને લીધે શરુ થાય એક્સ્ટ્રા મેરિટલ અફેર
ઈમોશનલ સપોર્ટનો અભાવ
લગ્ન પછી દરેક વ્યક્તિ ઈચ્છે કે તેનો પાર્ટનર તેની લાગણીને સમજે અને તેને ઈમોશનલ સપોર્ટ કરે. પરંતુ જ્યારે પતિ કે પત્ની તરફથી ઈમોશનલ સપોર્ટ ન મળે એટલે કે વાતચીતમાં રસ દાખવે, વાત ન સાંભળે, સતત ખરાબ વર્તન કરે, કોઈ એક વ્યક્તિ હંમેશા એકલી રહેતી હોય તો એક્સ્ટ્રા મેરિટલ અફેર શરુ થવાની શક્યતા વધી જાય છે. કારણ કે એકલતા વચ્ચે જ્યારે કોઈ બીજી વ્યક્તિ તરફથી સપોર્ટ મળી જાય તો તેના પ્રત્યે આકર્ષણ અને પ્રેમ વધી જાય છે.
પતિ-પત્ની વચ્ચે વાતચીતનો અભાવ
વાતચીત કરવી મજબૂત સંબંધનો પાયો છે. જો પતિ-પત્ની વચ્ચે કોમ્યુનિકેશન ગૈપ હોય તો સંબંધોમાં ધીરે ધીરે ગેરસમજ અને અંતર વધવા લાગે છે. આ ખામી પુરી કરવા માટે વ્યક્તિ બહાર કોઈ એવી વ્યક્તિને શોધવા લાગે છે જે તેની વાત સાંભળે. જ્યારે આવું કોઈ મળી જાય તો ઘરને બદલે બહાર વ્યક્તિના સંબંધો વધવા લાગે છે.
પાર્ટનરને ઈગ્નોર કરવા અને મહત્વ ન આપવું
જ્યારે પતિ કે પત્ની પોતાના પાર્ટનરને સતત ઈગ્નોર કરે, તેનામાં ખામી છે કે તે લાયક નથી તેવો અનુભવ કરાવે તો વ્યક્તિ ઈમોશનલી હર્ટ થઈ જાય છે. જ્યારે પત્ની કે પતિએ કરેલા કામની સરાહના ન થાય અને તેના મહત્વને ધ્યાનમાં લેવામાં ન આવે તો આ સ્થિતિમાં તે અન્ય તરફ આકર્ષિત થઈ શકે છે. જો તેના જીવનમાં એવી વ્યક્તિ આવે કે જે તેની સરાહના કરે, તેને મહત્વ આપે તો તેના પ્રત્યે પ્રેમ વધી શકે છે.
લગ્નજીવનમાં રોમાંસ અને એક્સાઈટમેંટનો અભાવ
લગ્નની શરુઆતના સમયમાં બધું જ એક્સાઈટિંગ હોય છે પરંતુ સમયની સાથે પતિ પત્ની વચ્ચે રોમાંસ અને એક્સાઈટમેન્ટ ઘટી જાય છે. જેના કારણે પાર્ટનર એકબીજા સાથે કંટાળો અનુભવે છે. આ સ્થિતિમાં કોઈ નવી વ્યક્તિ આવે જે તેને એનર્જી, ખુશી અને રોમાંચનો અનુભવ કરાવે તો તેની સાથે અટેચમેન્ટ વધી શકે છે.
સમાન વિચાર અને રસના વિષયો
ઘણીવાર લોકો એવા વ્યક્તિ તરફ આકર્ષિત થઈ જતા હોય છે જેના વિચારો, પસંદ, નાપસંદ, શોખ બધું જ તેને અનુકૂળ હોય. રસના વિષયો એકસમાન હોવા અથવા જીવન માટેનો દ્રષ્ટિકોણ એક હોય તો પણ વ્યક્તિ ધીરે ધીરે તે વ્યક્તિ સાથે કનેક્ટ થઈ જાય છે અને સંબંધો અફેર બની જાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)