)
Power of Silence: ઘણીવાર બે વ્યક્તિ સામસામે બોલાચાલી દરમિયાન ન કહેવાની વાતો પણ કરી નાખે છે. જ્યારે ગુસ્સો શાંત થાય છે ત્યારે વિચાર આવે છે કે કાશ આવું ન કીધું હોય.. જીવનમાં ઘણીવાર એવી સ્થિતિ આવે છે જ્યારે ચુપ રહેવું નબળાઈ નહીં પરંતુ હોશિયારી, બુદ્ધિમત્તા અને સૌથી મોટું હથિયાર સાબિત થાય છે. ચુપ રહેવામાં સૌથી મોટી શક્તિ છુપાયેલી હોય છે. સમજદાર વ્યક્તિ જીવનની 5 સ્થિતિમાં હંમેશા ચુપ રહેવાનું પસંદ કરે છે. આમ કરવાથી તે ફાયદામાં રહે છે.
સામેની વ્યક્તિ ગુસ્સામાં હોય ત્યારે
જ્યારે કોઈ વ્યક્તિ ગુસ્સામાં હોય ત્યારે તેની સામે ચુપ રહેવું સમજદારી છે. જ્યારે ક્રોધ વ્યક્તિ પર સવાર હોય છે ત્યારે તે સારા-ખરાબનું ભાન ભુલી જાય છે. આ રીતે ભાન ભુલી બોલવા કરતાં ચુપ થઈ જવું સારું છે. ચુપ રહેવાનો મતલબ એવો નથી કે તમે નબળા છો. આ સ્થિતિમાં ચુપ રહેવું બુદ્ધિમત્તા દર્શાવે છે.
જ્યારે તમે ઈમોશનલ હોય
જ્યારે તમે પોતે ઈમોશનલ હોય એટલે કે વધારે દુ:ખી કે કોઈ વાતથી નિરાશ હોય અથવા કોઈ વ્યક્તિથી નારાજ હોય ત્યારે પણ ચુપ રહેવું. આ સ્થિતિમાં બોલવાથી એવી વાતો કહી દેવામાં આવે છે જે મનમાં હોય પણ નહીં. જેના પર પાછળથી પસ્તાવો થાય છે. તેથી લાગણી મન પર હાવિ હોય ત્યારે ચુપ રહેવું.
વાત અધુરી ખબર પડે ત્યારે
કોઈ વાત પુરી જાણ્યા વિના અધુરી વાત જાણીને કોઈપણ નિવેદન આપવું નહીં. આ સમયે ચુપ રહેવું જરૂરી છે. કોઈની કહેલી વાત પર વિશ્વાસ કરીને પ્રતિક્રિયા આપવાથી પસ્તાવો કરવો પડી શકે છે. તેથી પહેલા વાત પુરી જાણી લેવી અને પછી જ પોતાનો મત વ્યક્ત કરવો. નહીં તો વાત સાંભળી લેવી પણ પ્રતિક્રિયા આપવાનું ટાળી ચુપ રહેવું.
જ્યારે વાત કરવાથી કોઈ ફાયદો ન હોય
આ સૌથી વધારે મહત્વનું છે. જ્યારે વિવાદ થયો હોય તો તમે લાખ સમજદારીથી વાત કરશો સામેની વ્યક્તિ ટસની મસ નહીં થાય. આ સમયે બોલવાથી કોઈ ફાયદો નથી. તેથી આવી સ્થિતિમાં પણ વધારે સમજાવવાનો પ્રયત્ન ન કરો અને ચુપ રહી યોગ્ય સમયની રાહ જુઓ.
(Disclaimer: અહીં આપેલી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)