ખરાબ સમય શરૂ થવાનો હોય તે પહેલા શનિદેવ આપે છે આ 7 સંકેત, ભૂલેચૂકે નજરઅંદાજ ન કરતા
ધાર્મિક માન્યતા મુજબ જે વ્યક્તિ પર શનિની કૃદ્રષ્ટિ પડે છે તેમના જીવનમાં પરેશાનીઓ છવાયેલી રહે છે. શનિદેવ ખરાબ સમય આવવાનો હોય તેની પહેલા જ કેટલાક સંકેત આપે છે.
Trending Photos
સૂર્યપુત્ર શનિદેવને ન્યાયના દેવતા કહે છે અને તેઓ વ્યક્તિને તેમના કર્મોના આધારે સારું કે ખરાબ ફળ આપે છે. જો કોઈના પર શનિની વક્ર દ્રષ્ટિ પડે તો તે વ્યક્તિનું જીવન બરબાદ થઈ જાય છે. શનિ ફક્ત ખરાબ કર્મો કરનારા ઉપર પોતાની વક્ર દ્રષ્ટિ રાખતા હોય છે. શનિદેવ નારાજ થાય ત્યારે કેટલાક સંકેત આપે છે જેનાથી અંદાજો લગાવી શકાય કે આવનારા દિવસોમાં પરેશાનીઓ આવી શકે છે.
વધે છે ફાલતું ખર્ચા
જો કુંડળીમાં શનિદોષ હોય કે પછી શનિ તમારા પર વક્રી દ્રષ્ટિ રાખતા હોય તો ફાલતું ખર્ચા વધવા લાગે છે. ઘરમાં આવતા પૈસા વધુ સમય ટકતા નથી અને અવારનવાર ખર્ચા થવા લાગે છે.
નાની ઉમરે વાળ સફેદ થવા
શાસ્ત્રો મુજબ શનિની અશુભ દ્રષ્ટિ જેના પર પડે છે તેમના નાની ઉંમરે જ વાળ સફેદ થવા લાગે છે અને વાળ ખરવાની સમસ્યા પણ રહે છે. એવું કહેવાય છે કે ખરાબ સમય આવતા પહેલાનો આ એક સંકેત છે.
જૂતા-ચપ્પલ વારંવાર તૂટવા
જો તમારા જૂતા ચપ્પલ વારંવાર તૂટતા હોય તો તેનો અર્થ એ થયો કે ખરાબ સમય આવવાનો છે અને પહેલા જ સતર્ક થઈ જાઓ. શનિદેવની ખરાબ નજરના પ્રભાવના કારણે જૂતા ચપ્પલ વારંવાર તૂટવાથી ખરાબ સમયનો સંકેત મળે છે.
ઉદાસી કે આળસ
જો ચહેરા પર ઉદાસી કે આળસ રહે અને મનમાં ચિતાં રહે તો તે પણ ખરાબ સમય આવવાનો સંકેત છે. શરીરમાં થાક અને આળસ રહેવી એ ખરાબ સમયનો સંકેત છે. શનિદેવ વક્ર દ્રષ્ટિથી આ સંકેતના માધ્યમથી જણાવે છે કે ખરાબ સમય શરૂ થવાનો છે.
આંખોની રોશની ઘટવી
જો કોઈ વ્યક્તિ પર શનિદેવની ખરાબ દ્રષ્ટિ હોય તો તેને આંખો સંબંધિત પરેશાનીઓ થઈ શકે છે. આંખોની રોશની ઘટવી કે પછી કમરમાં વારંવાર દર્દ થવું એ શનિદોષનો એક સંકેત છે.
સતત દેવું વધવું
ખુબ મહેનત કરવા છતાં પણ ઘરમાં પૈસા રહેતા નથી અને સતત દેવું વધ્યા કરે છે તો તે પણ એ વાતનો સંકેત છે કે શનિદેવની તમારા પર કુદ્રષ્ટિ છે અને ખરાબ સમય આવવાનો છે. આથી પહેલેથી જ સાવધાન થઈ જાઓ.
મનમાં ખરાબ વિચારો આવવા
શનિની વક્ર દ્રષ્ટિના કારણે જ વ્યક્તિના મનમાં ખરાબ વિચારો આવે છે અને તે ખરાબ કાર્યો કરવા માટે પ્રેરાય છે. એ વાતનો સંકેત છે કે શનિદેવ તમારાથી નારાજ છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે