Marriage: લગ્ન પછી આ 5 બાબતે રોજ લમણાઝીંક કરવી પડે તો યુવતીનો લગ્ન કર્યાનો ઉત્સાહ અફસોસમાં બદલી જાય

Worst Thing About being Married for Women: લગ્ન કર્યા પછી જે ઉત્સાહ હોય તે થોડા જ સમયમાં અફસોસમાં બદલી જાય તેની પાછળ કેટલાક કારણો જવાબદાર હોય છે. ખાસ કરીને સ્ત્રીને આવો અફસોસ 5 સૌથી ખરાબ પરિસ્થિતિમાં થાય છે. આ સ્થિતિ કઈ કઈ છે ચાલો તમને જણાવીએ. 
 

Marriage: લગ્ન પછી આ 5 બાબતે રોજ લમણાઝીંક કરવી પડે તો યુવતીનો લગ્ન કર્યાનો ઉત્સાહ અફસોસમાં બદલી જાય

Worst Thing About being Married for Women: લગ્ન એ જીવનનો મહત્વપૂર્ણ નિર્ણય હોય છે. પરંતુ ઘણી વખત ઉતાવળમાં આ નિર્ણય કરી લેવામાં આવે તો આજીવન પસ્તાવો થાય છે. ઘણી વખત તો લગ્ન પછી એવી પરિસ્થિતિ સામે આવે કે લગ્ન કરનાર યુવતીના મનમાં લગ્ન કર્યા નો પણ અફસોસ થઈ જાય. યુવતીઓને મનમાં વિચાર આવવા લાગે કે તેમણે લગ્ન કરવાનો નિર્ણયો જ ખોટો લીધો છે. આજે તમને એવી 5 પરિસ્થિતિ વિશે જણાવીએ જેના કારણે યુવતીને લગ્ન કર્યા નો પણ અફસોસ થવા લાગે છે. આ કારણોને લીધે ઘણી વખત લગ્ન તૂટી પણ જાય છે. 

પોતાના માટે સમય ન મળવો 

લગ્ન પછી યુવતીનું ઘર જ નહીં તેનું જીવન પણ બદલી જાય છે. જોતે નોકરી કરતી હોય તો તેને ઓફિસ અને ઘર બંનેની જવાબદારી સંભાળવી પડે છે. આ સ્થિતિમાં જો તેના પર બધા જ પ્રકારની જવાબદારીઓને બેસ્ટ રીતે સંભાળવાનું પ્રેશર કરવામાં આવે તો તેને પોતાના માટે પણ સમય મળતો નથી. આવી સ્થિતિમાં રહેતી યુવતી પરેશાન થઈ જાય છે અને તેને લગ્ન કર્યા નો અફસોસ થવા લાગે છે. 

પર્સનલ સ્પેસ ન હોવી 

જે રીતે પુરુષોને લગ્ન પછી પણ પર્સનલ સ્પેસની જરૂર હોય છે તે રીતે યુવતીઓને પણ પોતાની પર્સનલ સ્પેસ જોઈએ છે. પરંતુ લગ્ન પછી મોટાભાગના લોકો આ વાતને મહત્વ આપતા નથી. જ્યારે યુવતીને પોતાના માટે પણ થોડો સમય આપવામાં ન આવે તો તેને લગ્ન કર્યા ની કોઈ જ ખુશી રહેતી નથી.

એક્સ સાથે સરખામણી 

જો કોઈ સ્ત્રીનો પતિ હંમેશા તેની પત્નીની સરખામણી તેની  એક્સ સાથે કરે તો યુવતી ને આવા પુરુષ સાથે લગ્ન કર્યા નો અફસોસ થાય છે. આવા પુરુષ સાથે લગ્નજીવન નિભાવવામાં પણ તેને મુશ્કેલી આવે છે. સતત બીજા સાથે સરખામણી કરતા પુરુષ માટે સ્ત્રીના મનમાં કોઈ લાગણી પણ રહેતી નથી.

બાળક માટે ઉતાવળ 

ઘણી યુવતીઓ સાથે એવું થાય છે કે લગ્ન પછી થોડાક સમયમાં પરિવાર અને પતિ બાળક કરવાનું પ્રેશર બનાવવા લાગે છે. લગ્નના થોડા જ સમયમાં જો યુવતી પર બાળક કરવાનું પ્રેશર કરવામાં આવે અને તેને સતત આ અંગે ટોકવામાં આવે તો તેના મનમાં ચોક્કસથી વિચાર આવે છે કે કાશ તેણે લગ્ન જ ન કર્યા હોત. 

પોતાનામાં ફેરફાર કરવાની જીદ 

લગ્ન પછી યુવતીનું જીવન બદલી જાય છે તેથી તે પોતાની રીતે દરેકની સાથે એડજસ્ટ થવાના પ્રયત્નો કરતી જ હોય છે. પરંતુ જો પરિવારના લોકો યુવતી ને સતત તેનામાં ફેરફાર કરવા માટે ટોકે અને રોકે તો તે ઈરિટેટ થઈ જાય છે. જો સામેની વ્યક્તિ સતત તેને બદલવાનો જ પ્રયત્ન કરતી રહે તો તેને લગ્ન કર્યાનો ઉત્સાહ નહીં પરંતુ અફસોસ થવા લાગે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news