)
Antim Samay: મૃત્યુ જીવનનું અંતિમ સત્ય છે. મૃત્યુને કોઈ ટાળી શકતું નથી. દરેક વ્યક્તિના જન્મની સાથે જ તેના મૃત્યુનો સમય પણ નિર્ધારિત થઈ જાય છે. જ્યારે કોઈ વ્યક્તિ આ સંસારમાંથી જવાનું હોય એટલે કે તેનું મૃત્યુ નજીક આવ્યું હોય ત્યારે તેને આસપાસ કેટલીક ઘટનાઓ દ્વારા મૃત્યુના સંકેત પણ મળી જાય છે. હિન્દુ ધર્મગ્રંથો પુરાણો અને જ્યોતિષશાસ્ત્રમાં આવા સંકેતોનો ઉલ્લેખ મળે છે. જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ નજીક હોય તો તેને કેટલાક સંકેતો મળે છે. આ સિવાય વ્યક્તિના અંતિમ સમયે તેની આસપાસ જેવું વાતાવરણ હોય તેના પણ શુભ અને અશુભ હોય છે. શાસ્ત્રો અનુસાર વ્યક્તિના અંતિમ સમય દરમિયાન જે સ્થિતિ, વિચાર કે વાતાવરણ હોય તે આત્માની યાત્રાને પ્રભાવિત કરે છે.
ધાર્મિક માન્યતા અનુસાર મૃત્યુના સમયે જેવું વાતાવરણ હોય છે તેનો પ્રભાવ આત્માની બીજા લોકની દિશા નક્કી કરવામાં ભાગ ભજવે છે. જો વાતાવરણમાં ઈશ્વરનું સ્મરણ હોય અને પવિત્ર વસ્તુઓ હોય તો આત્મા શાંતિથી મોક્ષ પ્રાપ્ત કરે છે. જ્યારે ઘરમાં નકારાત્મકતા અને અશુભ સંકેતો જોવા મળે તો આત્મા પણ અશાંત થઈ જાય છે. મૃત્યુ માત્ર શરીરનો અંત નથી પરંતુ આત્માને મોક્ષ સુધી લઈ જાય છે. તેથી જ હિંદુ સંસ્કૃતિમાં મૃત્યુ સમયે મંત્રોચ્ચાર, ભગવાનનું સ્મરણ અને ગંગાજલ પીવડાવવાને વધારે મહત્વ આપવામાં આવે છે.
અંતિમ સમયના શુભ સંકેત
- મૃત્યુ સમયે ભગવાનનું નામ લેવું કે ભગવાનનું સ્મરણ કરવું અત્યંત શુભ ગણાય છે આમ કરવાથી આત્માને મોક્ષની પ્રાપ્તિ થાય છે એવું માનવામાં આવે છે..
- મૃત્યુના સમયે ગંગાજળ અને તુલસીનું સેવન પણ શુભ ગણાય છે. મૃત્યુ સમયે વ્યક્તિને ગંગાજળ અને તુલસી અર્પણ કરવાથી તેની આત્મા પવિત્ર બને છે અને તે સ્વર્ગલોક સુધી સરળતાથી જઈ શકે છે તેવું માનવામાં આવે છે.
- જો ઘરમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ નજીક હોય તો પરિવારના લોકો ભજન, મંત્ર કે ગીતાનો પાઠ કરે તો તે વ્યક્તિની આત્માને શાંતિ મળે છે.
- મૃત્યુ સમયે વ્યક્તિના ચહેરા પર સ્મિત હોય અથવા તો શાંતિ હોય તો તે શુભ ગણાય છે. આવું એટલા માટે હોય છે કે તે આત્માને પુણ્ય કાર્ય કર્યા હોય છે અને તેનું મૃત્યુ પીડા રહીત હોય છે.
અશુભ સંકેત
- જો કોઈ વ્યક્તિ મૃત્યુ પહેલા અત્યંત પીડા ભોગવે અથવા તો કષ્ટની સ્થિતિમાં મૃત્યુ પામે તો તેને અશુભ માનવામાં આવે છે. માન્યતા એવી છે કે આવું મૃત્યુ તેના ખરાબ કર્મોનો પ્રભાવ હોય છે.
- મૃત્યુ સમયે ક્રોધ, દ્વેશ અને નકારાત્મક વિચાર આત્માને અશાંત બનાવે છે. અશાંતિ અને ક્રોધ પણ અશુભ સંકેત ગણાય છે.
- ઘરમાં અંધારું અને નકારાત્મકતા હોય અથવા તો કલેશ હોય તો પણ વ્યક્તિની આત્મા મૃત્યુ સમયે બેચેન થઈ જાય છે. આ પણ અશુભ સંકેત ગણાય છે.
- ઘરમાં પશુ, પક્ષી હોય અને તે અચાનક જ વિચિત્ર વ્યવહાર કરવા લાગે અથવા તો અસામાન્ય વ્યવહાર કરે તો તેને પણ અશુભ સંકેત માનવામાં આવે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)