)
Budh Ketu Surya Mahayuti 2025: 30 ઓગસ્ટ 2025 ના રોજ બપોરે 4.48 મિનિટે બુધ ગ્રહ સિંહ રાશિમાં ગોચર કરશે. જેના કારણે સિંહ રાશિમાં ગ્રહોની મહાયુતિ સર્જાશે. આ મહાયુતિ 15 સપ્ટેમ્બર સુધી રહેશે કારણ કે 15 સપ્ટેમ્બર સુધી બુધ સિંહ રાશિમાં ગોચર કરશે. સિંહ રાશિમાં 30 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધી જે મહાયુતિ સર્જાઈ છે તે 3 રાશિના લોકો માટે લાભકારી છે.
આ વર્ષે સિંહ રાશિમાં સૂર્ય 17 સપ્ટેમ્બર સુધી ગોચર કરશે. જ્યારે પાપી ગ્રહ કેતુ સિંહ રાશિમાં 6 ડિસેમ્બર 2025 સુધી રહેશે. તો ચાલો જાણીએ ગ્રહોના રાજકુમાર બુધના સિંહ રાશિમાં ગોચરથી કઈ કઈ રાશિઓને લાભ થશે.
સિંહ રાશિ
સિંહ રાશિમાં જ બુધ, સૂર્ય અને કેતુની દુર્લભ યુતિ સર્જાશે. કાર્યક્ષેત્રમાં ચાલી રહેલી સમસ્યાઓનું સમાધાન મળશે. કામ પર ફોકસ કરી શકાશે. વેપારીઓને આર્થિક લાભ થશે. સ્વાસ્થ્ય સમસ્યા દુર થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. કામ પર ફોકસ વધશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે.
ધનુ રાશિ
બુધનું સિંહ રાશિમાં ગોચર અને મહાયુતિનું નિર્માણ ધનુ રાશિ માટે લાભકારી છે. આ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ વધશે. પરિવારમાં વાતાવરણ સારું રહેશે. માનસિક શાંતિ મળશે. કાર્યક્ષેત્રમાં સહકર્મીઓ સાથે તાલમેલ સારો રહેશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે. સંબંધોની ગેરસમજ દુર થશે.
કુંભ રાશિ
કુંભ રાશિના લોકો માટે બુધ, સૂર્ય અને કેતુની મહાયુતિ સારી છે. વેપારીઓને આર્થિક પડકારોનો સામનો કરવો નહીં પડે. ભાગીદારીના કામથી લાભ થશે. પરિવારના લોકો વચ્ચેની ગેર સમજ દુર થશે. ધાર્મિક યાત્રા પર જવાનું થઈ શકે છે. નોકરી કરતા લોકોની આવક વધશે. મિત્રો સાથે મુલાકાત થશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)