)
Shani Paya Astrology: જ્યોતિષશાસ્ત્રમાં શનિનો પાયો મહત્વપૂર્ણ વિષય છે. ઘણી વખત લોકો આ બાબતે ધ્યાન આપતા નથી. જે રીતે જન્મકુંડળી જોઈને ગ્રહ નક્ષત્રોની સ્થિતિનું વિશ્લેષણ કરવામાં આવે છે, તે રીતે શનિના પાયાની ગણતરી પણ કરવામાં આવે છે. શનિના પાયા પરથી જીવનમાં આવનારી સમસ્યાઓ વિશે પણ જાણી શકાય છે.
પાયાનો અર્થ સ્તંભ થાય છે. કોઈ વ્યક્તિની જન્મ રાશિ અને ચંદ્ર કુંડળીના આધાર પર શનિની સ્થિતિ અનુસાર પાયો નક્કી થાય છે. શનિના પાયાનું નિર્ધારણ ચંદ્ર અને શનિની સ્થિતિના આધાર પર કરવામાં આવે છે. જે દર્શાવે છે કે જન્મ સમયે શનિ કયા ભાવમાં હતો.
શનિના ચાર પ્રકારના પાયા
શનિના પાયાના ચાર પ્રકાર હોય છે. આ પ્રકાર અનુસાર તેનો પ્રભાવ નક્કી થાય છે. આ ચાર પાયા કયા છે ચાલો જાણીએ
સોનાનો પાયો
જો શનિ જન્મ રાશિથી 1, 6 કે 11 માં ભાવમાં સ્થિત હોય તો તેને સોનાનો પાયો કહેવાય છે. આ પાયો શુભ માનવામાં આવે છે. અને વેપાર, નોકરી તેમજ જીવનમાં ઉન્નતિ લાવે છે. જો કે સોનાના પાયાના પરિણામ પણ સંપૂર્ણ સકારાત્મક નથી હોતા કેટલીક સ્થિતિમાં મિશ્ર અસર પણ જોવા મળી શકે છે.
ચાંદીનો પાયો
જ્યારે શનિ કુંડળીમાં 2, 5 અને 9 માં ભાવમાં સ્થિત હોય તો તેને ચાંદીનો પાયો કહેવાય છે. આ સ્થિતિ ખૂબ શુભ માનવામાં આવે છે. તેનાથી વ્યક્તિને ધન લાભ, સ્થિર આવર અને ઉચ્ચ જીવનશૈલી પ્રાપ્ત થાય છે.
તાંબાનો પાયો
જો શનિ 3, 7 કે 10 માં ભાવમાં સ્થિત હોય તો તેને તાંબાના પાયે શનિ કહેવાય છે. આ પાયો સામાન્ય પરિણામ આપે છે. વ્યક્તિને આ સ્થિતિમાં કામમાં વધારે મહેનત કરવી પડે છે. જો કે તેનું પારિવારિક જીવન સામાન્ય અને સંતોષજનક હોય છે.
લોઢાનો પાયો
જ્યારે શનિ 4, 8 કે 12 માં સ્થાનમાં હોય તો તેને લોઢાનો પાયો કહેવાય છે. આ સ્થિતિ શુભ ગણાતી નથી. આ સ્થિતિમાં વ્યક્તિ પર કરજ રહે છે. માનસિક તણાવ રહે છે અને કાર્યક્ષેત્રમાં સતર્કતા રાખવાની જરૂર પડે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)